SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ રાજાઓનો પણ હતો. ઈડર, માણસા, પેથાપુર, ધરમપુર, લીંબોદરા, અલુવા, સાણંદ, વરસોડા વગેરે રાજ્યના રાજવીઓ, ઠાકોરો તેમનાં વ્યાખ્યાનો સાંભળવા માટે પધારતા. વડોદરાના સયાજીરાવ ગાયકવાડે ખાસ નિમંત્રણ આપીને પોતાના લક્ષ્મીવિલાસ મહેલમાં એમનું વ્યાખ્યાન ગોઠવ્યું હતું, જેથી બીજા લોકો સાથે એમના કુટુંબનો મહિલાવર્ગ મહારાજશ્રીના વ્યાખ્યાનનો લાભ લઈ શકે. મહારાજશ્રીની વ્યાખ્યાનશૈલી એટલી સરળ, રોચક અને પ્રસંગાનુસાર રહેતી કે જેથી કેટલાય રાજવીઓએ શિકાર, માંસ, જુગાર અને મદિરાનો ત્યાગ કર્યો હતો. સયાજીરાવ ગાયકવાડે દશેરાને દિવસે વડોદરામાં થતો પાડાનો વધ, શ્રી બુદ્ધિસાગરસૂરિજીની પ્રેરણાથી કાયમ માટે બંધ કરાવી દીધો હતો. - શ્રી બુદ્ધિસાગર મહારાજની પ્રતિભા એવી હતી કે જ્યાં જ્યાં પોતે વિચરતા ત્યાં ત્યાં તરત તેમનાં વ્યાખ્યાનો ગોઠવાતાં અને સર્વ ધર્મના સેંકડો, હજારો લોકો તેમને સાંભળવા આવતા. દરેક સ્થળે સંઘ, સમાજ કે ગામના આગેવાનો પણ તેમનાં વ્યાખ્યાનમાં આવીને બેસતા. અમદાવાદમાં હતા ત્યારે સ્વ. આનંદશંકર ધ્રુવ, સ્વ. કેશવ હર્ષદ ધ્રુવ, કવિ નાનાલાલ વગેરે પણ તેમની પાસે આવતા. મહારાજશ્રી પોતે પણ કોઈ પણ પ્રકારનો સંકોચ કે મોટાઈ રાખ્યા વગર સારા સારા માણસોને, સાધુસંન્યાસીઓને, કવિ-લેખકોને સામેથી મળવા જતા અને નિખાલસ ચર્ચા કરતા. તેઓ ગાંધીજીને પણ મળ્યા હતા. વાદવિવાદથી તેઓ દૂર રહેતા હતા અને નિષ્પક્ષ તથા નિઃસ્વાર્થભાવથી વિચારણા કરતા. અમદાવાદમાં શ્રી અમીરખજી વગેરે સ્થાનકવાસી સાધુઓએ મૂર્તિપૂજા વિશે એમની સાથે ચર્ચા કરી ત્યારે એટલી તટસ્થ રીતે, આધારો સહિત, બંને પક્ષ પ્રત્યે પૂરા સમભાવથી રજૂઆત કરી કે શ્રી અમીરખજી સ્વામી એમની પાસે, પોતાના મુનિઓને લઈને આવ્યા અને તેઓએ એમની પાસે મૂર્તિપૂજક સમુદાયની દીક્ષા લીધી. શ્રી અમીરખજી સ્વામી બહુ તેજસ્વી અને દેખાવે પ્રભાવશાળી હતા. તેઓ શ્રી અજિતસાગરજી બન્યા અને સમય જતાં મહારાજશ્રીના પટ્ટશિષ્ય બન્યા. તેઓ કુશળ વક્તા હતા અને તેમણે પણ ઘણા ગ્રંથો લખ્યા હતા. શ્રી બુદ્ધિસાગરસૂરિ મહારાજના જીવન અને સાહિત્ય ઉપર આનંદઘનજી, દેવચંદ્રજી અને ઉપાધ્યાય યશોવિજયજીના સાહિત્યની ઘણી ઊંડી અસર પડી છે. એ ત્રણેનું જીવનચરિત્ર એમણે લખ્યું છે. દેવચંદ્રજીના ગ્રંથોનું એમણે સંપાદન કરીને બે ભાગમાં પ્રકાશન કર્યું હતું. આનંદઘનજીનાં પદો ઉપર એમણે સવિસ્તર જે વિવેચન કર્યું છે તે જોતાં તત્ત્વના ઊંડાણમાં જવાની તેમની અધિકારશક્તિ કેટલી મોટી છે તેની પ્રતીતિ થાય છે. સ્વ. બુદ્ધિસાગરસૂરિએ પોતે પણ અનેક પદો, સ્તવનો, શ્રી બુદ્ધિસાગરસૂરિ મહારાજ ૧૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002031
Book TitleCharitra Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy