SearchBrowseAboutContactDonate
Page Preview
Page 303
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મા સાથેનો સંબંધ આત્મા ભાવમન દ્વારા છે. આથી જૈન ધર્મમાં ભાવ અને ભાવનાનું ઘણું મહત્ત્વ સ્વીકારાયું છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ, અથવા દાન, શીલ, તપ અને ભાવ વગેરેમાં ભાવને છેલ્લું ચડિયાતું સ્થાન આપવામાં આવ્યું છે. મનોનુશાસનમાં ભાવનાનાં લક્ષણ નીચે પ્રમાણે જણાવવામાં આવ્યાં છે : चेतो विशुद्धये मोहक्षयाय स्थैर्यापादनाय । विशिष्टं संस्कारपादनं भावना। ચિત્તશુદ્ધિ, મોહક્ષય તથા (અહિંસાદિ વ્રતોમાં) સ્વૈર્ય આણવા માટે જે વિશિષ્ટ સંસ્કાર જાગ્રત કરવામાં આવે છે તેને “ભાવના” કહેવામાં આવે છે.] ‘રોધિ' સંસ્કૃત શબ્દ છે. એના ઉપરથી પ્રાકૃત-અર્ધમાગધીમાં બોહિ' શબ્દ આવેલો.) બોધિ શબ્દ બધુ ધાતુ ઉપરથી આવેલો છે. બુધુ એટલે જાણવું. ડાહ્યા માણસો માટે, સારાસાર-વિવેક જાણનાર જ્ઞાની માણસો માટે “બુધ' શબ્દ વપરાય જૈન ધર્મમાં બોધિ' શબ્દ વિશિષ્ટ પારિભાષિક અર્થમાં વપરાયો છે. જ્ઞાન એ આત્માનો સ્વભાવ છે. એટલે “બોધિ' શબ્દ આત્માના જ્ઞાનપ્રકાશ માટે વપરાય છે. વ્યવહારગતમાં કીમતીમાં કીમતી પદાર્થ તે રત્ન છે. એટલે બોધિને રત્નનું રૂપક આપવામાં આવે છે. બોધિ' શબ્દ સમ્યકત્વ માટે વપરાય છે. સમ્યગુદર્શન, સમ્યગજ્ઞાન તથા સમ્યગુચારિત્રને “સમકિત'-સમ્યકત્વ તરીકે ઓળખવવામાં આવે છે. એટલા માટે બોધિની વ્યાખ્યા આપતાં કહેવાયું છે: सम्यग्दर्शन ज्ञानचारित्राणामप्रपा प्रापणं बोधिः । - સિમ્યગુદર્શન, જ્ઞાન અને ચારિત્રની પ્રાપ્તિ ન હોય અને તે પ્રાપ્ત થાય તે બોધિ' કહેવાય છે.). સમ્યક્ત વિના મોક્ષપ્રાપ્તિ નથી. એટલા માટે જ સમકિત ઉપર અર્થાત્ બોધિ ઉપર જૈન ધર્મમાં ઘણો ભાર મૂકવામાં આવ્યો છે. જ્યાં સુધી બોધિબીજ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી દેહ અને આત્માની ભિન્નતાનાં સ્પષ્ટ દર્શન ન થાય અને ત્યાં સુધી મોક્ષમાર્ગ ઉપર આગળ વધી ન શકાય. એટલા માટે જિનેશ્વર ભગવાનની સ્તુતિ કરતી વખતે પણ બોધિપ્રાપ્તિ માટે પ્રાર્થના કરાય છે: લોગસ્સ સૂત્રમાં કહેવાયું છે: कित्तिय वंदिय महिया जे ए लोगस्स उत्तमा सिद्धा। आरुग्ग बोहिलाभं समाहिवरमुत्तमं दित॥ ઉવસગ્ગહર સ્તોત્રમાં પણ કહેવાયું છે : બોધિદુર્લભ ભાવના ૨૪૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002030
Book TitleJain Achar Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages384
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Achar, & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy