SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ [૨૬] મંતવ્ય હોય છે. [૨૫]. શુદ્ધનય – નિશ્ચયનયનો વિષય સ્વસ્વરૂપસ્થ એક અભેદ નિત્ય ચૈતન્યસ્વરૂપ અનંત શક્તિનો સ્વામી આત્મા જ છે. છતાં અજ્ઞાનવશ આત્મા પોતે રાગાદિરૂપે પરિણમે છે. આત્માના પરિણામો સ્વાધીન છે. તેને કોઈ અન્ય દ્રવ્ય પરિણાવે નહિ. પોતે જ પોતાની અજ્ઞાન માન્યતા છોડવા સમર્થ છે. જો અન્ય દ્રવ્યોના કરવા રાગદ્વેષ થાય તો સર્વત્ર અન્ય દ્રવ્ય હાજર છે. તે રાગદ્વેષ કરાવ્યા જ કરે તો જીવનો મોક્ષ સંભવ ન બને. માટે રાગદ્વેષ પોતાના કર્યા થાય છે. અને પોતાના મટાડ્યા મટે છે. (નિશ્ચયનય) [૨૭] રાગદ્વેષરૂપ પરિણામ જ નિશ્ચયથી બંધ છે. તેમ નિશ્ચય બંધથી જુદો છતાં એક ક્ષેત્રાવગાહ દ્રવ્ય કર્મનો જીવ સાથે કર્મનો બંધ છે તે વ્યવહારનય છે. દ્રવ્યકર્મરૂપ પુદ્ગલપરિણામ તે આત્માનું કર્મ છે, તેથી આત્મા કર્મનો કર્તા છે, ભોક્તા છે અને હર્તા પણ છે. [૨૮] આ પ્રમાણે નિશ્ચય વ્યવહારના બંને પ્રકારને યથાર્થપણે જાણીને નિશ્ચયનય ગ્રહણ કરવાયોગ્ય છે. જો જીવ પોતાના પરિણામથી પોતાને બંધાયેલ જાણશે તો પોતે પોતાને છોડાવવા પ્રયત્ન કરશે. વળી જો પોતાને અન્યથી બંધાયેલો માનશે તો રાગાદિ પરિણામોનો ત્યાગ કરશે. આમ અપેક્ષાએ કથન ગ્રહણ કરવું. [૨૯]. જ્ઞાનસારમાં ગ્રંથકાર પ્રકાશે છે કેઃ “આત્મસ્વરૂપનો જ્ઞાતા પોતાના આત્મામાં અનંત ગુણોનો ખજાનો જોઈ શકે છે. તે ગુણોનું દર્શન થયા પછી બાહ્ય પદાર્થોની તૃષ્ણા મૂળમાંથી નાશ પામે છે. બાહ્ય પદાર્થોની ઉપેક્ષા એ જ જ્ઞાનની પૂર્ણતાનું ચિહ્ન છે. એવી પૂર્ણતાના આનંદરૂપ અમૃતથી તૃપ્ત દૃષ્ટિ તત્ત્વજ્ઞાનીની છે.” [૩૦] પૂર્ણતા માટે આત્માના ત્રિકાળી શુદ્ધ સ્વભાવ પ્રત્યે દૃષ્ટિ રાખવી. અમૃતધારા ૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001993
Book TitleAmrutdhara
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherAnandsumangal Parivar
Publication Year2004
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Ethics, & Sermon
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy