SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ સન્માનપત્ર વગેરે ઘણાં મળ્યાં છે. અમેરિકા, ઇંગ્લેન્ડ, સ્વિન્ઝરલેન્ડ, સ્વીડન, જર્મની વગેરે દેશો તરફથી એમને સહાય મળી છે. દોશીકાકાએ કેટલીયે સંસ્થામાં પ્રમુખ, માનદ્ મંત્રી, ટ્રસ્ટી, સમિતિના સભ્ય તરીકે કાર્ય કર્યું છે. સરકારની સમિતિઓમાં પણ કાર્ય કર્યું છે. આ બધાંની વિગતો આપવામાં આવે તો એક મોટી યાદી થાય. દોશીકાકાએ જ્યારથી મફત નેત્રયજ્ઞનું કામ ઉપાડી લીધું ત્યાર પછી ચિખોદરા હોસ્પિટલ દ્વારા દર અઠવાડિયે ગુજરાતનાં જુદાં જુદાં ગામોમાં નેત્રયજ્ઞો થવા લાગ્યા. તે માટે મહિના અગાઉથી નક્કી કરેલાં ગામોમાં સર્વે કરવા માટે ટીમ રોજેરોજ રવાના થતી. દોશીકાકાને કેટલાયે સેવાભાવી આંખના ડૉક્ટરોની સેવા મળવા લાગી. આમ અત્યાર સુધીમાં ૮૦૦થી વધુ જેટલા નેત્રયજ્ઞોનું દોશીકાકાએ આયોજન કર્યું છે. દરેક નેત્રયજ્ઞમાં દોશીકાકા પોતે હાર હોય જ. ચિખોદરાની હોસ્પિટલમાં અગાઉ દોશીકાકા ઓપરેશન કરતા. હાલ ૮૯ વર્ષની ઉંમર થઈ, પણ કોઈ ડૉક્ટર ન આવ્યા હોય તો દોશીકાકા પોતે ઓપરેશન કરે. અત્યાર સુધીમાં અઢી લાખથી વધુ મફત ઓપરેશન થયાં છે. કુદરતની મહેરબાની કેવી છે કે ૮૯૯૦ વર્ષની ઉંમરે કાકાને પોતાને હજુ મોતિયો આવ્યો નથી. સાપ્તાહિક નેત્રયજ્ઞ ઉપરાંત ગાંધી પરિવાર તરફથી જમશેદપુરમાં અને રાજસ્થાનમાં જયપુર નજીક જૂનજૂન જિલ્લામાં એક સ્થળે અંબુજા સિમેન્ટ તરફથી આઠ-દસ દિવસનો મોટો નેત્રયજ્ઞ યોજાય છે. કાકા એમાં પણ સમયસર પહોંચી જાય છે. આંખના દવાખાનામાં રોજ સવારથી જ ઘણા માણસો આંખ બતાવવા આવી જાય. દોશીકાકા ઉપરાંત આંખ તપાસનારા બીજા ડૉક્ટરો પણ હોય. પણ ઘણા દર્દીઓ પોતાની આંખ દોશીકાકાને જ બતાવવાનો આગ્રહ રાખે. એટલે એમને માટે ઘણી મોટી લાઈન થાય. એટલે કાકાના સહકાર્યકર્તાઓમાંથી કોઈકે સૂચન કર્યું કે કાકા, તમને બતાવવાનો આગ્રહ રાખનાર દર્દી પાસે આપણે પાંચ કે દસ રૂપિયાની ફિ રાખીએ તો કેમ ? એથી થોડો બોજો ઓછો થશે, વિના કારણ આગ્રહ રાખનારા નીકળી જશે અને સંસ્થાને આવક થશે !' કાકાએ થોડી વાર પછી હસતાં કહ્યું, ભાઈ, દરિદ્રનારાયણ પાસે ફીની વાત કરવી એ મને યોગ્ય લાગતું નથી. દર્દી એ આપણા દેવ જેવો છે. એનું દર્દ દૂર કરીએ એ જ આપણું ધ્યેય હોવું જોઈએ.’ એક વખત એક નેત્રયજ્ઞમાં એક બાપ પોતાના નાના દીકરાને લઈને આવ્યા હતા. તેની બંને આંખ સદંતર ગઈ હતી. કાકાએ કહ્યું ત્યારે બાપ કાકાના પગ પકડી કરગરવા લાગ્યા. કાકાને કડવું સત્ય કહેવું પડ્યું. પણ એ કહેતાં કહેતાં કાકા અમારા પૂજ્ય શ્રી દોશીકાકા ૧૭૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002031
Book TitleCharitra Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy