SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૬ ધ્યાન : એક પરિશીનલ અજ્ઞાનથી ઘેરાયેલું છે. સાધકની આત્મશક્તિ અભ્યાસ કે અવલંબન વગર પ્રગટ થતી નથી. ઘણું સમયના અવાવરા મકાનમાં જાળાં કે ધૂળનો સંગ્રહ કેવળ ચક્ષુ વડે જેવા માત્રથી કે નાક વડે સૂંઘવાથી દૂર થતું નથી, પરંતુ સાવરણી જેવા સાધન વડે, પરિશ્રમપૂર્વક દૂર થઈ શકે છે અને અવાવરુ મકાન સ્વચ્છ થતાં માણસોને રહેવા યંગ્ય બની જાય છે. તે પ્રમાણે ઘણા લાંબા સમયના દેહાધ્યાસથી આત્મા દોષે અને કલેશે વડે અશુદ્ધ થયે છે તેવું જાણવા માત્રથી દોષ દૂર થતા નથી, અથવા એમ માની લઈએ કે આત્મા સત્તાએ કરી શુદ્ધ છે, તે પણ દેશે દૂર થતા નથી. મકાનને જેમ સાવરણી જેવા સાધન વડે અને પરિશ્રમપૂર્વક સાફ કરવું પડે છે, તેમ આત્માનાં આવરણો દૂર કરવા, સદ્ગુરુને ગ, તેમને વિનય અને ગાભ્યાસ જેવા અવલંબન અને પુરુષાર્થ વડે આત્મા વિશુદ્ધ થઈ શકે છે. આત્મશુદ્ધિ એ માનવજીવનનું એક મહાન કાર્ય છે. જે મહાત્માઓએ આત્મજ્ઞાન અને ધ્યાન દ્વારા શુદ્ધ તત્ત્વને પ્રગટ કર્યું છે તેમના અવલંબન વડે જગતના જી સુખશાંતિને માગ ગ્રહણ કરી શકે છે. ધ્યાનમાર્ગમાં ગાભ્યાસ એક અંગ છે. તેને અભ્યાસ આવશ્યક છે. અષ્ટાંગ–ગદર્શનમ્ ગ્રંથમાં ધ્યાન અને સમાધિ વિષે ઉત્તમ પ્રકારે નિરૂપણ કરેલું છે. એમાં પ્રથમ જ જણાવ્યું છે કે “સૃષ્ટિમાં જાણવા યોગ્ય “આત્મા” છે, તે મનન કરવા યોગ્ય છે, એ નિરંજન છે, નિરાકાર છે અને તે જ આપણું મૂળ સ્વરૂપ છે.” અષ્ટાંગયોગમાં મુખ્યત્વે આઠ અંગેની કૃમિક સાધના દર્શાવી છે. કેઈ યેગીમહાત્માઓ આઠે અંગેની કમિક સાધના કરે છે. બાકી ઘણે ભાગે યોગના સામાન્ય અભ્યાસીઓ તે ગરને એક અદ્યતન ફૅશન ગણુને કે સ્વાથ્યના હેતુને પ્રાધાન્ય આપી, કેવળ આસન અર્થાત્ ત્રીજા અંગને અભ્યાસ કરે છે. તેથી સ્વાથ્યને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001995
Book TitleDhyana Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherAnandsumangal Parivar
Publication Year1989
Total Pages266
LanguageGujarati
ClassificationBook_Gujarati, Dhyan, & Yoga
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy