SearchBrowseAboutContactDonate
Page Preview
Page 248
Loading...
Download File
Download File
Page Text
________________ [ ; $ $ $ $ F. $ F $ E $ H $ મુક્તિબીજા સમ્યગ્દર્શન પ્રાપ્ત આત્મામાં સમજ્ઞાન સમુત્પન્ન હોય છે. તે જ્ઞાની || આત્માને પરભાવનો, પરપદાર્થનો કર્તાભાવ છૂટી જાય છે. આથી યોગ અને | ઉપયોગની ચંચળતા મટી જતાં અનુક્રમે તે પરમાત્મા બને છે. સ્વભાવથી આત્મા રાગાદિનો કર્તા નથી, તે ઔપાધિક ભાવ છે. જયારે | મોહનીય કર્મનો વિપાક થાય છે ત્યારે ક્રોધાદિના ઉદયથી જીવ છોધાદિભાવે પરિણમે છે. જેમ પાણી અગ્નિના સંયોગે શીત છતા ઉષણતાપે પરિણમે છે. | Fણ આત્મામાં થતાં દોધાદિભાવ નૈમિત્તિક ભાવ છે. નિમિત્તથી પેદા થતા ભાવ છે. ૪િ શુદ્ધ નિશ્ચયનયથી આત્મા પોતાના જ્ઞાનાદિ ગુણોનો કર્તા કે ભોક્તા છે. | "| કેવળ શુદ્ધભાવોનો જ કર્તા - ભોક્તા છે. અશુદ્ધ નિશ્ચય નયથી આત્મા ક્રોધાદિ વિભાવોનો કર્તા થવાથી ભોક્તા થાય છે. તેમ થવું હિતકારક નથી. સ્વભાવના પરિણમનથી જે કર્મ (પરિણામ) થાય છે, તેનો ઉપાદાન કર્તા છે. જ્ઞાનસ્વરુપી આત્માનો શુદ્ધ જ્ઞાનઉપયોગ જ ઉપાદાન કર્તા છે. અજ્ઞાનીજીવ રાગાદિનો કર્તા થઈ અહંકાર કરીને દુઃખ પામે છે. જ્ઞાનીને શુભરાગ થાય છે તો તેને મંદ કષાયનો ઉદય જાણે છે. ] | અશુભરાગનો ઉદય થાય તો તેને તીવ્ર કષાયનો ઉદય જાણે છે. પણ એકેને | સ્વભાવ જાણતા નથી, કષાયનો સંયોગ જાણે છે. પરોપકારાદિ કરે તો પણ તે તે કાર્યના કર્તા જ્ઞાની થતા નથી. તે 8િ શુભરાગનો ઉદય છે તેમ જાણે છે, છતાં જીવે કંઈ પણ કાર્ય કર્યું તે વ્યવહાર | નયથી કહેવાય છે. | સમન્ જ્ઞાનીને અનંતાનુબંધી કષાયના બ્રીણ થવાથી તેટલી વીતરાગતા | _| હોવાથી તે ઇન્દ્રિયના સુખને સુખ માનતા નથી, પણ રાગ સહિત હોય ત્યારે સુખ માની લે છે. જ્ઞાની જાણે છે કે સંસારના પદાર્થોમાં સુખ કે દુઃખ, મોહ, રાગ દ્વેષ કે અજ્ઞાનથી થાય છે. પદાર્થની પરિણતિ પોતાના સ્વભાવમાં સ્વતંત્ર છે. જેમાં એક જગાએ વર્ષા થઈ રહી છે. ખેડૂત વરસાદ જોઈને સુખી થાય છે. માર્ગે છત્રી %િ વગર ચાલતો માનવ દુ:ખી થાય છે. આત્મા અનાત્માનો વિવેક તે પ્રજ્ઞા છે, G 5 F % E F $ E $ F $ 6 $] ૨૨૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001991
Book TitleMuktibij
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSatsang Mandal Detroit USA
Publication Year1993
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Samyaktva
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy