SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ મોરારજી દેસાઈ ૨૨૧ તે કંઈ વાંચવાનો નથી. મને એટલો ટાઇમ પણ નહિ મળે.' મેં કહ્યું કે, આપના જેવા આટલી બધી જવાબદારી અને આટલા બધા કામવાળા માણસને મારું પુસ્તક વાંચવાનો સમય ન મળે તે હું સમજું છું તેમ છતાં આપની પાસે મારું પુસ્તક હોય એટલી પણ મારા માટે આનંદ અને સંતોષની વાત છે.' ત્યાર બાદ કેટલાક વખત પછી મોરારજીભાઈને મળવા જવાનું બન્યું. હું ઘરમાં અંદર ગયો ત્યારે તેમણે કહ્યું કે, હું તમારું પુસ્તક “પાસપોર્ટની પાંખે” વાંચી રહ્યો છું. આમ તો વાંચવું નહોતું પણ તમે આમાં “ગાતાં ફળ' નામનો પ્રસંગ લખ્યો છે તે વિશે જિજ્ઞાસા થઈ. તે વાંચ્યા પછી મને રસ પડ્યો અને એમ કરતાં કરતાં અડધું પુસ્તક તો વંચાઈ ગયું. હવે તે વાંચી પૂરું કરીશ.” મોરારજીભાઈ જેવી વ્યક્તિ મારું પુસ્તક રસપૂર્વક વાંચે એ વાત જ મારા માટે ધન્યતાનો અનુભવ કરાવે એવી હતી. મોરારજીભાઈ શિસ્તપાલનના કડક આગ્રહી હતા. “હું તો કોંગ્રેસનો સૈનિક છું', એવું તેઓ ત્યારે ઘણી વાર કહેતા. પોતે સત્તા પર હતા ત્યારે સમયની પાબંધી એમને પાળવી પડતી. પરંતુ વડાપ્રધાનના પદેથી નિવૃત્ત થયા પછી મુંબઈમાં પોતાના નિવાસસ્થાને રહેતા હતા ત્યારે એમને મળવા સહેલાઈથી જઈ શકાતું. પર્યુષણ વ્યાખ્યાનમાળામાં નિમંત્રણ આપવાને નિમિત્તે, વિષય, તારીખ વગેરે નક્કી કરવા માટે મારે એમને મળવા જવાનું થતું. તેઓ કહેતા કે “એ માટે મુલાકાતનો સમય નક્કી કરવાની આવશ્યકતા નથી. ગમે ત્યારે ઘરે આવી શકો છો. હું આખો દિવસ ઘરમાં જ હોઉં છું.” આવા મોટા નેતાનો વધુ સમય આપણે ન બગાડવો જોઈએ એમ સમજી હું ઊઠવાની ઉતાવળ કોઈ વાર કરતો તો તેઓ કહેતા કે “તમારે કામ હોય તો જજો. પરંતુ મારા સમયની ચિંતા કરીને ઉતાવળ કરવાની જરૂર નથી. તેમની સાથે અનેક વિષયોની વાતચીત થઈ શકતી, કારણ કે તેમનું વાંચન ઘણું વિશાળ હતું. એક વખત મુંબઈમાં વ્યાખ્યાનમાળામાં બિરલા ક્રીડા કેન્દ્રના હૉલમાં મારું અને મોરારજીભાઈનું એમ બે વ્યાખ્યાનો સાથે હતાં. મારું વ્યાખ્યાન શરૂ થવાને વાર હતી. મોરારજીભાઈ હજુ આવ્યા નહોતા. ભક્તિસંગીત શરૂ થઈ ગયું હતું. એવામાં મંચ ઉપર અચાનક મને બેઠાં બેઠાં ચક્કર આવી ગયાં. રાતના ઉજાગરાની અસર હશે. વ્યાખ્યાનમાળાના આયોજનની ચિંતા પણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001963
Book TitleVandaniya Hridaysparsh
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2005
Total Pages514
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Biography
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy