SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ जे अ अणंतमणुत्तंरमणोवमं सासयं सयाणंदं । सिद्धिसुहं संपत्ता ते सिद्धा दिंतु मे सद्धिं ॥ ‘તત્ત્વાનુશાસન’માં કહ્યું છે : आत्मायत्तं निरावाघमतीन्द्रियमनीश्वरम् । घातिरग्मक्षयोद्भूतं यत्तन्मोक्षसुखं विदुः ॥ [જે સુખ સ્વાદીન છે, બાધારહિત છે, ઇન્દ્રિયોથી પર છે, આત્મિક છે, અવિનાશી છે તથા ઘાતિ કર્મોના ક્ષયથી પ્રગટ થયું છે તેને મોક્ષસુખ' કહેવામાં આવે છે.. ઉપાધ્યાય શ્રી યશોવિજ્યજી શ્રીપાળ રાસ'માં લખે છે : ઉપમા વિણ નાણી ભવમાંહે, તે સિદ્ધ દિયો ઉલ્લાસ રે. જ્યોતિશું જ્યોતિ મળી જસ અનુપમ, વિરમી સકલ ઉપાધિ આતમામ ૨માપતિ સમો તે સિદ્ધ સહજ સમાધિ રે. પંડિત દોલતરામજીએ છહ ઢાળા'માં સિદ્ધ પરમાત્માનું વર્ણન કરતાં લખ્યું છે : જ્ઞાન શરીરી ત્રિવિધ કર્મમલ વર્જિત સિદ્ધ મહેતા, તે હૈં નિકલ અમલ પરમાત્મા ભોગે શર્મ અનન્તા. [જ્ઞાન એ જ માત્ર જેઓનું હવે શરીર છે અને જેઓ દ્રવ્યકર્મ, ભાવકર્મ અને નોકર્મ એ ત્રિવિધ પ્રકારના કર્મના મલથી રહિત છે એવા નિર્મળ સિદ્ધ ૫રમાત્મા અનંત કાળ સુધી અનંત (અસીમિત) સુખ ભોગવે છે.] પ્રત્યેક સંસારી જીવમાં સિદ્ધત્વ સત્તાથી રહેલું છે, પરંતુ તે કર્મના આવરણથી યુક્ત છે. જીવોમાંથી ફક્ત ભવ્ય જીવો સિદ્ધત્વ પ્રાપ્ત કરી શકે છે. અભવ્ય કે જાતિભવ્ય જીવો ક્યારેય સિદ્ધગતિ પામી શકવાના નથી. ભવ્ય જીવોમાંથી પણ કોણ, ક્યારે, કેટલી સંખ્યામાં સિદ્ધગતિ પામી શકે તે વિશે આગમ સૂત્રોમાં સ્પષ્ટ વિધાનો છે. ઉ.ત. ઔપપાતિક સૂત્રમાં કહ્યું છે : जीवेण भन्ते । सिज्झमाणे कयरंमि आउए सिज्झइ ? गोयमा । जहन्नेणं साइरेगट्ठवासाए उक्कोसेणं पुव्वलोडियाउए सिज्झइ ॥ ભગવન્ ! જીવ કેટલા આયુષ્યમાં સિદ્ધમુક્ત થઈ શકે છે ? ગૌતમ ! જઘન્ય આઠ વર્ષથી અધિક આયુષ્યમાં અને ઉત્કૃષ્ટ કરોડ પૂર્વના આયુષ્યમાં જીવ સિદ્ધ થઈ શકે છે.] Jain Education International ૧૨૪ * જૈન ધર્મ દર્શન For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002029
Book TitleJain Dharma Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy