SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ આવશ્યક ક્રિય સામાયિક ‘સામાયિક” શબ્દ જૈન ધર્મનો એક અત્યંત મહત્ત્વનો, વિશિષ્ટ કોટિનો ગહનગંભીર પારિભાષિક શબ્દ છે. તત્ત્વદર્શનની દૃષ્ટિએ ‘સામાયિક’ના સ્વરૂપમાં જૈન ધર્મનું ઉચ્ચતમ તત્ત્વદર્શન સમાયેલું છે અને સ્થૂલ ક્રિયાવિધિની દૃષ્ટિએ ‘સામાયિક' જૈન ધર્મનું એક ઉત્તમોત્તમ આધ્યાત્મિક અનુષ્ઠાન છે. Jain Education International સામાયિક એટલે આત્મા એવી સામાયિકની શ્રેષ્ઠતમ વ્યાખ્યા કરવામાં આવી છે અને સામાયિક' એટલે ‘સાધકે રોજેરોજ ક૨વાનું પરમ આવશ્યક કર્તવ્ય’ એમ કહેવાયું છે. મિથ્યાત્વ અને અનંતાનુબંધી કષાયો જીવને સંસારમાં અનંત પરિભ્રમણ કરાવે છે. પરિભ્રમણ કરતા જીવનું અંતિમ લક્ષ્યસ્થાન મોક્ષગતિ છે. એની પ્રાપ્તિ જ્યાં સુધી નથી થતી ત્યાં સુધી ભવચક્રમાં એ ભટક્યા કરે છે. મોક્ષપ્રાપ્તિ અર્થાત્ ભવચક્રમાંથી મુક્તિ કેવી રીતે થાય ? ‘તત્ત્વાર્થસૂત્ર'માં વાચક ઉમાસ્વાતિએ કહ્યું છે : સભ્ય વર્શનજ્ઞાન ચરિત્રળિ મોક્ષમાń । (સમ્યગ્દર્શન, સમ્યાન અને સમ્યક્ચારિત્ર એ મોક્ષમાર્ગ છે). માર્ગ શબ્દ એમણે એકવચનમાં પ્રયોજ્યો છે. એનો અર્થ એ થયો કે માત્ર સમ્યગ્દર્શનથી કે માત્ર સમ્યગ્નાનથી કે માત્ર સમ્મારિત્રથી નહિ પણ એ ત્રણે તત્ત્વો સાથે મળીને જ મોક્ષમાર્ગની પ્રાપ્તિ કરાવી શકે. આ રત્નત્રયીની આરાધના કરતાં જીવ રાગદ્વેષમાંથી, કષાયોમાંથી મુક્તિ મેળવી શકે છે, જે કેવળજ્ઞાન પ્રગટ થવામાં અને નિર્વાણ અથવા સિદ્ધદા પ્રાપ્ત થવામાં સહાયભૂત થઈ શકે છે. સંસારના સર્વ જીવો પ્રત્યે આત્મવત્ તુલ્યતાના ભાવ માટે, વિભિન્ન વિષમ પરિસ્થિતિમાં રાગદ્વેષથી રહિત થવા માટે સમત્વની સાધના જરૂરી છે. સમત્વની સાધના માટે સામાયિક' અમોઘ સાધન છે. એટલા માટે જ સામાયિક ૩૪ * જૈન આચારદર્શન For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002030
Book TitleJain Achar Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages384
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Achar, & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy