SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ નવકારમંત્રનાં પ્રથમ પાંચ પદ લીધાં હોય અને તે ક્રમાનુસાર હોય એટલે કે નમો અરહિંતાણે, નમો સિદ્ધાણં, નમો આયરિયાણં, નમો ઉવજ્જાયાણું, નમો લોએ સવ્વ સાહૂણં એ પ્રમાણે ક્રમ હોય તો તે પૂર્વનુપૂર્વી કહેવાય. અને વિપરીત ક્રમ હોય, છેલ્લેથી હોય, એટલે કે નમો લોએ સવ્વ સાહૂણં, નમો ઉવજ્જાયાણું, નમો આયરિયાણં, નમો સિદ્ધાણે, નમો અરિહંતાણં – એ પ્રમાણે ક્રમ હોય તો તે પૂર્વનુપૂર્વી કહેવાય છે. એવી જ રીતે નવકારમંત્રનાં નવ પદ હોય તો નમો અરિહંતાણંથી ક્રમાનુસાર પઢમં હવઈ મંગલમ્ સુધીનો ક્રમ પશ્ચાનુપૂર્વી કહેવાય અને પઢમમ્ હવઈ મંગલમુથી નમો અરિહંતાણં સુધીનો ક્રમ પશ્ચાનુપૂર્વી કહેવાય. - એકથી પાંચ સુધીના અથવા એકથી નવ સુધીનાં પદમાંથી અધવચ ગમે ત્યાંથી શરૂ કરીને ક્રમાનુસાર આગળ કે ક્રમાનુસાર પાછળ બોલવામાં આવે તો તેને યથાતથાનુપૂર્વી કહેવામાં આવે છે, જેમ કે નમો આયરિયાણં, નમો ઉવજ્જાયાણં, નમો લોએ સવ્વ સાહૂણં, એસો પંચ નમુક્કારો, સબ પાવ પણાસણો–એટલાં પદ ક્રમાનુસાર લીધાં હોય અથવા એસો પંચ, નમુક્કારો, નમો લોએ સવ્વ સાહુર્ણ, નમો ઉવજ્જાયાણં– એટલાં પદ વિપરીત ક્રમાનુસાર લીધાં હોય તો તે યથાતથ આનુપૂર્વી કહેવાય. એના આવા બીજા કેટલાક વિકલ્પો પણ સંભવી શકે. જેમ નવકારમંત્રમાં તેમ ચોવીસ તીર્થકરોનાં નામોમાં પ્રથમ તીર્થંકર ઋષભદેવથી શરૂ કરી ચોવીસમા મહાવીર સ્વામી સુધીનાં નામ ક્રમાનુસાર બોલવામાં આવે તો તે પૂર્વાનુપૂર્વી કહેવાય. મહાવીરસ્વામીથી શરૂ કરી, પાર્શ્વનાથ, નેમિનાથ, નમિનાથ એમ ક્રમાનુસાર બોલતાં જઈ પ્રથમ તીર્થંકર ઋષભદેવ સુધી બોલવામાં આવે તો તે પશ્ચાનુપૂર્વી કહેવાય અને અનંતનાથ, ધર્મનાથ, શાંતિનાથ, કુંથુનાથ, અરનાથ, મલ્લિનાથ એમ વચ્ચેથી ગમે ત્યાંથી ક્રમાનુસાર બોલવામાં આવે અથવા વિપરીત ક્રમાનુસાર વચ્ચેથી બોલવામાં આવે તો તે યથાતથાનુપૂર્વી કહેવાય. નવકારમંત્રનાં નવ પદની અનાનુપૂર્વીની સંખ્યા ઘણી બધી મોટી હોવાથી પાંચ પદની આખી અનાનુપૂર્વી ગણવાનું સરળ છે. એક કોઢમાં પાંચ અનાનુપૂર્વી ગોઠવી હોય એવી રીતે ર૪ કોઠાની અંદર પાંચ પદની અનાનુપૂર્વી આપી શકાય છે અને તેનું જપધ્યાન કરવાનું સરળ બને છે. ચોવીસ તીર્થકરોની દર્શન ચોવીસીની પુસ્તિકામાં પ્રત્યેક તીર્થંકર સાથે એક એવા ચોવીસ કોઠાઓ આપવામાં આવે છે. જો એક કોઠામાં છે અનાનુપૂર્વી આપવામાં આવે તો એવા વીસ કોઠામાં પાંચ પદની આખી અનાનુપૂર્વી આવી જાય. વીસ વિહરમાન જિનેશ્વરો સાથે આવા વિસ કોઠા ગોઠવી શકાય. કેટલાક મહાત્માઓ નવ પદની ૩,૬૨,૮૮૦, અનાનુપૂર્વીના ૪૦૩૨૦ કોઠા તૈયાર કરી તે પ્રમાણે નવકારમંત્રનું સંપૂર્ણ અનાનુપૂર્વીપૂર્વક ધ્યાન પ૪ * જૈન ધર્મ દર્શન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002029
Book TitleJain Dharma Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy