SearchBrowseAboutContactDonate
Page Preview
Page 317
Loading...
Download File
Download File
Page Text
________________ નવકારમંત્રમાં સંપદા ૩૦૭ આઠ અક્ષરની અને આઠમી સંપદા “પઢમં હવઇ મંગલ” એ નવ અક્ષરની છે. તેઓ કહે છે : “નવરqકું િતુપથ છઠ્ઠી' (એટલે કે છઠ્ઠી સંપદા બે પદની સમજવી અને આઠમી સંપદા “પઢમં હવઈ મંગલ” એ નવ અક્ષરની સમજવી.) નવકારમંત્રમાં નવ પદ છે એટલે એમાં તેટલી સંખ્યાની જ સંપદા હોવી જોઈએ એવું અનિવાર્ય નથી. પદ અને સંપદાની ગણતરીમાં માત્ર નવકારમંત્રમાં જ આવો ફરક જોવા મળે છે એવું નથી. “ઇરિયાવહી સૂત્ર'માં કુલ ૩૨ પદ છે, પણ તેની સંપદા ફક્ત આઠ જ ગણવામાં આવી છે. એવી જ રીતે “શકસ્તવ(નમુત્યુણ)માં ૩૩ પદ છે અને સંપદા ૯ બતાવવામાં આવી છે. તથા “અરિહંત ચેઇઆણ” સૂત્રમાં તો પદ ૪૩ જેટલાં છે અને એની સંપદા ફક્ત આઠ જ બતાવવામાં આવી છે. આમ આ બધાં સૂત્રોમાં પદની સંખ્યાના પ્રમાણમાં સંપદાઓ ઓછી બતાવવામાં આવી છે. બીજી બાજુ “લોગસ્સ સૂત્રમાં ૨૮ પદ છે, અને ૨૮ સંપદા બતાવવામાં આવી છે. “પુખ્ખરવરદી સૂત્રમાં ૧૬ પદ છે અને ૧૬ સંપદા બતાવવામાં આવી છે, તથા “સિદ્ધાણ બુદ્ધાણં સૂત્ર'માં ૨૦ પદ છે અને તેની સંપદા પણ ૨૦ બતાવવામાં આવી છે. આમ સંપદાની સંખ્યા પદ કરતાં ઓછી હોઈ શકે છે અથવા વધુમાં વધુ પદની સંખ્યા જેટલી હોઈ શકે છે. પદ કરતાં સંપદા વધુ હોય એવું બની શકે નહિ. - સંપાની ગણતરીમાં આમ ફરક શા માટે હશે તેની કોઈ વિશેષ સ્પષ્ટતા “ચૈત્યવંદન ભાષ્ય', “પ્રવચનસારોદ્ધાર' વગેરે ગ્રંથોમાં કરવામાં આવી નથી, પરંતુ જે રીતે એની સંપદાઓ બતાવવામાં આવી છે તે રીતે તેની પાછળ કોઈ વિશિષ્ટ પ્રયોજન રહ્યું હશે તેમ માની શકાય. શાસ્ત્રકારોએ સંપદાને અર્થના વિશ્રામસ્થાન તરીકે ઓળખાવી છે અને તે વિશ્રામસ્થાને વિશ્રામ લેવાઈ જાય છે એમ કહેવા કરતાં વિશ્રામ અવશ્ય લેવો જોઈએ એવો આદેશ કરેલો છે. એ ઉપરથી પણ એમ ભાસે છે કે સંપદાઓની ગણતરી પાછળ કોઈ વિશિષ્ટ ઉદ્દેશ રહેલો હોવો જોઈએ. મંત્રો કે સૂત્રોનો ઉચ્ચાર વિશુદ્ધ અને ગૌરવવાળો હોવો જોઈએ. બોલનાર અને સાંભળનારના ચિત્તમાં તે પ્રસન્નતા અને ઉત્સાહનો ભાવ જન્માવે એવું વ્યવહારુ પ્રયોજન તો તેમાં રહેલું હશે જ, પરંતુ તે ઉપરાંત આંતરચેતનાની અનુભૂતિ અનુસાર કોઈ વિશિષ્ટ પ્રયોજન પણ રહેલું હશે એવું આ બધા તફાવત ઉપરથી લાગે છે. સંપદામાં અક્ષર કરતાં અર્થનું મહત્ત્વ વધારે છે. મંત્રમાં “નમો સિદ્ધા” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002039
Book TitleJintattva Granth 1
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2007
Total Pages516
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy