SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ તત્ત્વનો નિર્ણય કેમ થતો નથી? જીવનો ઉપયોગ રાગમિશ્રિત છે. ભક્તિ આદિ કરી ત્યારે પણ લૌકિક ભાવ જોડાયેલો છે. તેથી રાગમાં જોડાઈ જાય છે. ભક્તિ સારી થઈ, ભાવ સારા થયા પણ વૈરાગ્યદશા ન પ્રગટી તો તારું પરિભ્રમણ નહિ ટળે. જીવને બુદ્ધિ, વિચાર. જ્ઞાનનો ઘણો વ્યાપાર હોય તોપણ વિચારશુદ્ધિ હોતી નથી. વળી આત્માનું લક્ષ પર તરફ હોય ત્યાં સુધી તેની દશા આવી અવદશા થવાની. આથી તેને મુક્તિનું કારણ એવી તત્ત્વોપલબ્ધિની પ્રાપ્તિ થતી નથી. અસાર એવા દુઃખરૂપ સંસારથી મુક્ત થવાનો ઉપાય તત્ત્વદૃષ્ટિજ્ઞાનદષ્ટિછે. અને દીર્ઘકાળથી જીવે તે તરફ લક્ષ્ય આપ્યું નથી. આત્મજ્ઞાન આત્મવિચાર વગર પ્રવર્તતું નથી. વળી અસત્સંગનું અને અસત્પ્રસંગો, સાંસારિક પ્રયોજન વિશેષપણે હોવાથી વિચારશુદ્ધિ શક્ય નથી. વળી આરંભ પરિગ્રહની વિશેષ પ્રવૃત્તિ હોવાથી તત્ત્વબોધની રૂચિ થવી સંભવ નથી. તેમાં જે મોહનિદ્રામાં સૂતા છે તે તો જ્ઞાનીમુનિ નથી. આત્મવિચારમાં પ્રવર્તતો મુનિ સદા જાગૃત છે. પ્રમાદીને તો ચારે બાજુ આકુળતા જ છે. હવે જો જીવ આરંભ સમારંભ પરિગ્રહમાં પાપ છે, અહિત છે તેમ બોધ પામે. તે પ્રકારો ઘટાડતો જાય, અસત્સંગ કે અસત્ પ્રસંગથી દૂર રહે તો વિચારશુદ્ધિ સંભવ છે. વિચારશુદ્ધિના બળે સર્વ દુઃખને નષ્ટ કરનારું આત્મજ્ઞાન પ્રગટે છે. વિશ્વ વિષયના વિકારમાં વિશ્રાંતિ પામતું નથી સંસારના વ્યવહાર અને વ્યાપારમાં નિરંતર ખૂંચેલો જીવ કહે છે : અરે ! મરવાની પણ ફૂરસદ નથી. ભાઈ તને મરવાની ફુરસદ ના હોય પણ કાળ તો નિયમથી ચાલે છે, તેને ઘણી ફુરસદ છે, કોઈના ય આયુષ્યકર્મને પૂર્ણ થતાં તે ક્યાં રાહ જુએ છે ? વિચારજે કે જન્મ, મરણ, રોગ, શોક, વૃદ્ધાવસ્થાદિ સમસ્ત ૧૫૬ ક હૃદયપ્રદીપનાં અજવાળાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001989
Book TitleHridaypradipna Ajwala
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherAnandsumangal Parivar
Publication Year2005
Total Pages170
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Yoga, & Principle
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy