SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ જિનતત્ત્વ યુવતીજનવલ્લભ થવાનું તેમને મન થાય છે. પરિણામે તેઓ પણ એવું જ નિયાણું બાંધે છે. એમનું તપ એટલું મોટું હતું કે જન્માત્તરમાં તેઓ એવું સુખ પ્રાપ્ત કરે છે, પરંતુ પરિણામે ત્યારપછી ભવાન્તરમાં તેઓ દુર્ગતિ પામે છે. જૈન કર્મસિદ્ધાંત પ્રમાણે જેટલા વાસુદેવો થાય છે તેટલા હમેશાં પૂર્વભવમાં નિયાણ બાંધવાપૂર્વક થાય છે, અને વાસુદેવ થયા પછી ભવાન્તરમાં તેઓ અવશ્ય નરકે જાય છે. એટલા માટે કહેવાયું છે કે જેટલો વાસુદેવો અને બલરામ થાય છે તેમાં વાસુદેવ હમેશાં નીચ ગતિવાળા બને છે અને બલરામ ઊર્ધ્વ ગતિવાળા બને છે. उढ्ढंगामी रामा केसव सब्वेवि जं अहोगामी । तित्थवि नियाण कारण मइउं अमइउं इमं वज्जे ।। [બધા બલદેવ ઊર્ધ્વ ગતિવાળા હોય છે અને બધા વાસુદેવો નીચા ગતિવાળા હોય છે. ત્યાં પણ એ નિયાણુનું જ કારણ જાણવું. માટે નિયાણાને વર્જવું] જૈન પાંડવકથા પ્રમાણે દ્રૌપદીને પાંચ પતિ પ્રાપ્ત થાય છે તે પૂર્વજન્મમાં નિયાણ બાંધવાને કારણે. દ્રૌપદી પૂર્વભવમાં સુકુમાલિકા નામની રૂપવતી શ્રેષ્ઠીપુત્રી હતી. તે નિરુપાયે, મન વગર, દીક્ષા લઈ સાધ્વી થાય છે. એક વખત પાંચ પુરુષો સાથે સમાગમ કરતી દેવદત્તા નામની વેશ્યાને જોઈને તેવા સુખની અભિલાષા થઈ જતાં સુકમાલિકા સાધ્વીથી નિયાણ બંધાઈ જાય છે. પરિણામે જન્માત્તરમાં દ્રૌપદીના ભાવમાં તેને પાંચ પતિ મળે છે. કોઈક વખત કઠોર તપશ્ચર્યા ચાલતી હોય ત્યારે તપનો ઉલ્લાસ ઘટી જાય અને કષ્ટ સહન ન થાય તેવે વખતે તપશ્ચર્યા ન કરનાર એવા જીવો પોતાના કરતાં કેટલા બધા સુખી છે એવો ભાવ જો તીવ્રપણે સેવાય તો તેને પ્રસંગે અજાણતાં નિયાણુ બંધાઈ જાય છે. ઉદ્યોતનસૂરિકૃત “કુવલયમાલા માં એક ઉંદરની કથા આવે છે. પંદરમા તીર્થંકર ધર્મનાથ ભગવાન વિચરતા હતા ત્યારે એક વખત સમોવસરણમાં એક ઉંદર આવે છે અને તલ્લીન બનીને ધર્મનાથ ભગવાનની દેશના સાંભળે છે. એ ઉંદરને જોતાં જ બધાને એમ લાગે છે કે આ કોઈ જેવોતેવો જીવ નથી. ધર્મનાથ ભગવાનને એના વિશે પૂછવામાં આવે છે ત્યારે તેઓ કહે છે, “આ ઉંદરને અત્યારે જાતિસ્મરણજ્ઞાન થયું છે અને તેથી તે અહીં ઉપદેશ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002039
Book TitleJintattva Granth 1
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2007
Total Pages516
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy