SearchBrowseAboutContactDonate
Page Preview
Page 351
Loading...
Download File
Download File
Page Text
________________ વિદ્યાગુરુ વિશે દંતકથા ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજના વિદ્યાગુરુ વિશે નીચે પ્રમાણે એક દંતકથા પણ પ્રચલિત છે : એક વખત શ્રી યશોવિજયજી મહારાજ ખંભાતમાં પધાર્યા હતા. એક દિવસ તેઓ ઉપાશ્રયમાં જ્યારે વ્યાખ્યાન આપી રહ્યા હતા તે વખતે ત્યાં કોઈ એક વયોવૃદ્ધ સજ્જન આવ્યા અને સભાને છેડે વ્યાખ્યાન સાંભળવા બેસી ગયા. મહારાજની તેના પર નજર પડી, એથી તેમને ઘણું આશ્ચર્ય થયું. કારણ કે એ સજ્જન તે એમના વિદ્યાગુરુ ભટ્ટાચાર્ય હતા. તેમણે તે સજ્જનને વંદન કર્યું, એથી સૌ તે વૃદ્ધ સજ્જન તરફ કૌતુકથી જોવા લાગ્યા. અને ઉપાધ્યાયજી મહારાજ સાહેબ જેમને વંદન કરે છે તે વ્યક્તિ કોણ હશે તે વિશે તર્ક કરવા લાગ્યા. તે સમયે ઉપાધ્યાયજી મહારાજે કહ્યું કે, “આ એ વ્યક્તિ છે કે જેની પાસે કાશીમાં મેં નવ્યન્યાનું અધ્યયન કર્યું છે. મારા એ વિદ્યાગુરુ છે. એમનો હું અત્યંત ઋણી છું. તમારે એનો યોગ્ય સત્કાર કરવો જોઈએ.” એ સાંભળી ખંભાતના શ્રી સંઘે તરત રૂપિયા સત્તર હજારની રકમ એકઠી કરી અને બ્રાહ્મણ પંડિતને ગુરુદક્ષિણામાં આપી. પોતાના શિષ્યનો આવો પ્રભાવ જોઈ હર્ષ પામી વિદ્યાગુરુએ વિદાય લીધી. શ્રી આનંદઘનજી અને શ્રી યશોવિજયજી - શ્રી યશોવિજયજી મહારાજ અને શ્રી આનંદઘનજી મહારાજ સમકાલીન હતા. આનંદઘનજી વયોવૃદ્ધ, જ્ઞાનવૃદ્ધ અને અનુભવવૃદ્ધ હતા એટલે શ્રી આનંદઘનજીનાં દર્શન માટે શ્રી યશોવિજયજી અત્યંત ઉત્સુક હતા. જ્યારે તેમનું મિલન થયું ત્યારે શ્રી યશોવિજયજીને ઘણો આનંદ થયો હતો. એ ઘટના ઐતિહાસિક અને નિર્વિવાદ છે. શ્રી યશોવિજયજીએ શ્રી આનંદઘનજીની સ્તુતિરૂપી રચેલી “અષ્ટપદી' તેના પુરાવારૂપ છે. એ અષ્ટપદીમાંની જસવિજયે કહે સુનો આનંદઘન, હમ તુમ મિલે હજુર', “જસ કહે સોહી આનંદઘન પાવત, અંતજ્યોત જગાવે’, ‘આનંદકી ગત આનંદઘન જા', ‘એસી દશા જબ પ્રગટે ચિત્ત અંતર, ‘સોહી આનંદઘન પિછાને, એહી આજ આનંદ ભયો મેરે, તેરે મુખ નીરખ નીરખ, રોમ રોમ શીતલ ભયો અંગો અંગ” ઈત્યાદિ પંક્તિઓ શ્રી યશોવિજયજીને શ્રી આનંદઘનજી પ્રત્યે કેટલો બધો ઉચ્ચાદર હતો તે દર્શાવે છે. આનંદઘનજીનાં દર્શનનો પોતાના જીવન ઉપર કેટલો બધો પ્રભાવ પડ્યો તે નમ્રતાપૂર્વક દર્શવતાં તેઓ લખે છે : ‘આનંદઘન કે સંગ સુજસહી મિલે જબ. તબ આનંદસમ ભયો સુજસ; પારસ સંગ લોહા જો ફરસતા કચન હોત કી તાકે કસ.' ઉપાધ્યાય શ્રી યશોવિજયજી ૨૯૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002030
Book TitleJain Achar Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages384
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Achar, & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy