SearchBrowseAboutContactDonate
Page Preview
Page 325
Loading...
Download File
Download File
Page Text
________________ ભય રહે છે. પરંતુ પોતાના વર્તુળના ઘણાખરા માણસો જો વ્યવસાય છોડીને, ઘરની બહાર જઈને જાહેર સ્થળમાં આરાધના કરવા જતા હોય તો માણસને તેમાં જોડાવાનું મન થાય છે. ક્યારેક બધા લોકો આરાધના કરતા હોય ત્યારે પોતે જો કમાવામાં રચ્યોપચ્યો રહે તો લજ્જા-સંકોચ થવાનો પ્રસંગ ઊભો થાય. વળી, સતત વ્યાવસાયિક-વ્યાવહારિક પ્રવૃત્તિમાં પરોવાયેલા જીવન પર્વના દિવસ નિમિત્તે મન મોકળું કરવાનો. હળવાશ અનુભવવાનો અવસર સાંપડે છે. આથી જ પર્વોનું આયોજન ધાર્મિક, આધ્યાત્મિક પ્રયોજન ઉપરાંત સામાજિક અને મનોવૈજ્ઞાનિક દષ્ટિથી પણ માનવજાત માટે ઉપકારક બન્યું છે. પર્વનો મહિમા એવો હોય છે કે માણસને ઘરમાં બેસી રહેવું ગમતું નથી. સમુદાયમાં જઈને તે કશું પ્રાપ્ત કરવા ઇચ્છે છે. સમાજના મહિલા વર્ગને પણ પર્વના દિવસોમાં બહાર જવું ગમે છે. મનુષ્યને પોતાની વૈયક્તિક ચેતનાને સામુદાયિક ચેતનાની સાથે એકરૂપ કરવાની ભાવના પર્વના દિવસોમાં થાય છે. ધાર્મિક પર્વ એ રીતે મનુષ્યની ચેતનાના વિસ્તાર અને વિકાસમાં મહત્ત્વનું યોગદાન આપે છે. જો આ ચેતનાનો અને વિકાસ એક જ દિશામાં સીધી ગતિએ ચાલ્યા કરતો હોય તો મનુષ્યજીવન નંદનવન જેવું બની જાય. પરંતુ ગતાનુગતિક રૂઢિવાદ, સામાજિક સમસ્યાઓ, રાજદ્વારી ઊથલપાથલો, સંઘર્ષ, કલહ, યુદ્ધ, દુકાળ, કુદરતી આપત્તિઓ વગેરે માનવજાતે પ્રાપ્ત કરેલી ભૌતિક સિદ્ધિઓને હણી નાખે છે અને મનુષ્ય ફરી પાછો કેટલાંક ડગલાં પાછો જાય છે. મનુષ્ય જીવનની આ એક મોટી કરુણતા છે. આપણા પૂર્વાચાર્યોએ ધાર્મિક-આધ્યાત્મિક પર્વોની જે યોજના કરી છે તે એવી ખૂબીથી કરી છે કે જેથી મનુષ્યજીવનને કાળના થોડા થોડા અંતરે આત્મિક બળ મળતું રહે. જેનું લક્ષ્ય આરાધના તરફ વિશેષ રહેલું હોય એવા લોકોને માટે તો દર બીજે કે ત્રીજે દિવસે પર્વતિથિનું નિર્માણ કરવામાં આવ્યું છે. બીજ, પાંચમ, આઠમ, અગિયારસ, ચૌદસ, પૂનમ વગેરે તિથિઓને પર્વતિથિ તરીકે ગણાવવામાં આવી છે. જેઓ પોતાના જીવનની મર્યાદાઓને કારણે આટલી પણ આરાધના ન કરી શકે તેવા ઓછી શક્તિવાળા મનુષ્યો માટે પાંચમ, આઠમ, ચૌદસ અથવા માત્ર ચૌદસપાખી)ની તિથિની આરાધના યથાશક્તિ કરવાની ભલામણ કરવામાં આવી છે. આ ઉપરાંત બીજા કેટલાક પર્વદિવસોનું પણ આયોજન થયું છે. જેમ પર્વ મોટું તેમ એની આરાધનાના દિવસોની સંખ્યા પણ વધુ. જૈન ધર્મમાં આઠ દિવસના અઠ્ઠાઈ પર્વનો મહિમા વિશેષ ગણાયો છે. વર્ષમાં એવાં છ અઠ્ઠાઈ પર્વો આવે છે. શ્રી લક્ષ્મીસૂરિએ “ઉપદેશ-પ્રાસાદમાં કહ્યું છે: अष्टाह्निकाठ पडेवोक्ता8 स्याद्वादोभयदोत्तमैः । तत्त्वरुपं समाकर्ण्य आसेव्या: पस्मार्हतः ॥ પવરાધના ૨૬૯ For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.002030
Book TitleJain Achar Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages384
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Achar, & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy