SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ આથી કોઈ વાર એવું લાગે છે કે જન્મે મળેલા ધર્મસંપ્રદાયમાં એક સંસ્કારને તત્ત્વદૃષ્ટિએ વળગી રહેવાથી, નિર્દોષ જીવનલક્ષી બનાવવાથી, પ્રબળ જિજ્ઞાસાથી સાચો માર્ગ, અને તેના માર્ગદાતા મળી રહે છે. તેને ચારોચારી સંજીવની ન્યાય કહે છે. કોઈ બાઈનો પતિ સપત્ની લાવવાથી દુ:ખી થઈ. તેણે પતિને વશ કરવા એક જડીબુટ્ટી મેળવી. તે જડીબુટ્ટીના પ્રભાવે પતિ બળદ બની ગયો. હવે તેની સંભાળ રાખવા નવી પત્ની તૈયાર ન હતી. આથી પ્રેમવશ તે બળદ બનેલા પતિની સંભાળ રાખતી. જંગલમાં ચારો ચરાવવા લઈ જતી. બિચારો પતિ કામવશ કેવું દુઃખ પામ્યો ! રોજનાં શીરાપૂરી મૂકી ઘાસ ખાવા લાગ્યો. બંને પત્ની દુઃખી થઈ. બળદ પણ પસ્તાતો હતો. એક દિવસ બાઈ પતિને જંગલમાં લઈ ગઈ, ત્યાં બળદ ચારો ચરે છે. ઉપરથી એક વિદ્યાધર વિમાનમાં જતો હતો તે તેની વિદ્યાધરીને કહેતો હતો, આ બળદ મૂળમાં માનવ છે. આ જંગલમાં અમુક વનસ્પતિ છે તે જો ખાય તો બળદ પાછો અસલ રૂપમાં આવી જાય. બાઈએ આ વાત સાંભળી પણ તેને વનસ્પતિનો અનુભવ ન હતો. તેથી બળદને તેણે દૂર સુધી છૂટો મૂકી દીધો. ત્યાં યોગાનુયોગ પેલી વનસ્પતિ બળદના ખાવામાં આવી તે પુનઃ માનવપણું પામ્યો. આ પ્રમાણે કોઈ જીવ ઘણા પ્રકારના મતોના પરિચયમાં આવે, પણ જો સાચી જિજ્ઞાસા હોય તો તેને સન્માર્ગનો યોગ મળી રહે. વળી ઉપદેશકે પણ સમજવું કે લોકોની રુચિ ભિન્નપણે પ્રવર્તતી હોય છે. વળી એક જ વ્યક્તિમાં પણ વિભિન્ન માન્યતાઓ હોય છે. તે દરેકને રાજી રાખી શકાતા નથી. વળી ધર્મમાર્ગ લોકને રાજી રાખવા માટે પણ નથી. ભલે સદ્ધર્મનું પ્રસારણ અલ્પ થાય પણ અધર્મનો પ્રચાર કરી લોકોને પ્રસન્ન કરવાનો પ્રયત્ન એ ધર્મમાર્ગનો અપરાધ છે. વળી દરેક કાળને વિશે અધ્યાત્મની, તત્ત્વની રુચિવાળા જીવો ૧૧૨ * હ્રદયપ્રદીપનાં અજવાળાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001989
Book TitleHridaypradipna Ajwala
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherAnandsumangal Parivar
Publication Year2005
Total Pages170
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Yoga, & Principle
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy