SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ નિશાની બહુ સારી ન ગણાય. એટલે કે જીવનનો અંત ધાર્યા કરતાં હવે ઘણી ઝડપથી પાસે આવી રહ્યો છે. કેન્સર પેટમાં વધારે પ્રસરતું જતું હતું. બીજા દિવસથી એમની માંદગી ઘણી વધી ગઈ. પ્રવાહી આહાર પણ ઘટવા લાગ્યો, જાતે ઊઠવા-બેસવાની શક્તિ ક્ષીણ થઈ ગઈ. ધર્મશ્રવણ માટેની ઉત્સુકતા વધવા લાગી. બાજુના ઉપાશ્રયમાંથી પૂ. ધર્મશીલાશ્રીજી મહાસતીજી તથા અન્ય મહાસતીજી સવાર-સાંજ આવીને સ્તોત્રો ઈત્યાદિ સંભળાવવા લાગ્યાં. ચીમનભાઈ પણ મહાસતીજી સાથે તે સ્તોત્રો બોલવા લાગ્યા. યંત્રવત્ થાય તોપણ રટણ કરવાનું હવે તેમને રુચવા લાગ્યું. વળી, “હે અરિહંત ભગવાન, હું તમારે શરણે છું.” એવું રટણ પણ તેઓ વારંવાર કરવા લાગ્યા. કારતક સુદ ચોથની રાત્રે હું તેમની પાસે ઊભો હતો. હાથ-પગ પોતાની મેળે ઊંચાનીચા કરી શકે એટલી શક્તિ પણ હવે તેમના શરીરમાં રહી ન હતી. આંખો સહેજ ખોલતા, પરંતુ નિહાળવાની શક્તિ ઘણી ઓછી થઈ ગઈ હતી. હજી તેઓ સાંભળી શકતા હતા અને કંઈ પૂછીએ તો થોડી વારે ધીમે ધીમે ઉત્તર આપતા હતા. બીજે દિવસે સવારે હું તેમની પાસે ગયો ત્યારે તેઓ મોં આખું ખોલીને જે રીતે લાંબા શ્વાસ લઈ રહ્યા હતા તે જોતાં એમની અંતિમ પળ પાસે આવી રહી છે એમ લાગ્યું. પૂ. મહાસતીજી શ્રી ધર્મશીલાએ “સહજાનંદી શુદ્ધસ્વરૂપી અવિનાશી હું આત્મા છું.” એ પદનું રટણ ચાલુ કર્યું હતું. પૂ. મહાસતીજીએ એમને કહ્યું, ચીમનભાઈ! તમને બધાં પચ્ચખાણ સાથે સંથારો લેવડાવું ?” એ વખતે ચીમનભાઈએ સંમતિ દર્શાવી અને પોતાની મેળે બે હાથ ઊંચા જોડ્યા અને પથારીમાં બેઠા થઈ ગયા. આટલી બધી તાકાત એમના શરીરમાં અચાનક ક્યાંથી આવી ગઈ એ નવાઈ પમાડે તેવું દૃશ્ય હતું. મહાસતીજીએ સંથારો ઉચ્ચાર્યો તે પછી ચીમનભાઈના ચહેરા પર નિર્દોષ પ્રસન્નતા અને અસાધારણ તેજ પથરાઈ ગયાં. આ એક ચમત્કૃતિ-ભરેલી ઘટના બની ગઈ. મનુષ્યને ધર્મના તત્ત્વમાં શ્રદ્ધા પ્રેરે એવી એ ઘટના હતી. ત્યાર પછી થોડી વારે તેમણે પોતાનો દેહ છોડ્યો. અવસાન પછી ચીમનભાઈના શરીરમાં ધીમે ધીમે તેજ વધવા લાગ્યું. હવે એમની આંખો પોતાની મેળે ખુલ્લી રહેવા લાગી. ડૉક્ટરના બંધ કરવા છતાં તે બંધ રહેતી નહોતી. એમના ચહેરા ઉપર સ્વસ્થતા અને શાંતિ પથરાયેલાં દેખાતાં હતાં. ચીમનભાઈના લૌકિક જીવનનો આ રીતે અંત આવ્યો. એક મહાન વિભૂતિની જીવનલીલા આ રીતે પૂર્ણ થઈ. છેલ્લી માંદગી દરમિયાન ચીમનભાઈની ધર્મતત્ત્વની ખોજ વિશેષપણે ચાલી. પોતાને જે અનુભવો થતા ગયા તે તેમણે પ્રબુદ્ધ જીવનના છેલ્લા ત્રણ અંકોમાં ચીમનલાલ ચકુભાઈ શાહ એ ૧૨૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002031
Book TitleCharitra Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy