SearchBrowseAboutContactDonate
Page Preview
Page 322
Loading...
Download File
Download File
Page Text
________________ વળી ‘ઉત્તરાધ્યયનસૂત્રમાં કહ્યું છે: जहा सुई सुसुत्ता पडिया वि न विणस्सइ । तहा जीवे सुसुत्ते संसारे न विणस्सइ । જેવી રીતે સસૂત્ર (દોરાથી યુક્ત) સોય પડી જવાથી પણ વિનિષ્ટ (ગુમ) નથી થતી એવી રીતે સસૂત્ર (શ્રુતસંપન) જીવ સંસારમાં ગુમ નથી થતો. આ રીતે સાચો સ્વાધ્યાય જીવને પરંપરાએ સંસારમાંથી મુક્તિ અપાવે છે. ભગવતીસૂત્રમાં કહ્યું છે : सवणे नाणे य विन्नाणे, पच्चक्खणे य संजमे । अणण्टए तव चेव, वादाणे अकिरिया सिद्धि ॥ સાધુની સંગતિથી ધર્મશ્રવણ સાંપડે છે. ધર્મશ્રવણથી તત્ત્વજ્ઞાન, તત્ત્વજ્ઞાનથી વિજ્ઞાન વિશિષ્ટ તત્ત્વબોધ), વિજ્ઞાનથી પ્રત્યાખ્યાન (સાંસારિક પદાર્થોની વિરક્તિ અને તે માટેના નિયમો), પ્રત્યાખ્યાનથી સંયમ, સંયમથી અનાશ્રવ (નવાં કર્મોનો અભાવ), અનાશ્રવથી તપ, તપથી વ્યવદાન પૂર્વબદ્ધ કર્મોનો નાશ), વ્યવદાનથી અકર્મતા (કર્મરહિતતા – નિષ્કર્મતા), અને નિષ્કર્મતાથી સિદ્ધિ મુક્તિ) પ્રાપ્ત થાય છે. એટલા માટે જ તૈત્તિરિયોપનિષદમાં કહેવામાં આવ્યું છે તે પ્રમાણે મુક્તિલક્ષી આત્માઓએ સાવધ્યાયની બાબતમાં પ્રમાદ ન કરવો જોઈએ. स्वाध्यायान्मा प्रमदः । ૨૬૬ જૈન આચારદર્શન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002030
Book TitleJain Achar Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages384
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Achar, & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy