SearchBrowseAboutContactDonate
Page Preview
Page 346
Loading...
Download File
Download File
Page Text
________________ વડે ખંડન કરીને શ્વેતામ્બર મતનું પ્રસ્થાપન કર્યું છે. ગૂર્જર સાહિત્ય - રચના વિશે દંતકથા ઉપાધ્યાય શ્રી યશોવિજયજીએ સંસ્કૃત અને પ્રાકૃતમાં ઘણી વિદ્વભોગ્ય કૃતિઓની રચના કરી છે, તેવી જ રીતે તેમણે પોતાના સમયની બોલાતી ગુજરાતી ભાષામાં પણ ઘણી કૃતિઓની રચના કરી છે. લોકભાષા ગુજરાતીમાં કૃતિ રચવા અંગે તેમને વિશે એક દંતકથા એવી છે કે જ્યારે તેઓ કાશીમાં અભ્યાસ પૂરો કરીને પોતાના ગુરમહારાજ સાથે વિહાર કરતા હતા, ત્યારે કોઈ એક ગામમાં સાંજે પ્રતિકમણમાં કોઈ એક શ્રાવકે શ્રી નવિજયજી મહારાજને વિનંતી કરી કે શ્રી યશોવિજયજી મહારાજ સઝાય સંભળાવે. જવાબમાં શ્રી યશોવિજ્યજીએ જણાવ્યું કે, “મને કોઈ સઝાય કંઠસ્થ નથી.” એ સાંભળી તે શ્રાવકે આવેશમાં અને કટાક્ષમાં કહ્યું, ‘ત્યારે શુ ત્રણ વર્ષ કાશીમાં રહીને તમે ઘાસ કાપ્યું, શ્રી યશોવિજયજી મૌન રહ્યા. પરંતુ પછીથી તેમને વિચાર કરતાં જણાયું કે સંસ્કૃત કે પ્રાકૃત ભાષા બધા જ લોકો સમજી નથી શકતા માટે લોકભાષા ગુજરાતીમાં પણ પોતે રચના કરવી જોઈએ કે જેથી વધુ લોકો બોધ પામી શકે તરત નિશ્ચય કરીને તેમણે તે અમલમાં મૂક્યો. તેઓ કવિ હતા એટલે તેમણે સમકિતના ૬૭ બોલની સઝાયની રચના કરી અને તે મોઢે પણ કરી લીધી. બીજે દિવસે પ્રતિક્રમણમાં સઝાય બોલવા માટે તેમણે આદેશ માગ્યો. આદેશ મળતાં સક્ઝાય બોલવી તેમણે શરૂ કરી. સઝાય ઘણી લાંબી હતી એટલે શ્રાવકો અધીરા થઈ પૂછવા લાગ્યા, ‘હવે કેટલી બાકી રહી ? એ પૂછનારાઓમાં ઘાસ કાપવાનું કહેનાર શ્રાવક પણ હતા. એટલે શ્રી યશોવિજયજીએ કહ્યું, ‘ભાઈ ત્રણ વરસ ઘાસ કાપ્યું તેના આજે પૂળા, બંધાય છે, એટલા બધા પૂળા બાંધવામાં વાર તો લાગે જ ને ?” શ્રાવક તરત વાત સમજી ગયો અને પોતે મહેણું માર્યું હતું તે માટે માફી માગવા લાગ્યો. શ્રી યશોવિજયજીની તેજસ્વિતાનો ત્યાંના શ્રાવકોને ત્યારે સાચો પરિચય થયો. મહોબતખાન સમક્ષ અઢાર અવધાનનો પ્રયોગ આગ્રાથી વિહાર કરી શ્રી નવિજયજી પોતાના શિષ્યવૃન્દ સાથે રાજનગર(અમદાવાદ)માં પધાર્યા. તેમનું ભવ્ય સ્વાગત થયું. અમદાવાદમાં તેમણે નાગપુરીય સરાહમાં (રતનપોળના ઉપાશ્રયમાં) મુકામ કર્યો. એ સમયે દિલ્હીના મોગલ બાદશાહ ઔરંગઝેબની આણ હેઠળ રાજનગર(અમદાવાદ)માં મહોબતખાન નામનો મુસલમાન સૂબો રાજ્ય કરતો હતો. તે ઉદારદિલ હતો. તે સદ્દગુણની કદર કરનાર હતો. તેનામાં ધાર્મિક સંકુચિતતા નહોતી. અમદાવાદના ધનજી સૂરા વગેરે જૈન શ્રેષ્ઠિઓ તેના સંપર્કમાં હતા. રહ્યું જેન આચારદર્શન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002030
Book TitleJain Achar Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages384
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Achar, & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy