SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ શૈશવના પ્રસંગોને તેમણે એ રીતે તાદશ કરી આપ્યા છે. તેમનું ગદ્ય સરળ-સહજ પણ કલ્પનાવિરોધી નથી. બેરર ધોન્ડીના દેખાવનું સચોટ ચિત્ર આંખ આગળથી ખસે તેવું નથી. આ ચરિત્રોનું ગદ્ય ઉષ્માપૂર્ણ પણ રહ્યું છે. લેખકે લખવા ખાતર નથી લખ્યું, પણ “ભાવ થી કે “ભાવના થવાથી” લખ્યું હોવાથી જૈન સાધુ-સાધ્વીઓ ઉપર લખતા હોય કે ચંદ્રવદન-હંસાબહેન વિશે કે બારશી વિશે લખતા હોય પેલી ઉખાનો અનુભવ થઈ રહે છે. તેમનો તેવી વ્યક્તિ તરફનો આદર, વંદન કે ભાવ તરત અનુભવી રહેવાય. આવાં ચરિત્રો લખનારની સામે “ચરિત્ર'નો નાયક જીવનના ગમે તે અંતિમે જીવ્યો હોય પણ છેવટે ત્યાં ક્યાંક માનવતા સાથે તેનું અનુસંધાન અથવા તો વિધિના તરકટ સંદર્ભે કશુંક એવું જોડાણ પ્રતીત થવું જોઈએ કે નૈતિકતા વિરુદ્ધનો પ્રસંગ પણ નૈતિકતા વિરુદ્ધનો ન બની રહે. એવી વ્યક્તિ માટે તિરસ્કાર ન હોઈ શકે, તેનાં એવાં કોઈ કાર્ય માટે ઘણા ન હોવી જોઈએ. આ સ્વરૂપે એમ Morality સાથે કામ પાર પાડવાનું છે. રમણલાલનાં વૃત્તિ-વલણ અને ગદ્ય બંનેની તદાકારતા આવા પ્રસંગે ખીલી ઊઠે છે. બારશીનું ચરિત્ર તેનું સારું દૃષ્યત છે. રમણલાલના ગદ્યને આમ તેમનાં ચરિત્રોથી અલગ ન કરી શકાય એવા અંગગીભાવે ખીલતું-પાંગરતું, ચરિત્ર અને એનો અર્થ ઊભું કરવું જોઈ શકીએ છીએ. એક બીજી, નોંધવી પડે તેવી બાબત પણ આ ચરિત્રો અને તેના ગદ્યમાંથી સતત પ્રતીત થયા કરે છે. અલબત્ત, અગાઉ તેનો સંકેત કર્યો છે જ. આ સઘળાં ચરિત્રો, જે તે ચરિત્રનાયક કે નાયિકાને તો અમુક રૂપે ઉપસાવી આપે છે જ પણ આ વૈવિધ્યપૂર્ણ ચરિત્રો અને ગદ્યવિધાનમાંથી એના લખનારની બહુમુખી શક્તિઓ, તેમના ખુદનું અંદર-બહારનું વ્યક્તિત્વ પણ જુદે જુદે રૂપે અણસાર આપતાં રહે છે. ચરિત્ર માટેનો સમભાવ અને સાથે અનાસક્તિ તો છે જ, પણ કોઈને ક્યાંય અન્યાય ન થાય, કશે ચરિત્રનાયક વિશે ખોટી છાપ ઊભી ન થાય તેનું પણ તેમણે સતત ધ્યાન રાખ્યું છે. સાથે ભાષા ક્યાંય કોઈને દૂભવે કે કોઈ તેથી દુખાય નહિ એ રીતે યોજાઈ છે. રમણલાલની એવી સુજનતા, એવું આભિજાત્ય પણ આ ચરિત્રોની પડછે પમાય છે. કહો કે સુજન ચરિત્રકારની સુજનતા ભરેલી ગદ્યશૈલીની પ્રસાદીરૂપ આ ચરિત્રસૃષ્ટિ છે. ગુજરાતી ભાષાના ચરિત્રઇતિહાસમાં રમણલાલનું નામ થોડાક મોખરાના ચરિત્રકારો સાથે મૂકવું પડે તેવી સંપન્નતા આ ચરિત્રોની એમ રહી છે. આ સત્કાર્યમાં મને નિમિત્ત બનાવનાર સૌ પ્રત્યે હું સાદર કૃતજ્ઞતા પ્રકટ કરું છું. લુણાવાડા - પ્રવીણ દરજી ૧૭-૪-૦૬ ३९ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002031
Book TitleCharitra Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy