SearchBrowseAboutContactDonate
Page Preview
Page 358
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૮ જિનતત્ત્વ પોતાનામાં સહજ રીતે પ્રગટેલા ભક્તિભાવથી પ્રેરાઈને સ્વેચ્છાએ, ઉમંગ અને ઉલ્લાસથી પ્રતિહાર તરીકે કામ કરે છે. તેમની પાસે વૈક્રિય લબ્ધિ હોય છે અને તેઓ અવધિજ્ઞાની હોય છે. તેઓ વૈક્રિય લબ્ધિ કે શક્તિ વડે વિવિધ પ્રકારની રચનાઓ કે રૂપો બનાવી (વિકવી શકે છે. એટલા માટે દેવો સમવસરણમાં જે રચના કરે છે તે પ્રાતિહાર્ય કહેવાય છે. “પ્રવચનસારોદ્ધારની વૃત્તિમાં કહ્યું છે : પ્રતિદરા: કુરપતિનિયુજી સેવાશ્લેષાં મfor प्रातिहार्याणि। પ્રાતિહાર્ય' શબ્દ ઉપરથી પ્રાકૃતમાં “પાડિહેર' શબ્દ આવ્યો. પાડિહેરનો અર્થ કરવામાં આવે છે : (૧) દેવતાકૃત પ્રતિહારકર્મ, (૨) દેવતાકત પૂજાવિશેષ અને (૩) દેવોનું સાન્નિધ્ય. બૌદ્ધ ધર્મમાં પણ પ્રાતિહાર્ય શબ્દ વપરાયેલો છે. વિનયપિટકના મહાવગ્ગ” ગ્રંથમાં પંદર પ્રકારનાં પ્રાતિહાર્યો ગણાવવામાં આવ્યાં છે. ત્યાં પ્રાતિહાર્ય એટલે એક પ્રકારનો દૈવી ચમત્કાર અથવા દેવી ઋદ્ધિ એટલો અર્થ કરવામાં આવ્યો છે. ભગવાન બુદ્ધના એવા ચમત્કારના પંદર પ્રસંગો તેમાં ટાંકવામાં આવ્યા છે. દેવો સમવસરણમાં પ્રાતિહાર્યોની જે રચના કરે છે તેમાં તીર્થંકર પરમાત્માનો પ્રભાવ કે અતિશય જ રહેલો હોય છે. દેવો ભલે સ્વેચ્છાએ, પૂજ્યભાવ અને ભક્તિભાવથી તેની રચના કરતા હોય તો પણ તેમાં સવિશેષ બળ, સમૃદ્ધિ, ઓજસ, ઐશ્વર્ય ઇત્યાદિ તીર્થંકર પરમાત્માના અતિશયને કારણે જ આવે છે. એમ કહેવાય છે કે સમવસરણમાં જેવું અશોકવૃક્ષ હોય છે તેવું અશોકવૃક્ષ ખુદ ઇન્દ્રના પોતાના ઉદ્યાનમાં પણ નથી હોતું. ધારો કે તીર્થકર પરમાત્માની ઉપસ્થિતિ ન હોય તેવે પ્રસંગે બધા જ દેવતાઓ ભેગા મળીને પોતાની તમામ વૈક્રિયાદિ લબ્ધિથી કોઈ એક અશોકવૃક્ષની રચના કરે તો પણ તે અશોકવૃક્ષનું સૌંદર્ય સમવસરણના અશોકવૃક્ષ કરતાં અનેકગણું ઊતરતું કે હીન હોય. વળી બધા દેવોએ તીર્થકર ભગવાનની હાજરી વિના ઉત્પન્ન કરેલું અશોકવૃક્ષ (કે અન્ય પ્રાતિહાર્ય) જોનાર લોકોના હૃદયમાં ધર્મની ભાવના ઉત્પન્ન ન કરી શકે, જ્યારે સમવસરણમાં દેવોએ રચેલ અશોકવૃક્ષ (કે અન્ય પ્રાતિહાર્ય) લોકોના હૃદયમાં ધર્મભાવના જાગ્રત કરવાનું નિમિત્ત બને છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002039
Book TitleJintattva Granth 1
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2007
Total Pages516
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy