SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ માગણી મંજૂર રાખી અને પોતાના ઘેરથી જ શરૂઆત કરી. ચક્રવર્તી રાજાના ઘરના ચૂલાની રસોઈ ખાઈને બ્રાહ્મણને એટલો આનંદ અને એટલી તૃપ્તિ થઈ કે બીજી વાર રાજાને ઘેર ખાવાનું એને મન થઈ ગયું. પણ હવે તો આખા રાજ્યના બધ ઘેર એકએક દિવસ એ ખાઈ લે ત્યાર પછી રાજાને ઘેર ફરી એનો વારો આવે, પણ ત્યાં સુધી એ જીવે એવો સંભવ જ નહોતો. તેમ છતાં કદાચ રાજાને ઘેર બીજી વાર જમવાની એને તક મળે એ શક્ય છે. પણ માનવજન્મ મેળવવો એટલી સહેલી વાત નથી. (૨) પાસો : ચાણક્યની પાસે દેવતાઈ સિદ્ધિના પ્રતાપે એવી વિદ્યા હતી કે જે વડે ઘૂતમાં કેવા પાસા પડવાના છે એની એને ખબર પડી જતી અને એ હંમેશાં જીતી જતો. એટલે એનો હરીફ કોઈ દિવસ જીતી શકતો જ નહિ. તેમ છતાં એ વિદ્યાનો પ્રભાવ ઘટી જતાં કોઈક વખત ચાણક્ય હારી પણ જાય, પણ તે તો લગભગ અશક્ય જ. માનવજન્મ પણ એવો જ દુર્લભ છે. (૩) ધાન્ય: આખા ભારતવર્ષના બધા ચોખાનો એક જબરદસ્ત મોટો ઢગલો કરવામાં આવે અને એમાં એક શેર સરસવના દાણા નાખીને હલાવી નાખવામાં આવે. ત્યાર પછી એક ડોશીમાને એમાંથી સરસવના બધા ધણા જુદા કાઢી એકઠા કરી આપવાનું કહે તો તે શક્ય નથી; પણ કદાચ કોઈક વખત એ શક્ય બને. પણ માનવભવ એટલી સહેલાઈથી મળવો શક્ય નથી. જી ધૂત : એક રાજસભાના ૧૦૮ સ્તંભો છે અને દરેક સ્તંભને ૧૦૮ ખૂણા છે. એ રીતે જેટલા ખૂણા થાય એટલી વાર, એક પણ વખત હાર્યા વિના, કંઈ પણ ઠગાઈ કે વિદ્યા વગર જુગારમાં જીતવું શક્ય તો નથી જ. છતાં પણ ક્યારેક એ શક્ય બને. પણ માનવજન્મ એટલો સહેલો નથી. (૫) રત્નઃ કોઈ એક ધનાઢ્ય વેપારી બહારગામ ગયો. દરમ્યાન એના પુત્રે એનાં અનેક કીમતી રત્નો વેચી ખાધાં. એકની પાસેથી બીજા પાસે જ્યાં અને એમ કરતાં કરતાં જુદા જુદા માણસો મારફતે ફરતાં ફરતાં એ રત્નો આખા દેશમાં ફેલાઈ ગયાં. ઘણે વર્ષે પાછા ફરેલા એ વેપારીને એની ખબર પડી. પરંતુ હવે બધાં જ રત્નો પાછાં મેળવવાં એને માટે અશક્ય છે. છતાં એ કદાચ એટલી સહેલાઈથી શક્ય બને એટલી સહેલાઈથી માનવજન્મ મળવો શક્ય ન બને. (૬) સ્વપ્નઃ મૂળદેવ નામના એક જુગારીને સ્વપ્ન આવ્યું કે પોતે ચંદ્રને ગળી ગયો. ત્યાર પછી સાતમે દિવસે એને થોડા સમય માટે રાજ્ય મળ્યું. પણ એનું એ સ્વપ્ન એને ફરી આવે અને ફરી એને સાતમે દિવસે રાજ્ય મળે એ શક્ય નથી, છતાં પણ ક્યારેક એ શક્ય બને. પણ માનવજન્મ એટલો સહેલો નથી. ૮ ૯ જૈન આચારદર્શન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002030
Book TitleJain Achar Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages384
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Achar, & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy