SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ તપનું વર્તુળ અડધું જ છે, કારણ કે તપમાં વ્યક્તિએ પોતે જ પોતાના પુરુષાર્થ વડે આગળ વધવાનું છે. લોગસ્સની અનુષ્ઠાપૂર્વકની આરાધના પણ કરવામાં આવે છે. શુદ્ધ વસ્ત્ર, આસન વગેરે સાથે ધૂપ, દીપ, પુષ્પ, વાસક્ષેપ વગેરે સાથે ચોવીસ તીર્થંકરનું ચિત્રપટ સન્મુખ રાખી લોગસ્સનું પઠન નિયત સમય માટે કરવાથી વિશેષ લાભ થાય છે. ચોવીસ તીર્થકરોની સ્તુતિ માટે પંચષષ્ઠિ યંત્રની રચના કરવામાં આવે છે. આડી અને ઊભી લીટીઓ દોરી પચ્ચીસ ખાનાનું સમચોરસ યંત્ર બનાવવામાં આવે છે. અને તેમાં ૧થી ૨૫ ના સંખ્યાંક એવી રીતે લખવામાં આવે છે કે ગમે તે બાજુથી સરવાળો કરતાં ૬૫ની સંખ્યા જ આવે. જુદી જુદી રીતે સંખ્યા ગોઠવી ઘણા પ્રકારનાં આવાં યંત્રો બનાવવામાં આવે છે. આમાં મહાસર્વતોભદ્ર યંત્રમાં સંખ્યા એવી રીતે ગોઠવવામાં આવે છે કે બોંતેર જુદી જુદી રીતે ગણના કરતાં સરવાળો ૬પનો જ આવે છે. આ યંત્રોમાં પ્રત્યેક સંખ્યાંક સાથે તે તીર્થંકરનું સ્મરણ-રટણ કરવામાં આવે છે અને ૨૫ના સંખ્યાંકમાં શ્રીસંઘને પ્રણામ કરવામાં આવે છે. લોગસ્સ સૂત્રની પ્રત્યેક ગાથા સાથે આરંભમાં જુદાં જુદાં મંત્રબીજો જોડીને તથા છેડે પ્રાર્થના-વાચના જોડીને તેના એક કલ્પની રચના કરવામાં આવી છે, જે પ્રાચીન હસ્તપ્રતોમાં જોવા મળે છે. આ રીતે સાત ગાથાનાં સાત મંડલ બનાવવામાં આવ્યાં છે અને પ્રત્યેક મંત્રનો બ્રહ્મચર્યના પાલનપૂર્વક, દેહબુદ્ધિ તથા વસ્ત્રશુદ્ધિ સાથે, પૂર્વદિશામાં કે ઉત્તર દિશામાં મુખ રાખીને કાઉસગ્ન અવસ્થામાં બેસીને રોજ ૧૦૮ વાર અથવા તેની વિધિમાં દર્શાવ્યા પ્રમાણે, તેટલા દિવસ સુધી જાપ કરવામાં આવે તો ઇષ્ટફળની પ્રાપ્તિ કરાવનાર ને નીવડે છે. એ મંત્રો નીચે પ્રમાણે છે : પહેલી ગાથા ॐ ह्रीं श्रीं ऐं लोगस्स उज्जोअगरे घम्मतित्थयरे जिणे अरिहंते कित्तइस्सं चउवीसं पि केवली मम मनोऽभीष्टं कुरु कुरु स्वाहा બીજી ગાથા ॐ क्रां क्रीं ह्रीं ह्रीं उसभमजिअं च वंदे संभवम-भिणंदणं च सुमई त, पउमप्पहं सुपासं जिणं च चंदप्पहं वंदे स्वाहा । ત્રીજી ગાથા ॐ ऐं हसैं झौं झों सुविहिं च पुष्फदंतं सीयल सिज्जंस वासुपुज्जं च विमलमणंतं च जिणं घम्मं संति च वंदामि स्वाहा । ચોથી ગાથા ऊँ ह्रीं नमः कुंथु अरं च मल्लिं वंदे मुणिसुव्वयं नमिजिणं च वंदामि रिट्ठनेमि पासं तह वद्धमाणं च मनोवांछितं पूरय पूरय हूँ स्वाहा । ૮૮ જૈન આચારદર્શન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002030
Book TitleJain Achar Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages384
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Achar, & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy