SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ એક વિનયના ગુણથી જીવ ઉત્તરોત્તર કેવી રીતે વિકાસ સાધે છે અને મોક્ષગતિ પ્રાપ્ત કરવા સુધી પહોંચી શકે છે તેનો ક્રમ બતાવતાં ઉમાસ્વાતિ મહારાજ પ્રશમરતિમાં કહે છે: विनयफलं शश्रूषा, गुरुशुश्रूषाफलं श्रुतज्ञानम् । ज्ञानस्य फलं विरतिर्विरतिफलं चास्त्रव निरोध ।। संवरफलं तपोबलमथ तपसो निर्जराफलं दृष्टम् । तस्मात् क्रियानिवृत्ति: क्रियानिवृत्तेरयोगित्वम् ॥ योगनिरोधाद् भवसन्ततिक्षय सन्ततिक्षायान्मोक्षः । तस्मात् कल्याणानां सर्वेषां भाजनं विनय: ॥ અર્થાત્ વિનયનું ફળ ગુરુશુશ્રુષા છે. ગુરુશુશ્રુષાનું ફળ શ્રુતજ્ઞાન છે. શ્રુતજ્ઞાનનું ળ વિરતિ છે. વિરતિનું ફળ આઅવનિરોધ છે. આસ્ત્રવનિરોધ એટલે કે સંવરનું ફળ તપોબલ છે. તપનું ફળ નિર્જરા છે. એનાથી ક્રિયાની નિવૃત્તિ થાય છે. ક્રિયાનિવૃત્તિથી અયોગિત્વ થાય છે. અયોગિત એટલે કે યોગનિરોધથી ભવસંતતિ અર્થાત્ ભવપરંપરાનો ક્ષય થાય છે. એથી મોક્ષ પ્રાપ્ત થાય છે. આ રીતે વિનય સર્વ કલ્યાણોનું ભાજન છે. આ માટે જ ‘તત્ત્વામૃતમાં કહ્યું છે : ज्ञानभावनया जीवो लभते हितमात्मनः । विनयाचारसंपन्नो विषयेषु पराऽमुख४ ॥ વિનયયુક્ત આચારવાળો તથા વિષયોથી વિમુખ થયેલો જીવ જ્ઞાનભાવના વડે પોતાનું હિત પ્રાપ્ત કરે છે.) आत्मनं भावयेन्नित्यं, ज्ञानेन विनेयन च । मा पुनर्मिमाणस्स पश्चात्तापो भविष्यति ॥ (જ્ઞાન અને વિનય વડે હંમેશાં આત્માનું ચિંતન-ભાવના કરવું જોઈએ, જેથી મરતી વખતે માણસને પશ્ચાત્તાપ કરવો પડે નહિ) ૧૦૮ જૈન આચારદર્શન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002030
Book TitleJain Achar Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages384
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Achar, & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy