SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ વધે. વિકાર ઉત્પન્ન થાય એવો આહાર પણ સાધ માટે વર્ષ છે. વળી પોતાના શરીરની પ્રકૃતિને પણ લક્ષમાં રાખી એવો યોગ્ય આહાર જ સાધુએ લેવો જોઈએ. ૩. અભ્યનુશાતગ્રહણ – સાધુઓએ પોતાના આચારનું બરાબર પાલન કરવું હોય તો શ્રાવકો પધારવા માટે વિનંતી કરે તે પછી જ તેમને ત્યાં આહાર લેવા – ગોચરી વહોરવા જવું જોઈએ. ૪. ભક્તપાન સંતોષ - સાધુઓએ પોતાને ગોચરીમાં જે પ્રકારનો આહાર જેટલા પ્રમાણમાં મળ્યો હોય તેમાં સંતોષ માનવો જોઈએ. જેમ આહાર માટે તેમ પોતાનાં ઉપકરણો માટે પણ અચૌર્ય વ્રતના સૂક્ષ્મ પાલન અર્થે સાધુઓએ કેટલાક નિયમોનું પાલન કરવું જોઈએ, જેમ કે (૧) સાધુએ પોતાને માટે જરૂરી એવાં ઉપકરણો એના સ્વામીની રજા વગર લેવાં નહિ. (૨) સ્વામીની રજાથી મેળવેલાં ઉપકરણોમાં પણ આસક્તિ રાખવી નહિ. (૩) ઉપકરણો આપનાર ભક્ત ગમે તેટલાં ઉપકરણો આપવાનો આગ્રહ રાખે, પણ પોતાના ખપ કરતાં વધુ ઉપકરણો લેવાં નહિ. લેવા માટે મોઢેથી ના કહેવી પણ મનમાં લાલચ કે આસક્તિ રાખવી એવું પણ ન કરવું. (૪) પોતાને જે ઉપકરણો જોઈતાં હોય તે ઉપકરણો શા માટે જોઈએ છે તે વિશેના પ્રયોજનની આપનાર આગળ સ્પષ્ટતા કરવી અને (૫) પોતાના સંયમની અને જ્ઞાનની આરાધના અર્થે તરત ઉપયોગમાં આવે એવાં જ ઉપકરણો લેવાં. કોઈક ઉપકરણ ભવિષ્યમાં કદાચ ક્યારેક કામ લાગશે એવા આશયથી લેવું નહિ. બિનજરૂરી કે વધારાના ઉપકરણ તરીકે કોઈ ઉપકરણ લેવું નહિ. જેમ આહાર અને ઉપકરણની બાબતમાં તેમ ઉપાશ્રયાદિ સ્થાનની બાબતમાં પણ એવી ઊંચી ભાવના સાધુઓએ સેવવી જોઈએ કે અદત્તાધનનો સૂક્ષ્મ દોષ પણ લાગે નહિ. શાસ્ત્રકારોએ તો સાધુઓ માટેના અદત્તાદાન વિરમણ મહાવ્રતની આથી પણ વધુ સૂક્ષ્મ વિચારણા કરી છે, જેમ કે જીવ કર્મ બાંધે છે ત્યારે કામણ વર્ગણાના પુગલ પરમાણુઓ એના આત્મપ્રદેશોમાં આવીને ચોટે. આ પુદ્ગલ પરમાણુઓ કોઈએ આપ્યા નથી એટલે અદત્ત છે. જીવ એને ગ્રહણ કરે છે. તો જીવને અદત્તાદાનનો દોષ લાગે કે નહિ ? આ શંકાનું સમાધાન કરતાં શાસ્ત્રકારો કહે છે કે ના, જીવને અદત્તાદાનનો દોષ લાગે નહિ, કારણ કે જ્યાં દેવાની અને લેવાની ક્રિયાનો સંભવ હોઈ શકે ત્યાં દોષ લાગે. દેવાની ક્રિયા વગર લેવાની ક્રિયા ન થઈ શકે. પરંતુ કર્મબંધનમાં દેવાની ક્રિયા નથી હોતી એટલે લેવાની ક્રિયા પણ ગણી શકાય નહિ – એટલે ત્યાં અદત્તાદાનનો દોષ લાગે નહિ. એવી જ રીતે આ ૧0 એ જૈન આચારદર્શન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002030
Book TitleJain Achar Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages384
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Achar, & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy