SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્યગુજ્ઞાન = સ્વાત્માનુભૂતિ. તે આત્મજ્ઞાન વિશેષ છે. આ શુદ્ધ આત્મજ્ઞાન અને સમ્યગ્દર્શનનો અવિનાભાવ સંબંધ છે. સમ્યગ્દર્શનને કારણે આત્માની ક્ષયોપશમ લબ્ધિ સમ્યગુપણું પામે છે. અર્થાત્ જ્ઞાન સમ્યગૂજ્ઞાનરૂપે પરિણમે છે. તે અનંતાનુબંધી કષાય અને મિથ્યાત્વકર્મનો અભાવ થવાથી પ્રગટે છે. સમ્યગુચારિત્ર: સ્વરૂપાચરણ, કર્મોનું ગ્રહણ થવાનું રોકાઈ જવું તે ધર્મરૂપ શુદ્ધોપયોગ છે, તે સમ્યગુચારિત્ર છે. [૧૮] સમ્યગુદર્શન, સમ્યગુજ્ઞાન, સમ્યગુચારિત્ર એ રત્નત્રયના એકતારૂપ શુદ્ધ પરિણામ તે નિશ્ચય સમ્યકત્વ છે. રત્નત્રયને ધારક જ્ઞાની ચોથા ગુણસ્થાનકથી ઉપરના સર્વે ગુણસ્થાનક સમજવા. તે તે ભૂમિકાએ જેટલી અંતરંગ ઉજ્વળતા છે તેને જાણે છે માટે જ્ઞાનીને કર્મથી થવાવાળી ક્રિયાબંધનો હેતુ નથી બનતી પરંતુ પૂર્વે બાંધેલાં કર્મોની નિર્જરાનું કારણ બને છે. સમ્યગ્દષ્ટિ ભોગોનું સેવન કરે છે, પરંતુ તે ભોગોનો દાસ નથી બનતો, કેમકે શ્રદ્ધાગુણને જાણે છે. વળી તે આત્મશ્રદ્ધાયુક્ત સમ્યક્ત્વની અવસ્થાને જાણે છે. જીવો સમ્યક્ત્વની અવસ્થાને જાણે છે. તે જ્ઞાની આત્મા ચારિત્રમોહનીયના પ્રબલ ઉદયથી સંયમ લઈ શકતો નથી. એટલે અવતી દશામાં રહ્યો છે. પણ પોતાને ભ્રમિત કરતો નથી. તે સર્વવિરતિનો ચાહક છે. [૧૯] આત્મા સ્વભાવે શુદ્ધ છતાં પુદ્ગલ પરિચયના નિમિત્તે રાગાદિ ભાવ નિશ્ચયથી આત્મામાં ઉત્પન્ન થાય છે. તેથી જેમ પવનના નિમિત્તથી સ્થિર સરોવરમાં તરંગ ઊઠે છે. તેમ કર્મના ઉદયથી આત્મામાં મલિન ભાવો ઊઠે છે. પરંતુ તે આત્માનું મૂળ સ્વરૂપ નથી. [૨] કથંચિત કોઈ શુભ પરિણામને કારણે કષાયોનો અભાવ હોય છતાં પણ જે કષાયોનો સંસ્કાર ચિત્તમાં સત્તામાં રહ્યો હોય તે કષાયોનો વાસનામય કાળ છે. કષાયોના રસ પ્રમાણે તેનાં કાળ-સ્થિતિ હોય છે. તેથી જીવે કરેલો ક્રોધ તત્કાળ શમી ગયો હોય પરંતુ ક્ષમાભાવ અમૃતધારા સાપ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001993
Book TitleAmrutdhara
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherAnandsumangal Parivar
Publication Year2004
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Ethics, & Sermon
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy