SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ અદત્તાદાન – વિરમણ જૈન ધર્મમાં સંયમની આરાધના માટે, સમ્યક આચાર માટે સાધુઓનાં પાંચ મહાવ્રત બતાવવામાં આવ્યાં છે : (૧) અહિંસા, (૨) સત્ય, (૩) અસ્તેય, (૪) બ્રહ્મચર્ય અને (૫) અપરિગ્રહ. આ પાંચ મહાવ્રત ગૃહસ્થોએ અમુક અંશે પાળવાનાં હોવાથી તેને અણુવ્રત કહેવામાં આવે છે. આ પાંચ વ્રતમાં ત્રીજું વ્રત છે અસ્તેય વ્રત અથવા અદત્તાદાન – વિરમણ વ્રતસ્થૂલ ચોરી ન કરવી એટલી જ વાત નથી. ન આપેલું ન ગ્રહણ કરવું ત્યાં સુધી આ વ્રતના વિષયને વિસ્તારવામાં આવ્યો છે અને એની સૂક્ષ્મ ભાવનાને તો એથી પણ વધુ ઊંચે લઈ જવામાં આવી છે. મત્તાવાનું તેય I – અદત્તાદાન એટલે ચોરી એવી સામાન્ય વ્યાખ્યા આપવામાં આવે છે, પરંતુ એમાં એથી વિશેષ અર્થ રહેલો છે. “સર્વાર્થસિદ્ધિમાં કહ્યું यत्र संक्लेशपरिणामेन प्रवृत्तिस्तत्रस्येयं भवति, बाह्यवस्तुनो ग्रहणे चाग्रहणे च। બાહ્ય સ્થૂલ વસ્તુનું ગ્રહણ હોય કે ન હોય, પરંતુ જ્યાં સંક્લેશ પરિણામની પ્રવૃત્તિ થતી હોય તે ચોરી છે. આમ, અસ્તેય કરતાં “અદત્તાદાન વિરમણ' શબ્દમાં વધારે વ્યાપક, ગહન અને સૂક્ષ્મ અર્થ રહેલો છે. દત્ત એટલે આપેલું. અદત્ત એટલે કોઈએ નહિ આપેલું. આદાન એટલે ગ્રહણ કરવું. વિરમણ એટલે અટકવું. આમ, કોઈએ પોતાને નહિ આપેલી એવી વસ્તુનું ગ્રહણ ન કરવું એટલે અદત્તાદાન વિરમણ વ્રત તરીકે “અચૌર્ય કે “અસ્તેય' શબ્દ કરતાં “અદત્તાદાન વિરમણ' શબ્દ વધારે ગંભીર અને ગૌરવવાળો છે અને સાધકને માટે તો એ જ શબ્દ વધુ ઉચિત છે. ૧૫o જ જૈન આચારદર્શન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002030
Book TitleJain Achar Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages384
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Achar, & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy