SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રાવકના અધિકારમાં એવું નિરૂપણ છે કે એમણે ઉપાસક પ્રતિમા' ધારણ કરી હતી અને તેઓ છેલ્લી અગિયારમી પ્રતિમા સુધી પહોંચી ગયા હતા. ‘ઉપાસકદશાંગસૂત્ર’માં લખ્યું છે : तणं से आणंदे समणोवासए पढमं उवासगपडिमं उवसंपज्जित्ताणं विहरइ जाव पढमं उवासगपडिमं अहासुत्तं, अहाकप्पं, अहामग्गं, अहातच्वं सम्मं कारणं फासेइ, पालेइ, सोहेइ, તીરે, હ્રીત્તેર, બોહેફ । [ત્યાર પછી શ્રમણોપાસક આનંદે પહેલી ઉપાસક પ્રતિમા ધારણ કરી યાવત્ પહેલી ઉપાસક પ્રતિમા તેમણે યથાશ્રુત (શાસ્ત્ર પ્રમાણે), યથાકલ્પ (આચાર પ્રમાણે), યથામાર્ગ (વિધિ પ્રમાણે), યથાતત્ત્વ સિદ્ધાન્ત પ્રમાણે), સમ્યક્ પ્રકારે ગ્રહણ કરી, તેનું પાલન કર્યું, શોભિત (શોધિત) કરી. તીર્ણ કરી (સારી રીતે પાર પાડી), કીર્તિત કરી અને આરાધિત કરી.] तणं से आणंदे समणोवासए दोच्चं उवासगपडिमं, एवं तच्चं, चउत्यं, पंचमं, छठ्ठे, સત્તમં, ગટ્ટમ, નવમં, વસમ, વારમાં બ્રહામુત્ત, મહાપં, બ્રહામાં, અહાતાં, સમાં જાળ સેફ, પાલર, સોહેર, તીડ, જીજ્ઞેફ. ગાહેડ઼ા [ત્યાર પછી શ્રમણોપાસક આનંદે બીજી, ત્રીજી, ચોથી, પાંચમી, છઠ્ઠી, સાતમી, આઠમી, નવમી, દસમી અને અગિયારમી ઉપાસક પ્રતિમાની આરાધના કરી એટલે કે તે પ્રતિમાઓને યથાશ્રુત, યથાકલ્પ, યથામાર્ગ, યથાતત્ત્વ, સારી રીતે સ્પર્શના કરી, પાલન કરી, શોભિત (શોધિત) કરી, પા૨ પાડી, અને કીર્તિત કરી.] શ્રાવકની આ અગિયાર પ્રતિમાઓનું સવિગત વર્ણન દશાશ્રુતસ્કંધ-સૂત્રના છઠ્ઠા અધ્યયનમાં આવે છે. આ અગિયાર પ્રતિમાઓનો ક્રમાનુસાર નામોલ્લેખ નીચેની એક ગાથામાં કરવામાં આવ્યો છે. दंसणं वयं सामाइअ पोसह पडिमा अबंभसचित्ते । आरंभ पेस उद्दिट्ठ वज्जए समणभूए अ ॥ અગિયાર પ્રતિમાનાં નામ આ પ્રમાણે છે : (૧) દર્શનપ્રતિમા (૨) વ્રપ્રતિમા (૩) સામાયિકપ્રતિમા, (૪) પૌષધપ્રતિમા, (૫) ‘પડિમાપ્રતિમા' એટલે કાયોત્સર્ગપ્રતિમા, (૬) અબ્રહ્મવર્જનપ્રતિમા (બ્રહ્મચર્યપ્રતિમા), (૭) સચિત્તવર્જનપ્રતિમા, (૮) આરંભ-વર્જનપ્રતિમા, (૯) પ્રેષ્ય-વર્જનપ્રતિમા, (૧૦) ઉદ્દિષ્ટવર્જનપ્રતિમા અને (૧૧) શ્રમણભૂતપ્રતિમા. આ અગિયાર પ્રતિમાઓના ઉદ્દેશ અંગે કહેવાયું છે કે : विधिना दर्शनाद्यानां प्रतिमानां प्रपालनम् । या स्थित गृहस्थोऽपि विशुद्धयति विशेष तः ॥ ૨૦ * જૈન આચારદર્શન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002030
Book TitleJain Achar Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages384
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Achar, & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy