SearchBrowseAboutContactDonate
Page Preview
Page 479
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ તે વિજય વર્ધમાન ખેડમાં ઈક્કાઈ નામે રાષ્ટ્રકૂટરાજા દ્વારા નિયુક્ત કરેલા પ્રતિનિધિ હતા. તે અધાર્મિ ક-ધર્મ વિરોધી, અધમ ને અનુસરનારો, અધર્મ જ જેને પ્રિય છે, અધમ ને કહેનાર અને તેનું પ્રતિપાદન કરનાર, સર્વત્ર અધર્મને જ જોનાર, અધર્મમાં જ અનુરાગ રાખનાર, અધર્મનું જ આચરણ કરવાવાળા, અધમ થી જ આજીવિકા ચલાવવાવાળા, દુષ્ટ સ્વભાવવાળા, વ્રતાદિથી શૂન્ય રીતે દુષ્કૃત્યામાં આનંદ પામનાર હતા. તે ઇક્કાઈ રાષ્ટ્રકૂટ વિજય વર્ધમાન ખેડના પાંચસે ગામાનુ આધિપત્ય કરતા, અગ્રેસર પણું કરતા; સ્વામિત્વ કરતા, અસેશ્વર અને સેનાપતિત્વપણું કરતા વિહરી રહ્યો હતા. ઈક્રાઈનામક રાષ્ટ્રકૂટ દ્વારા પ્રજાને પીડા૧૯૧. ત્યાર પછી તે ઈકાઈ રાષ્ટ્રકૂટ વિજયવ માન ખેડના પાંચસા ગામાના ઘણા કર વડે એટલે કે ખેતર વિગેરેની ઊપજમાંથી ભાગ લેવા વડે, તે જ કરને વધારવા વડે, ખેડૂતા પાસેથી બેગણુ-ત્રણ ગણું ધાન્ય લઈને લાંચ લેવા વડે, દમન કરીને, દેવાદાર માણસ પાસેથી અધિક વ્યાજ લઈને, જૂઠા અપરાધા લગાવીને, અન્નશસ્ત્ર વેચવાના અપરાધ માટે, ચારાનું પાષણ કરવા વડે, વટેમાર્ગુ આને મારવા વડે, પ્રજાને પીડા કરતા કરના ધરહિત એટલે. આચાર ભ્રષ્ટ કરતા કરતા, તર્જના કરતા કરતા એટલે “ મારી અમુક વસ્તુ તું આપતા નથી તેથી તું યાદ રાખજે ” એ રીતે કહીને ધૈર્યવાન (નીડર) મનુષ્યને ભય પમાડતા, તાડના કરતા એટલે કે માર મારતા તથા તે લેાકેાને નિર્ધન કરતા વિચરતા હતા—રહેતા હતા. ધર્મ કથાનુયાગ—મહાવીર–તા'માં મૃગાપુત્ર કથાનક ઃ સૂત્ર ૧૯૨ સબંધી વિચારોમાં, ગુપ્ત રહસ્યામાં, નિશ્ચયામાં અને વ્યવહાર (વિવાદ)માં પાતે સાંભળ્યા છતાં કહેતા કે-‘મેં સાંભળ્યું નથી. ' અને નહીં સાંભળ્યા છતાં કહેતા ‘મેં સાંભળ્યુ` છે.’ એ જ પ્રમાણે જોવા છતાં, બાલવા છતાં, ગ્રહણ કરવા છતાં અને જાણવા છતાં ‘ મેં જોયું નથી, કહ્યું નથી, ગ્રહણ કર્યું નથી અને જાણતા નથી ' એમ કહેતા હતા. તે જ પ્રમાણે તેનાથી વિપરીત પણ ન જાણેલા, ન કહેલા, ન ગ્રહણ કરેલા અને ન જોયેલા જાણેલાને કહેતા ‘હું જાણું છું, મેં કહ્યુ છે, મેં ગ્રહણ કર્યું છે, મે જોયેલુ' જાણેલું છે. ' એમ અસત્ય કહેતા અથ પ્રત્યેક વાત માટે વિપરીત જ 67 કહેતા. ત્યાર પછી તે ઈકાઈ રાષ્ટ્રકૂટ વિજય વ - માન ખેડના ઘણા રાજા, યુવરાજ, તલવર, માડબિક, અધિપતિ, કૌટુંબિક, શ્રેષ્ઠી અને સા વાહા તથા બીજા પણ ગામના ઘણા લેાકેાનાં ઘણાં કાર્યા સંબંધી અને કારણા Jain Education International આ પ્રમાણે તે ઈકાઈ રાષ્ટ્રક્ટ આવા પ્રકારના કર્મવાળા, આવા જ કાર્યમાં તત્પર, આવી જ વિદ્યા (કળા)વાળા અને આવા જ આચારવાળા થઈને અત્યંત ઘણા અને કલહના હેતુરૂપ મલિન પાપકર્માનું ઉપાર્જન કરતા વિહરી રહ્યો હતા. ઈક્રાઈને અસાધ્ય રોગાતક ૧૯૨. ત્યાર પછી તે ઈક્કાઈ રાષ્ટ્રકૂટના શરીરમાં કોઈ એક સમયે એકી સાથે સાળ રાગાત ક ઉત્પન્ન થયા. તેનાં નામ આ પ્રમાણે છે— (૧) શ્વાસ (૨) કાસ (ખાંસી) (૩) જ્વર (૪) દાહ (પ) કુક્ષિશૂલ (૬) ભગંદર (૭) અશ ભસા (૮) અજીર્ણ (૯) નેત્રશૂળ (૧૦) મસ્તક શૂળ (૧૧) અરુચિ-ભાજનની ઇચ્છા ન થવી (૧૨) નેત્રપીડા (૧૩) કણ પીડા (૧૪) કડૂ (ખરજવું) (૧પ) જલેાદર (૧૬) કાઢ. ત્યાર પછી તે ઈક્કાઈ રાષ્ટ્રકૂટ માળ રોગાતંક વડે 'પરાભવ પામતા કૌંટુબિક પુરુષોને (સેવાને) બાલાવે છે, બાલાવીને, આ પ્રમાણે કહેતા હતા. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001953
Book TitleDharmakathanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj, Dalsukh Malvania
PublisherAgam Anuyog Prakashan
Publication Year1991
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & agam_related_other_literature
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy