SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ સમયનો સદ્દઉપયોગ કરે છે. તે સાધક સફળ થાય છે. [૭૩] નિશ્ચયથી પોતાના આત્માના પરિણમનની શુદ્ધિનું લક્ષ છે. વ્યવહારથી નિશ્ચયને અનુરૂપ, પરમાર્થમાર્ગને અનુરૂપ દેવભક્તિ, ગુરુવિનય, શાસ્ત્રબોધ, તે પ્રત્યે અત્યંત બહુમાન, સ્વપર દયારૂપ ધર્મ સવિશેષ વૈરાગ્યની વૃદ્ધિ કરે છે. એકાંતે આત્મવિચારણા, આત્મભાવનાનો આરાધક છે. આથી સ્વયં સ્વરૂપનું લક્ષ સંપ્રાપ્ત થવાની પાત્રતા થાય છે જેને પરિણામે પૂર્ણપદની નિઃશંકતા અનુભવે છે. આમ પૂર્ણતાના લક્ષે પરમોત્કૃષ્ટ દશાને પ્રાપ્ત પાત્રતા થાય છે. [૭૪] ઉપશમભાવની ભૂમિકામાં જીવને પરદયાની વિશેષતા હોય છે. વૈરાગ્યભાવની ભૂમિકામાં જીવને સ્વાત્મા પ્રત્યે કરુણા ઊપજે છે. જીવને થાય છે કે આ જન્મમરણનું પરિભ્રમણ કેમ ટળતું નથી? આ ભવનું આયુષ્ય તો પૂર્ણ થવા આવ્યું અને મારું ધ્યેય તો હજી ફળીભૂત થતું નથી. આથી પ્રમાદ- રહિત થઈ સ્વહિતમાં વિશેષ પ્રવૃત્ત થાય [૭૫] સહજદશામાં સ્થિતિ ન રહે ત્યારે ભક્તિ, સત્સંગને સાધન માની સેવે છે. છતાં ભક્તિમાં લક્ષ્યાર્થ તો નિજાત્મા છે. પરમાત્મભક્તિના વ્યવહાર આલંબન સમયે પણ સ્વસ્વરૂપમાં પરમાત્મસ્વરૂપનું ભાવભાસન થતાં સાધકને સ્વરૂપનો મહિમા આવે છે. તેથી સ્વચ્છેદ આદિ સર્વ દોષોથી નિવૃત્ત થઈ પરમાર્થને સાધે છે. રત્નત્રયનું પરિણમન તે નિશ્ચય ભક્તિ છે, જે નિર્વાણનું નિમિત્ત છે. પરમાર્થમાર્ગના અભિલાષીને નિશ્ચય-વ્યવહાર બંને ભક્તિ પ્રયોજનભૂત છે. [૬] સર્વ વિતરાગ જિનેશ્વર દેવે અર્થનું નિરૂપણ કર્યું. ગણધરાદિ ગુરુ ભગવંતોએ સૂત્રનું નિરૂપણ કર્યું. નિર્ગથ મુનીશ્વરોએ શાસ્ત્રનું નિરૂપણ કર્યું. આવી આત્મજ્ઞાનસ્વરૂપ સત્પરુષોની વાણી તે દ્રવ્યશ્રુત છે. તે આત્મકલ્યાણાર્થે પ્રયોજાઈ છે. સમીપવર્તી સાધકને તે દ્રવ્યશ્રુત ભાવકૃત રૂપે પરિણમવામાં નિમિત્ત બને છે. સમ્યગ્દષ્ટિ આત્માને દ્રવ્યકૃત પ્રત્યે અમૃતધારા ૧૯ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001993
Book TitleAmrutdhara
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherAnandsumangal Parivar
Publication Year2004
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Ethics, & Sermon
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy