SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ છે. વળી તે નિશ્ચયરૂપ થાય ત્યારે આત્મા વારંવાર નિર્વાણપદને વિષે તન્મય થાય, સ્વરૂપ પ્રાપ્તિની ભાવનાનો સંસ્કાર દઢ બને, ત્યારે થોડું પણ જ્ઞાન ઉત્કૃષ્ટ મનાય છે. હેય-ઉપાદેયના બોધવાળું જ્ઞાન સમ્યગુજ્ઞાન [૩૪] માર્ગનો જાણકાર પણ ગમનની ક્રિયા વગર ઇચ્છિત સ્થાને પહોંચતો નથી. તેમ ક્રિયા વગરનું એકલું જ્ઞાન મોક્ષરૂ૫ ફળ સાધવાને અસમર્થ છે. દીપક સ્વયં પ્રકાશિત છે તો પણ તેમાં તેલ પૂરવાની ક્રિયા જરૂરી છે તેમ આત્મા સ્વયં જ્ઞાનસ્વરૂપ છતાં તેને પ્રગટ કરવા જે જે અશુભ ક્રિયાથી આવરણ થયું તેની વિપક્ષક્રિયા દ્વારા ભાવશુદ્ધિ કરવી જરૂરી છે. | [૩૫] વ્યવહારનયની અપેક્ષાએ જ્ઞાન તો અન્ય પાસેથી મેળવી શકાય પણ ક્રિયા તો સ્વયં કરવી પડે. વૈદ્ય રોગીને ઔષધ વિષે સમજ આપી શકે પણ ઔષધસેવન ક્રિયા રોગીએ કરવી પડે. શુભક્રિયા જીવના પ્રગટેલા શુભભાવની રક્ષા કરી આત્મિક ગુણોનો વિકાસ કરે [૩૬] શાસ્ત્રો બોધ કરે પણ અનુભવજ્ઞાન દ્વારા જ કેવળજ્ઞાનરૂપી પૂર્ણ પ્રકાશ પ્રગટ થાય છે. અનુભવજ્ઞાન મોહરહિત હોવાથી તે ઉજાગર દશા છે. રાગદ્વેષાદિ ક્લેશરહિત એવું અનુભવજ્ઞાન જ આત્માને જાણી શકે. આત્માનુભૂતિને અવરોધક કર્મની મલિનતાને દૂર કરવી પડે. તે માટે પરમાત્માનું ધ્યાન તેમની આજ્ઞાનું પાલન આવશ્યક છે. અનુભવજ્ઞાનમાં યોગ એક કારણ છે તે આત્માને મોક્ષ સાથે જોડનાર [૩૭] આત્મામાં રાગાદિ નથી. પરંતુ આત્મા પોતે અજ્ઞાનવશ પુદ્ગલના પરિચયના નિમિત્તથી સુખદુઃખના પરિણામ કરી અશુદ્ધતા પામે છે, ત્યારે આત્માનું શુદ્ધસ્વરૂપ ઢંકાઈ જાય છે. ત્યારે આત્માની પ્રગટ અવસ્થા અશુદ્ધ હોય છે, તો પણ ઉપાધિરહિત શુદ્ધાત્માનું ધ્યાન અમૃતધારા ૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001993
Book TitleAmrutdhara
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherAnandsumangal Parivar
Publication Year2004
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Ethics, & Sermon
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy