SearchBrowseAboutContactDonate
Page Preview
Page 506
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મકથાનુગ–મહાવીર-તીર્થ માં બહસ્પતિરત કથાનક : સૂત્ર ૨૭૪ ૮૫ શત્રુસેનાનો શીધ્ર વિનાશ કરતો અને પાછી ભગાડી મૂકતો. મહેશ્વરદત્તને નરક ઉ૫પાદ– ૨૭૪, તદનન્તર તે મહેશ્વરદત્ત પુરોહિત તે પ્રકારના કર્મોથી, તે પ્રકારના કાર્યોની પ્રધાનતાને કારણે, આ પ્રકારની વિદ્યા, મતિ અને આ પ્રકારની આચાર-પ્રવૃત્તિ ને લીધે અત્યધિક પાપકર્મોનું ઉપાર્જન કરીને ત્રણ હજાર વર્ષનું પરમ આયુષ્ય ભોગવીને મરણ સમયે મરણ પામીને સત્તર સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિવાળી પાંચમી નરકપૃથ્વીમાં નારક રૂપે ઉત્પન્ન થયા. બહપતિદત્તના વર્તમાન ભવનું વર્ણન૨૭૫. તદનાર તે મહેશ્વરદત્ત તે પાંચમી નરક પૃથ્વીમાંથી નીકળીને સીધો આ કૌશામ્બી નગરીમાં સોમદત્ત પુરોહિતની વસુદાભાર્યાની કુક્ષિમાં પુત્રરૂપે ઉત્પન્ન થયો. તપશ્ચાત્ તે બાળકને માતા-પિતાએ જમ્યા ને બાર દિવસ પૂરા થયા પછી આ અને આ પ્રમાણે નામકરણ કર્યું – સોમદત્ત પુરોહિત અને વસુદત્તાનો આત્મજ એવો અમારે આ બાળક “બૃહસ્પતિદત્ત' નામવાળો બને અર્થાત્ તેનું નામ બૃહસ્પતિદત્ત રહે.” તત્પશ્ચાત્ તે બૃહસ્પતિદત્ત બાળક પાંચ ધાયમાતાઓ દ્વારા પરિગૃહીત થતો યાવત્ પરિવર્ધિન થવા લાગ્યો-મોટો થવા લાગ્યો. ત્યાર બાદ તે બૃહસ્પતિદત્ત બાળક બાળપણથી મુક્ત થઈ, જ્ઞાન-વિજ્ઞાનમાં પરિપકવ બની યુવાવસ્થાને પામ્યા. તે ઉદયનકુમારનો પ્રિય બાળમિત્ર હતો, ને બંનેને જન્મ એક સાથે થયો હતો, બંને એક સાથે મોટા થયા હતા અને એક સાથે ૨મ્યા-ઉછર્યા હતા. તત્પશ્ચાત્ કોઈ એક સમયે શતાનીક રાજા કાળધર્મ પામ્યો. ત્યારે તે ઉદયન કુમારે ઘણા બધા રાજા, ઈશ્વર, નલવર, માડંબિક, કૌટુંબિક, ઈભ્ય શ્રેષ્ઠિ, સેનાપતિ, સાર્થવાહ પ્રભૂતિ મળીને શેતા, આક્રન્દ કરતા અને વિલાપ કરતાં મહાન ઋદ્ધિ સત્કાર અને સમારોહ પૂર્વક શતાનીક રાજની મરણોત્તર કાલીન શબદાહ આદિક્રિયાઓ કરી, ક્રિયા કર્યા પછી અન્ય અનેક લૌકિક મૃતક સંબંધી ક્રિયાઓ કરી. ત્યારબાદ તે અનેક રાજા, ઈશ્વર, તલવર, માડેબિક, કૌટુંબિક, ઈભ્ય, કોઠી, રોનાપતિ, સાર્થોવાહ પ્રભૂતિએ મળીને મહાનું રાજ્ય ભિષેક દ્વારા ઉદયન કુમારનો અભિષેક કર્યો. ત્યારે તે ઉદયન કુમાર પર્વતોમાં જેમ મહાહિમવન્ત, મલય અને મન્દર પર્વત હોય તેમ દેવેમાં ઈન્દ્ર સમાન મહાન પ્રતાપી રાજા બની ગયો. બહસ્પતિદત્ત વડે ઉદયન રાજાની રાજમહિલી સાથે ભેગો ભેગવવા૨૭૬. તત્પશ્ચાત્ તે બૃહસ્પતિદત્ત ઉદયન રાજાના પુરોહિતને લાયક કામકાજ કરતો, સર્વ સ્થાનોમાં, સર્વ ભૂમિકાઓ અને અંત:પુરમાં બેરેકટેક જવા લાગ્યા. - ત્યાર બાદ તે બૃહસ્પતિદત્ત પુરોહિતના રાજાના અંત:પુરમાં અવસર, અનવસર, કાળે અકાળે, રાત્રિ અને સંધ્યા સમયે સ્વેચ્છાપૂર્વક જવા-આવવાથી કોઈ સમયે પદ્માવતી રાણી સાથે સંપર્ક થઈ ગયો અને પદ્માવતી દેવી સાથે તે ઉદાર યથેષ્ઠ મનુષ્ય સંબંધી કામભોગેનું સેવન કરતો સમય વ્યતીત કરવા લાગ્યા. રાજા દ્વારા બુહસ્પતિદત્તની વિબના– ૨૭૭. અહીં કોઈ એક સમયે ઉદયન રાજા સ્નાન કરી યાવત્ અલંકારેથી વિભૂષિત થઈને જ્યાં પદ્માવતી દેવી હતી, ત્યાં પહોંચ્યો, પહોંચીને જોયું તો બૃહસ્પતિદત્ત પુરોહિતને પદ્માવતી દેવી સાથે મનુષ્ય સંબંધી યથેષ્ઠ કામ-ભોગનું સેવન કરતો જોયો, જોઈને ક્રોધિત થઈને, ભ્રમર ખેંચીને, નોકર પાસે બૃહસ્પતિદત્તને પકડાવ્યું, પકડાવીને લાકડી, મક્કા, લાત અને કેરી મારીને અંગ-અંગ તોડીને શરીરને દહીંની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001953
Book TitleDharmakathanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj, Dalsukh Malvania
PublisherAgam Anuyog Prakashan
Publication Year1991
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & agam_related_other_literature
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy