SearchBrowseAboutContactDonate
Page Preview
Page 344
Loading...
Download File
Download File
Page Text
________________ ત્યારે રસ્તામાં ચાલતાં ચાલતાં શ્રી યશોવિજયજી પોતે કંઠસ્થ શ્લોક શ્રી વિનયવિજયજીને શીખવતા અને શ્રી વિનયવિયજી પોતે કંઠસ્થ કરેલા શ્લોક શ્રી યશોવિજયજીને શીખવતા. એમ કરતાં તેઓ બંનેને આખો ગ્રંથ કંઠરથ થઈ ગયો હતો. પોતાના આ બંને શિષ્યોની આટલી બધી સ્મૃતિશક્તિ અને બુદ્ધિગ્રાહ્યતા જોઈને ભટ્ટાચાર્યને પોતાને પણ અપાર આનંદ થયો. એમને એવી પાકી ખાતરી થઈ કે નવ્યન્યાય જેવો કઠિન ગ્રંથ શીખવવા માટે આ બંને શિષ્યો ખરેખર યોગ્ય પાત્ર છે. તેમને એ પણ જાણવા મળ્યું કે બંને શિષ્યો હિંદુ સંન્યાસી નહિ, પણ જૈન મુનિઓ છે. જ્ઞાન માટેની તેમની તીવ્ર પિપાસા જાણીને તેમણે શ્રી યશોવિજયજીને અને શ્રી વિનયવિજયજીને નવ્ય ન્યાયના એ “તત્ત્વચિંતામણિ' ગ્રંથનો વ્યવસ્થિત રીતે, એનાં ઊંડાં રહસ્યો સાથે અભ્યાસ કરાવ્યો. વાદવિજેતા એ દિવસોમાં કાશીની જેમ કાશ્મીર પણ વિદ્યાનું મોટું ધામ ગણાતું. કાશમીરી પંડિતો પણ વાદવિદ્યામાં ઘણા બાહોશ ગણાતા. તેઓ ભારતમાં વિદ્યાધામોમાં જતા અને વાદવિવાદ કરતા. એક દિવસ કાશમીરથી એક સંન્યાસી વાદી કાશીમાં આવ્યો હતો. તે ઘણે સ્થળે વાદમાં વિજય મેળવીને આવ્યો હતો. એની વિજયપતાકાઓ પરથી એ જણાતું હતું, તે કાશીમાં શેરીએ શેરીએ ફરીને વાદ માટે ઘોષણા કરતો હતો, પરંતુ એ સમર્થ પંડિતને કોઈ પડકારતું નહોતું. એ પરિસ્થિતિ જોઈને ભટ્ટાચાર્યને લાગ્યું કે કાશીમાં આટલા બધા પોતાના વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને જો કોઈ પડકાર નહિ ઝીલે તો કાશીની પ્રતિષ્ઠાનો પ્રશ્ન ઊભો થશે. ઘણા પંડિતો પાસે જ્ઞાન ઘણું હોય, પણ વાદ કરવામાં તેઓ સમર્થ ન હોય, કારણ કે વાદમાં પાંડિત્ય ઉપરાંત સ્મૃતિ, તર્કશક્તિ, વાદીની શબ્દ કે અર્થની ભૂલ તરત પકડવાની સૂઝ, વાદીને મૂંઝવવાની શાબ્દિક યુક્તિ-પ્રયુક્તિઓ, પ્રત્યુપન્નમતિ વગેરેની આવશ્યકતા રહે. કાશીની પ્રતિષ્ઠાનો પ્રશ્ન ઊભો થયો ત્યારે ભટ્ટાચાર્યના શિષ્યોમાંથી યુવાન શિષ્ય શ્રી યશોવિજયજીએ તે માટે પોતાની તૈયારી બતાવી. તેથી ભટ્ટાચાર્યને બહુ આનંદ થયો. તેમણે એ માટે શ્રી યશોવિજયજીને આશીર્વાદ આપ્યા. કાશ્મીરી સંન્યાસી પંડિત સાથે વાદસભા યોજાઈ. કાશમીરી પંડિતને લાગતું હતું કે, “આ જુવાન છોકરો તે વળી પોતાની સાથે કેટલો સમય વાદ કરી શકશે ? આવા છોકરડાને તો ઘડીકમાં હરાવી દેવાશે.” સભા શરૂ થતાં પંડિતે પોતાનો પક્ષ બુલંદ વાણીથી રજૂ કર્યો. સભામાં બેઠેલા સૌ પંડિતો નિર્ણાયકો, શ્રોતાઓ એથી અંજાઈ ગયા. હવે યશોવિજયજી એનો પ્રતિવાદ કેવો કરે છે તે જોવા-સાંભળવા ૨૮૮ જૈન આચારદર્શન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002030
Book TitleJain Achar Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages384
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Achar, & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy