SearchBrowseAboutContactDonate
Page Preview
Page 297
Loading...
Download File
Download File
Page Text
________________ શીલવિઘાતક પરિબળો ૨૮૭ કહેવાય છે. ખરાબ આચરણવાળા સાધુને કુશીલ કહેવામાં આવે છે. જ્ઞાનકુશીલ, દર્શનકશીલ અને ચારિત્રકુશીલ એવા એના ત્રણ પ્રકાર બતાવવામાં આવ્યા છે. જે કાલ, વિનય, બહુમાન વગેરે આઠ પ્રકારના જ્ઞાનાચારની વિરાધના કરે તથા ભણેલા જ્ઞાનનો આપમતે જાણીજોઈને અવળો અર્થ કરે તેને જ્ઞાનકુશીલ કહેવામાં આવે છે. જે શંકા, કાંક્ષા, વિચિકિત્સા વગેરે કવાસનાવાળા માણસો સાથે સોબત રાખે, કારણ વિના તેમની સાથે આલાપ-સંલાપ કરે અને એ રીતે આઠ પ્રકારના દર્શનાચારની વિરાધના કરે તેને દર્શનકુશીલ કહેવામાં આવે છે. જે મંત્રતંત્રના ચમત્કાર બતાવી ભક્તોને ભોળવે, લોભાવે, જ્યોતિષ કે વખનાં ફળ કહીને લલચાવે, કામણ-વશીકરણ કરે, જડીબુટ્ટી કરે, પુરુષનાં અંગલક્ષણો કહે, પોતાના શરીરને સ્નાનાદિથી વિભૂષિત રાખવાનો પ્રયત્ન કરે, પોતાનાં જાતિકુલ પ્રકાશિત કરે, ચારિત્રની અનેક પ્રકારે વિરાધના કરે તેને ચારિત્રકુશીલ કહેવામાં આવે છે. કેટલાક સાધુઓમાં કેટલાક સારા ગુણ હોય, પરંતુ તેની સાથે સાથે કેટલાક મોટા દોષો પણ હોય તેવા સાધુને “સંસક્ત' કહેવામાં આવે છે. તેના બે પ્રકાર છે : “સંક્લિષ્ટ સંસક્ત” અને “અસંક્લિષ્ટ સંસક્ત”. જે સાધુઓ જીવહિંસાદિ આશ્રવનાં દ્વાર સેવે, પારકાના ગુણ સહન ન કરી શકે, રસગારવ, ઋદ્ધિગારવ અને શાતાગારવ – એ ત્રણ ગારવનું સેવન કરે, સ્ત્રી, ઘર વગેરેને લગતા પોતાના દોષો ચલાવી લે કે તેનો બચાવ કરે તે સંક્લિષ્ટ સંસક્ત કહેવાય છે. જે સાધુ પ્રસંગાનુસાર બદલાયા કરે એટલે કે સંવિજ્ઞ સાધુઓ પાસે હોય ત્યારે સંવિજ્ઞ ગુણ-આચારવાળો થવા ઇચ્છે અને પાર્થસ્થાદિ સાથે હોય ત્યારે તેવા અનાચાર કરવા લાગે તે અસંક્લિષ્ટ સંસક્ત કહેવાય છે. જે સાધુ ગુરુમહારાજની, ધર્માચાર્યોની અવહેલના કર્યા કરે, સાંસારિક કાર્યોમાં રસ લે, શાસ્ત્રગ્રંથોનો ઇરાદાપૂર્વક અનર્થ કરી પોતાની ઇચ્છાનુસાર વર્તન કરે, સ્વાર્થ સધાય તેવાં વચનો બોલે, ઉસૂત્ર (શાસ્ત્રવિરુદ્ધ) પ્રરૂપણા કરે, વારંવાર ક્રોધ-આક્રોશ કરે, ત્રણ ગારવયુક્ત એશઆરામનું જીવન વિતાવવામાં પ્રવૃત્ત રહે તેને યથાછંદ કહેવામાં આવે છે. આવા સાધુઓ અનેક પ્રકારના જોવા મળે છે. તેઓ પોતે સંસારમાં ડૂબે છે અને તેમનો આશ્રય લેનારને પણ ડુબાડે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002039
Book TitleJintattva Granth 1
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2007
Total Pages516
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy