SearchBrowseAboutContactDonate
Page Preview
Page 414
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મકથાનગ-મહાવીર-તીર્થમાં આજીવક તીર્થકર ગોશાલક કથાનક : સૂત્ર ૧૧૩ સાંભળીને જ્યાં વિમલવાહન રાજા હશે ત્યાં જશે, જઈને હાથ જોડીને વિમલવાહન રાજાને જય અને વિજયથી વધાવશે, વધાવીને આ પ્રમાણે કહેશે-“હે દેવાનુપ્રિય ! શ્રમણ નિગ્રંથોના વિરોધી થઈને કેટલાકને આપ આક્રોશ કરો છો યાવતુ કેટલાકને નિર્વાસિત કરે છે. તો આ દેવાનુપ્રિય માટે શ્રેયસ્કર નથી. અમારા માટે પણ શ્રેયસ્કર નથી, કે રાજ્યને માટે થાવત્ જનપદને માટે શ્રેયસ્કર નથી કે દેવાનુપ્રિય શ્રમણનિર્ગથેના વિરોધી બન્યા છે. તો દેવાનુપ્રિય આ પ્રકારના અપકૃત્યથી અટકે [ એવી વિનંતી].' ત્યારે તે વિમલવાહન રાજાને અનેક સામંતો યથાવત્ સાર્થવાહ વગેરે દ્વારા આવી વિનંતી થતાં “ધર્મ નથી, તપ નથી,' એમ અવિનય પૂર્વક આ વાત સાંભળશે. સુમંગલ અનગાર પ્રતિ વિમલવાહન કૃત ઉપસર્ગ સુમંગલ અનગારને રથનો અગ્રભાગ અથડાવીને પાડી દેશે. ત્યારે તે સુમંગલ અનગાર વિમલ વાહન રાજા દ્વારા રથના અગ્રભાગથી અથડાવીને પાડી દેવાતાં ધીરે ધીરે ઊભા થશે, ઊભા થઈને ફરીથી હાથ ઊંચા કરી ભાવતુ આતાપના કરતાં વિહરશે. ત્યારે તે વિમલવાહન રાજા સુમંગલ અનગારને બીજીવાર પણ ૨થનો અગ્રભાગ અથડાવશે અને પાડી દેશે. ત્યારે તે સુમંગલ અનગાર વિમલવાહન રાજા દ્વારા બીજીવાર પણ રથના અથડાવાથી પડી જશે અને ધીરે ધીરે ઊભા થશે, ઊભા થવાની સાથે અવધિજ્ઞાનનો પ્રયોગ કરશે, પ્રયોગ કરીને વિમલવાહન રાજાના ભૂતકાળનું અવધિજ્ઞાનથી અવલોકન કરશે, અવલોકન કરીને વિમલવાહન રાજાને આમ કહેશે- તું ખરેખર વિમલવાહન રાજા નથી, તું ખરેખર દેવસેન રાજા નથી, તું ખરેખર મહાપા રાજા નથી. હું તો આજથી ત્રીજા પૂર્વભવમાં ગોશાલ નામનો મંખલિપુત્ર હતો. શ્રમણ ઘાતક યાવત્ છમસ્થાવસ્થામાં કાળ પામ્યો હતો. ત્યારે તે વખતે સર્વાનુભૂતિ અનગારે સમર્થ હોવા છતાં તેને સમ્યફ રીતે સહન કરી લીધો, ખમી લીધો, તિતિક્ષા કરી અને ચલાવી લીધા. અને તે વખતે સુનક્ષત્ર અનગારે પણ તને યાવત્ ચલાવી લીધા અને તને તે સમયે શ્રમણ ભગવાન મહાવીરે સમર્થ હોવા છતાં ભાવનું માફ કર્યો. પણ હું ખરેખર તેવી રીતે સમ્યફ પણે તને સહી નહિ લઉં થાવત્ માફ નહિ કરું. હું તો તને ખરેખર અશ્વો સાથે, રથ સાથે, સારથી સાથે તપના તેજથી એક આઘાતથી, કૂટાઘાતથી ભસ્મરાશિ કરી દઈશ.' ત્યારે તે વિમલવાહન રાજા સુમંગલ અનગાર દ્વારા આમ કહેવાતાંની સાથે જ ક્રોધાયમાન યાવતુ રાતોપીળો થઈને સુમંગલ અનગારને ત્રીજી વાર પણ રથના અગ્રભાગથી અથડાવશે. ૧૧૩. તે શતદ્વાર નગરની બહાર ઉત્તર પૂર્વ દિશામાં સુભૂમિભાગ નામે ઉઘાન હશે-સર્વ ઋતુના પુષ્પ જેમા છે આદિ વર્ણન. તે કાળે તે સમયે વિમલનાથ અરહંતની પરંપરાના સુમંગલ નામના અનગાર ઉચ્ચ જાતિના યાવત્ જાતિ સ્મરણશાન સંપન્ન-જેવી રીતે ધર્મધષનું વર્ણન છે તેવા યાવનું સંક્ષિપ્ત અને વિપુલ તેજોલેશ્યાવાળા, ત્રણ જ્ઞાન વાળા, સુભૂમિભાગ ઉદ્યાનથી બહુ દૂર નહિ બહુ નજીક નહિ તેમ રહીને છઠ્ઠ છઠ્ઠના નિરંતર તપથી આતાપના લેતા વિહરશે. ત્યાર પછી કઈ એક વાર તે વિમલવાહન રાજા રથચર્યા કરવા માટે નીકળશે. ત્યારે તે વિમલવાહન રાજા સુભૂમિભાગ ઉદ્યાનથી બહુ દૂર કે નજીક નહિ તેવી રીતે નગર ચર્યા કરતાં સુમંગલ અનગારને છઠ્ઠ છઠ્ઠના ભાવ આસાપના કરતાં જોશે, જોઈને ખૂબ ગુસ્સે થઈને યાવત્ રાતો પીળો થઈને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001953
Book TitleDharmakathanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj, Dalsukh Malvania
PublisherAgam Anuyog Prakashan
Publication Year1991
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & agam_related_other_literature
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy