SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ [૫O]. મોક્ષના સાધક આત્માને સમ્યગુજ્ઞાનાદિ ગુણોનો સંબંધ થાય છે તે યોગ છે. જેથી તે આત્મા મોક્ષમાં જોડાઈ જાય છે. આથી મોક્ષનું સાક્ષાત્ કારણ યોગ’ હોવાથી તેને નિશ્ચયયોગ કહ્યો છે. તે યોગ પરિણામથી જીવ નક્કી મુક્ત થાય છે. જીવને પરિભ્રમણના અંતરંગ કારણો મોહ, રાગ અને દ્વેષ છે. મોહઃ (દર્શનમોહ જડ ચેતન પદાર્થોને સુખબુદ્ધિએ પોતાના જાણવા. વળી મનુષ્ય તિર્યંચ પ્રત્યે અહમ્ કે મમત્વબુદ્ધિએ દયાભાવ થવો કે અન્યનાં કર્મોને ફેરવી શકું છું. સુખી દુઃખી કરી શકું છું. રાગઃ ઇષ્ટ-મનગમતા પદાર્થોમાં પ્રીતિ થવી. આકર્ષણ થવું. દ્વેષ: અનિષ્ટ અણગમતા પદાર્થોમાં અપ્રીતિ થવી, નિર્દય પરિણામ થવા. આ ત્રણે અહિતકારી હોવાથી તેને નષ્ટ કરવા. વસ્તુત દર્શનમોહના કારણે જીવમાં રાગાદિ પરિણામ થાય છે. તેને દૂર કરવાનું સાધન સમ્યગૂજ્ઞાન-આત્મજ્ઞાન છે તે માટે નિર્મળ તત્ત્વજ્ઞાનનો અભ્યાસ કરવો. મિથ્યાત્વઃ દર્શનમોહ અને અનંતાનુબંધી કષાયોને વશ જીવમાં સમ્યગૂજ્ઞાન, સમ્યગ્દર્શન, સમ્યગશાસ્ત્રના ગુણોનું વિપરીત પરિણમન થાય છે તે વાસ્તવિક મિથ્યાત્વ છે. તેના કારણે આત્મામાં આંતરિક શુદ્ધ આત્મરુચિ પ્રગટ થતી નથી. મિથ્યાત્વનો એક અંશ પણ સંસાર પરિભ્રમણનું કારણ છે. જેનું પ્રત્યેક આચરણ ઔચિત્યયુક્ત આત્મરૂપ હોય, જેના જીવનમાં પાંચ અણુવ્રતો-મહાવ્રતો વણાયેલા હોય જેનું ચિત્ત સર્વજ્ઞ કથિત જીવાદિતત્ત્વોના ચિંતનમાં પરોવાયેલું હોય, વળી મૈત્રી આદિ ભાવનાથી ભાવિત હોય તે અધ્યાત્મયોગનો અધિકારી છે. અધ્યાત્મયોગની વૃદ્ધિ તે ભાવનાયોગ છે આવો અધ્યાત્મયોગ વાસ્તવિક પણે મોક્ષસાધક છે. અધ્યાત્મયોગના પરિણામ રહિત હું શુદ્ધ છે તે કેવળ શાબ્દિકકથન છે. [૫૨] મન – ભાવ – ઉપયોગ આત્માનું લક્ષણ ઉપયોગ છે. તેના અમૃતધારા ૧૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001993
Book TitleAmrutdhara
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherAnandsumangal Parivar
Publication Year2004
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Ethics, & Sermon
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy