SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ જીવ સંસારી છે; આવરણ રહિત મુક્ત છે. જગત પંચાસ્તિકાયસ્વરૂપ છે. જીવાસ્તિકાય, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય આકાશાસ્તિકાય અને પુદ્ગલાસ્તિકાય. પાંચે અસ્તિકાયનું સ્વપરિણમન તે જગતનું સ્વરૂપ છે. એ જગત સ્વસ્વરૂપે ટકનારું અને પર્યાયરૂપે ઉત્પન્ન તથા નાશ થનારું છે, અર્થાત્ નિરંતર પરિવર્તનશીલ છે. પાંચ અસ્તિકામાં કાળ ઉમેરતાં ષટ દ્રવ્યમય જગત છે. આ છે દ્રવ્યો પોતાના સ્વભાવ પ્રમાણે પરિણમન કરે છે, તે સંસારનું સંચાલન છે. તેમાં ઈશ્વરકર્તાની જરૂર નથી. ધર્મસત્તા અને કર્મસત્તા પોતાના નિયમથી કાર્યશીલ છે. જીવ અજ્ઞાનવશ કર્મને બાંધે છે અને જ્ઞાન થતાં કર્મથી મુક્ત થાય છે. રાગાદિ ભાવયુક્ત જીવ અજ્ઞાની છે, રાગાદિ ભાવથી મુક્ત જ્ઞાનદશા છે. અજ્ઞાની રાગમાં ભળે છે, રાગમય થાય છે. જ્ઞાની રાગની અવસ્થાને જાણે છે, રાગમાં તન્મય થતાં નથી, તેથી રાગાદિ અવસ્થાઓને તેઓ ઉલ્લંઘી જાય છે, આ ધર્મ છે. આ સત્ય છે, એ સત્ય વિશ્વવ્યાપક છે, અનંત છે તેથી તે સીમિત દેશકાળમાં કે વ્યક્તિમાં વ્યક્ત થઈ ન શકે. તેને ધારણ કરનાર પરમાત્માસ્વરૂપ છે. 0 ધર્મ પરમાત્મા પ્રત્યેનો સ્નેહ છે – સ્નેહ : ચરણ, શરણ, ગ્રહણ, સમર્પણ, આજ્ઞાધારણ આદિ સ્થાનો છે. તે સ્થાનમાં જીવ નિર્ભય હોય છે કારણ કે ધર્મ જિનેશ્વર ચરણ ગ્રહ્યા પછી, કોઈ ન બાંધે હો કર્મ. જિનેશ્વર ધર્મ : શુદ્ધ-પૂર્ણ આત્મસ્વરૂપ તે સર્વરૂપ પ્રાપ્ત જિનેશ્વરના ચરણને - બોધને ગ્રહણ કર્યા પછી કોઈ જીવ કર્મ બાંધતો નથી. તેના પરિણામે પ્રભુના પ્રકાશ સંવર નિર્જરામાં સ્થાયી થાય છે. આથી જીવનો પરનો કર્તાભાવ છૂટી જાય છે. હું પરનો નહિ પર મારા નહિ એવો નિશ્ચયબોધ તે ધર્મ પરિણામ છે. ધર્મક્રિયા એ સાધન છે, તે ધર્મ નથી. ધર્મક્રિયા શુભ પરિણામયુક્ત હોય તો પુણ્યનું સાધન છે. પાપક્રિયા પાપ કરવાનું સાધન છે. પાપી કર્તાભાવ વડે અસદ્ અભિમાનના કારણે ધર્મક્રિયામાં પણ પાપ કરે છે. ધર્મી સંસારની પાપક્રિયાયુક્ત પ્રવૃત્તિ કરતાં પણ નિર્જરા કરે છે. કારણ કે તેમને પરનો કર્તાભાવ નથી. ધર્માનું ચિત્ત ક્રિયા શોધતું નથી, પણ ૭૮ ૪ શ્રુતસાગરનાં બિંદુ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001974
Book TitleShrutasagarna Bindu
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherGunanuragi Mitro
Publication Year1999
Total Pages220
LanguageGujarati
ClassificationBook_Gujarati, Principle, & Religion
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy