SearchBrowseAboutContactDonate
Page Preview
Page 354
Loading...
Download File
Download File
Page Text
________________ વિનયવિજયજીના મનમાં હતું કે પોતાનો અધૂરો રહેલો રાસ પૂરો કરવાને સમર્થ ત્યારે એકમાત્ર શ્રી યશોવિજયજી જ હતા. શ્રી યશોવિજયજી એમના મનમાં એ ભાવને પામી ગયા. એમણે તરત શ્રી વિનયવિજયજીને કહ્યું. “આપનો રાસ જ્યાંથી અધૂરો છે ત્યાંથી અવશ્ય તે હું પૂરો કરીશ.' એમના આ વચનથી શ્રી વિનયવિજયજીને શાંતિ થઈ. પછી થોડા સમયમાં જ તેઓ કાળધર્મ પામ્યા. ત્યાર પછી શ્રી યશોવિજયજીએ છેલ્લો ખંડ લખી ‘શ્રીપાળ રાસ પૂરો કર્યો. મધ્યકાલીન જૈનસાહિત્યમાં બે સમર્થ કવિઓને હાથે લખાયેલી એક જ કૃતિ તરીકે તે સુપ્રસિદ્ધ છે. શ્રી યશોવિજયજીએ પૂરા હર્ષોલ્લાસ સાથે એ રાસ પૂરો કર્યો હોવાથી તત્ત્વવિચારથી સભર એમની કાવ્યમયવાણી તેમાં કોઈ જુદું જ રૂપ ધારણ કરે છે. આ “શ્રીપાળ રાસ' ત્યારથી અદ્યાપિ પર્યત જૈનોમાં આયંબિલની ઓળીના દિવસોમાં વાંચવાની પરંપરા ચાલી આવી. ગુરુ - શિષ્યપરંપરા શ્રી યશોવિજયજીએ પ્રતિમાશતક' નામની પોતાની કૃતિ ઉપર પોતે જ રચેલી વૃત્તિમાં પોતાની ગુરુપરંપરાનો પરિચય આપ્યો છે. તેમાં તેમણે અકબર પ્રતિબોધક શ્રી હીરવિજયસૂરિથી એ પરંપરાની શરૂઆત કરી છે. તેમાં તેમણે શ્રી હીરવિજયસૂરીશ્વરના શિષ્ય શ્રી કલ્યાણવિજયજી, તેમના શિષ્ય શ્રી લાભવિજયજી અને તેમના બે શિષ્યો તે શ્રી જીતવિજયજી અને નવિજયજીનો ઉલ્લેખ કર્યો છે. શ્રી નવિજયજીગણિ શ્રી યશોવિજયજીના દીક્ષાગુરુ હતા. શ્રી યશોવિજયજીના ભાઈએ – શ્રી પદ્માવજયજીએ પણ શ્રી નવિજયજી પાસે જ દીક્ષા લીધી હતી. શ્રી હીરવિજયસૂરિના બીજા બે મુખ્ય શિષ્યો તે શ્રી વિજયસેનસૂરિ અને શ્રી કીર્તિવિજયજી ઉપાધ્યાય હતા. શ્રી વિજયસેનસૂરિના શિષ્ય તે શ્રી વિજયદેવસૂરિ. એમના શિષ્યો તે શ્રી વિજયસિંહસૂરિ અને શ્રી વિજયપ્રભસૂરિ હતા. શ્રી કીર્તિવિજયજી ઉપાધ્યાયના શિષ્ય શ્રી વિનયવિજયજી ઉપાધ્યાય હતા. - શ્રી યશોવિજયજી ઉપાધ્યાય પોતાના શિષ્યોમાં શ્રી ગુણવિજયગણિ, શ્રી તત્ત્વવિજય અને શ્રી લક્ષ્મીવિજય ગણિ હતા. શ્રી ગુણવિજય ગણિની શિષ્ય પરંપરામાં શ્રી કેસરવિજય ગણિ, એમના શિષ્ય શ્રી વિનીતવિજય ગણિ અને એમના શિષ્ય શ્રી દેવવિજય ગણિ હતા. સ્વર્ગવાસ સં. ૧૭૪૩નું ચાતુર્માસ શ્રી યશોવિજયજી મહારાજે તત્કાલીન સુપ્રસિદ્ધ ઐતિહાસિક નગરી દર્ભાવતી(ડભોઈ)માં કર્યું હતું. પાંચ (અથવા આ) દાયકાથી અધિક વર્ષ દીક્ષા પર્યાયનો થતાં હતાં. હવે એમની કાયા રોગથી ગ્રસ્ત થઈ હતી. ર૯૮ જૈન આચારદર્શન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002030
Book TitleJain Achar Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages384
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Achar, & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy