SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ લબ્ધિ આમ, બાહ્ય અને આત્યંતર તપ દ્વારા જ્ઞાનાવરણીય, અંતરાય વગેરે કર્મોનો ક્ષયોપશમથી આત્મા નિર્મળ થતાં જે ગુણસમૂહ પ્રગટ થાય છે તે દ્વારા સર્જાતા સામર્થ્યયુક્ત ચમત્કારવિશેષને લબ્ધિ તરીકે ઓળખવામાં આવે છે. મનુષ્યમાં વિવિધ પ્રકારની શારીરિક અને માનસિક શક્તિઓ રહેલી છે. જ્યારે કોઈક વ્યક્તિમાં અસાધારણ એવી શક્તિ જોવા મળે તો લોકોને આશ્ચર્ય થાય છે. એમાં કેટલીક શક્તિઓ તો એવી હોય છે કે જેનો પ્રભાવ નજરે ન જોયો હોય તો માન્યામાં ન આવે. સામાન્ય લોકોને એવી વાત ચમત્કારયુક્ત લાગે અને તેના તરફ શ્રદ્ધા કે અંધશ્રદ્ધાનો ભાવ ધારણ કરે. એવી શક્તિઓની વાત સાંભળીને બૌદ્ધિક લોકોને તે અપ્રતીતિકર, ધતિંગ કે ગપ્પાં જેવી લાગે, પરંતુ જો તેઓને નજરે જોવાની તક મળે અને જાતે ખાતરી કરે તો તેઓ પણ તે માનવા તૈયાર થાય. કેટલાક નાસ્તિક માણસો નજરે આવી ઘટના જોયા પછી આસ્તિક કે શ્રદ્ધાવાન બની જાય છે. એક શબ્દ સાંભળતાં આખી વાત સમજાઈ જવી, દૂર ક્યાંક બનતી ઘટનાને જાણે નજરે નિહાળતાં હોઈએ તેમ જોવી અને તેનું વર્ણન કરવું, બીજાના મનમાં ઊઠતા વિચારો અને ભાવો બરાબર સમજી લેવા અને તે પ્રમાણે કહેવા, એક ઇન્દ્રિય દ્વારા બીજી ઇન્દ્રિયના વિષયને જાણી લેવો (જેમ કે સુગંધ પરથી પદાર્થનો રંગ કેવો હશે તે કહી આપવું), જમીનથી અધ્ધર રહેવું, આકાશમાં ગમન કરવું, હાથમાંથી કે વાણીમાંથી અમૃત ઝરતું હોય તેવો અનુભવ થવો, પાત્રમાં પડેલું અન્ન ખૂટે નહિ એવો ચમત્કાર થવો, તેજલેશ્યાની પ્રાપ્તિ થવી (જે વડે કશુંક બાળી શકાય કે ઠંડું કરી શકાય), પોતાના શરીરના મેલ કે પરસેવા દ્વારા બીજાના રોગ મટાડી શકાય, શરીરના નખ, વાળ, દાંત વગેરે દ્વારા બીજાના રોગો મટાડી શકાય, પોતાની શક્તિથી ડુંગરને કંપાયમાન કરી શકાય, ઉપદ્રવ કે સંકટને તત્ક્ષણ શાંત કરી શકાય, વિછી કે સર્પના ઝેરને ઉતારી શકાય, પોતાનાં વચન અનુસાર ઘટના કરી શકાય, વશીકરણ, સ્તંભન કે મોચન વગેરેનો બીજાને અનુભવ કરાવી શકાય, પરકાયાપ્રવેશ કરી શકાય, શરીરને નાનું કે મોટું કરી શકાય – આવી આવી ઘટનાઓ જેમના જીવનમાં થતી હોય તેવી વ્યક્તિઓએ કોઈક વિશેષ શક્તિ પ્રાપ્ત કરી છે એમ કહી શકાય. આવી શક્તિ તપના પ્રભાવે કે જ્ઞાનના વિકાસથી કે અમુક કર્મના ક્ષયોપશમથી પ્રાપ્ત થાય છે. એને લબ્ધિ તરીકે ઓળખાવવામાં આવે છે. વર્તમાન દેશકાળ અનુસાર ઘણી લબ્ધિઓ ક્ષીણ થઈ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002039
Book TitleJintattva Granth 1
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2007
Total Pages516
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy