SearchBrowseAboutContactDonate
Page Preview
Page 415
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૭૧ આચાર્ય બુદ્ધિસાગરજીએ સ્થાપેલી સંસ્થા, અધ્યાત્મ પ્રસારક મંડળના પ્રમુખ તરીકે વરણી. ૧૯૭૨ શ્રી મુંબઈ જૈન યુવક સંઘ સંચાલિત પર્યુષણ વ્યાખ્યાન માળાના પ્રમુખ તરીકે પસંદગી, “એવરેસ્ટના આરોહણની બીજી આવૃત્તિ પ્રગટ થઈ. ૧૯૭૩ ૧૪મી ડિસેમ્બર - તારાબેનના પિતાશ્રી શ્રી દીપચંદભાઈ ત્રિ. શાહનો સ્વર્ગવાસ. ૧૯૭૪ ભગવાન મહાવીરના પચીસોમા નિર્માણ મહોત્સવ નિમિત્તે પૂર્વ આફ્રિકામાં કેનિયામાં મોમ્બાસા સંઘના આમંત્રણથી વ્યાખ્યાનો આપવા તારાબેન સાથે ગયા. કેનિયાના મહત્ત્વના શહેરો નાયરોબી, થીમ, એલ્ડીરેટ, કિસમ ઉપરાંત ટાન્ઝાનિયામાં દારેસલામ, ટાંગા વગેરે સ્થળે જૈનધર્મ, ભગવાન મહાવીર પર વક્તવ્યો આપ્યા. Jainism and Shraman Bhagawan Mahavir પુસ્તક પ્રગટ થયું. ઈથોપિયાનો પ્રવાસ. ૧૯૭૫ પૂ. માતુશ્રી રેવાબાનો સ્વર્ગવાસ, પોષ સુદ ૭ - વિ.સં. ૨૦૨૧. ૧૯૭૬ શ્રીલંકાનો પ્રવાસ., “નરસિંહ પૂર્વેનું સાહિત્ય' - જાન્યુઆરી ૧૯૭૬, જૈનધર્મ - બીજી આવૃત્તિ - પરિચય ટ્રસ્ટ, જૈનધર્મ - મરાઠી આવૃત્તિ પરિચય ટ્રસ્ટ. ૧૯૭૭ ચિ. શૈલજા ઈન્ટર આટર્સની પરીક્ષામાં મુંબઈ યુનિવર્સિટીમાં પહેલી આવી, મહાવીર જૈન વિદ્યાલય યોજિત “જૈન સાહિત્ય સમારોહ' પહેલાં કે. કા. શાસ્ત્રીના પ્રમુખપદે મુંબઈમાં યોજાયો. આયોજન રમણભાઈએ કર્યું, ઓસ્ટ્રેલિયા-સીડનીમાં P.E.N. ની ઈન્ટરનેશનલ કોન્ફરન્સમાં ભારતના પ્રતિનિધિ તરીકે ગયા. વક્તવ્ય આપ્યું., હોંગકોંગ, સીંગાપોર ગયા., U.K.માં ચંદરિયા ફાઉન્ડેશનના અધ્યક્ષ શ્રી દેવચંદભાઈ ચંદરિયાના આમંત્રણથી યુ.કે.માં જૈનધર્મ અને ગુજરાતી સાહિત્ય પર વ્યાખ્યાનો આપવા તારાબેન અને પુત્રી શૈલજા સાથે બે મહિના માટે ગયા. U.K. ઉપરાંત યુરોપમાં જુદે જુદે સ્થળે વ્યાખ્યાનો આપ્યા. સાથે સાથે ફ્રાન્સ, ઈટલી, ઓસ્ટ્રીયા, નેધરલેન્ડ, બેલ્જિયમ, સ્વીઝરલેન્ડ વગેરે દેશોનો પ્રવાસ કર્યો, જૈન ધર્મ - હિંદી - આવૃત્તિ - પરિચય ટ્રસ્ટ બહાર પડી. ૧૯૭૮ ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, ફીજી, હોંગકોંગ, ઈન્ડોનેશિયા, ફીલીપાઈન્સ, સાઉથ કોરિયા, થાઈલેન્ડનો પ્રવાસ. ૧૯૭૯ Buddhism An Introduction, સમયસુદંર', “પડીલેહા”, “આપણાં ફાગુ કાવ્યો' - પ્રગટ થયાં, “જૈન સાહિત્ય સમારોહ' બીજો - મહુવામાં શ્રી ભાયાણીસાહેબના પ્રમુખપદે મહુવામાં થયો, સાઉથ અમેરિકા - બ્રાઝીલમાં “રીઓ ડી જાનેરોમાં ભરાયેલી P.E.N. International Conference'માં ભારતના પ્રતિનિધિ તરીકે પતિપત્ની બન્નેએ ભાગ લીધો, તેમાં વક્તવ્ય આપ્યું., બ્રાઝિલના જુદા જુદા શહેરો - બ્રાઝિલીયા, સાવો- પાઉલો ઉપરાંત ટ્રીનીડાડ, પનામા, કુરાસાવ, આર્જેન્ટીના, પેરુ વગેરે જોયા. પેરુમાં મચ્છુપીચ્છમાં ઈન્કા સંસ્કૃતિના અવશેષ જોયા, પાછા ફરતા શિકાગો, ન્યુયોર્ક વગેરે અમેરિકામાં કેટલેક સ્થળે ગયા. ૧૯૮૦ રશિયાનો પ્રવાસ, ૧. સમય સુંદરકૃત “થાવસ્યા સુતરિષિ ચોપાઈ' ૨. નિગ્નવ વાદ ૩. નળ દમયંતીની કથાનો વિકાસ. ૪. નળ દમયંતી પ્રબંધ (ગુણાવિનય કૃત), ૫. હેમચંદ્રાચાર્ય, ૯. ઉત્તર ધ્રુવની શોધ સફર પ્રગટ થયાં. જૈન સાહિત્ય સમારોહ ૩ સુરતમાં થયો. ૧૯૮૧ ચોપાટી-દેવ પ્રકાશનું નિવાસ સ્થાન છોડી ૨૧-૨૨, રેખા નં. ૧માં રહેવા ગયા. મુંબઈ જૈન યુવક સંઘના મુખપત્ર પ્રબુદ્ધ જીવનના સહતંત્રી બન્યા., ચિ. પ્રવાસ-દર્શન અલ ૩૬૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002033
Book TitlePravas Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages424
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy