SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ એક બાજુ સ્ટીલ-લોખંડ છે બીજી બાજુ પાણી છે, બેમાં કોની શક્તિ વધારે ! સ્થૂળ દૃષ્ટિએ લોખંડની. પણ લોખંડને પાણીના પાત્રમાં નાંખી રાખો કાટ વળીને નાશ પામશે. આવાં ઘણાં દૃષ્ટાંતથી સમજીએ તો મનની શક્તિ વિશેષ છે. તે મન આહાર, ભય, મૈથુન અને પરિગ્રહની સંજ્ઞામાં બંધાઈ ગયું છે. મન સાધે તેને મંત્ર કહેવાય મુખ્ય મંત્ર પંચપરમેષ્ટિ ભગવંતો છે. તે વડે મનને વશ કરી શકાય. તેવી આરાધનાથી જ્ઞાન/વિવેક જન્મે છે. જેથી સાધક સર્વ નયોને દ્રવ્યક્ષેત્રાદિના યથાર્થપણાને જાણી શકે છે. મૂળમાં તે મંત્ર મોહને ઓળખાવે છે. પછી તેને હટાવે છે. [૪૨૯] ભક્તોનું હૃદય ચમત્કારિક છે. મંત્રશક્તિ આત્મપ્રેક ચમત્કારિક છે. “નમો અરિહતાણં એ વાસ્તવમાં મોહનો કટ્ટર વૈરી. શ્રી અરિહંતોનો મોહરૂપી કટ્ટર શત્રુ સામે આ જ્યનાદ છે. આથી અરિહંતને નમસ્કાર, એ મોહને પડકાર છે. શ્રી અરિહંતના નામથી મોહથી સત્તા ધ્રૂજી ઊઠે છે. કારણ કે અરિહંતનું નામ સ્નેહના શસ્ત્ર વડે મોહનાં મૂળિયાં ઉખેડનાર તથા વિશ્વના મિત્ર શ્રી અરિહંત પરમાત્માની વિધવાત્સલ્ય ભાવનાનું સ્મરણ કરાવનાર છે. [૪૩૦] “સર્વ જીવોની ઉત્કૃષ્ટ હિતચિંતાના ભાવરૂપ મિત્રતા વડે અહિંસાદિ-શત્રુતાનો ઉચ્છેદ કરનાર શ્રી અરિહંત પરમાત્મા છે તેથી ભાવથી તેમને નમસ્કા૨ ક૨ના૨ જીવ પણ જીવો પ્રત્યે શત્રુતાનો ત્યાગ ક૨ના૨ થઈને અરિહંત સ્વરૂપ બને છે.’’ [૪૩૧] સર્વયોગોનો સર્વથા નિરોધ કરવારૂપ ધ્યાન શ્રી જિનેશ્વરદેવોને હોય છે. જિનેશ્વરનો સામાન્ય અર્થ કેવળજ્ઞાનની સ્થિતિ પામેલા આત્માઓ એવો થાય છે. દેહરહિત શુદ્ધાત્માઓને તો યોગના વ્યાપારો શોધવાની જરૂર રહેતી નથી. કેવળજ્ઞાન પામ્યા પછી જ યોગોનો સર્વથા નિરોધ કરવાનું બળ આવે છે. આ પૌદ્ગલિક યોગ તે ઔદયિક આદિ Jain Education International અમૃતધારા * ૧૧૭ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001993
Book TitleAmrutdhara
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherAnandsumangal Parivar
Publication Year2004
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Ethics, & Sermon
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy