SearchBrowseAboutContactDonate
Page Preview
Page 378
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મ કથાનુયાગ—મહાવીર—તીમાં જમાહિ નિહવ થાનક : સૂત્ર ૧૩ ગૃહવાસના ત્યાગ કરી અનગારિક પ્રવ્રજ્યા 'ગીકાર કરવા ઇચ્છુ છુ.' માતા-પિતા દ્વારા પ્રત્રજ્યા-અતુમેદન— ૧૩. જ્યારે જમાલિ ક્ષત્રિયકુમારને તેના માતા-પિતા વિષયના અનુકૂલ તથા વિષયને પ્રતિકૂલ એવી ઘણી ઉક્તિ, પ્રજ્ઞપ્તિએ, સશપ્તિએ અને વિનતિઓથી કહેવાને, સમજાવવાને શક્તિમાન ન થયા ત્યારે અનિચ્છાપૂર્વક તેએએ જમાલિ ક્ષત્રિયકુમારને દીક્ષા લેવાની અનુમતિ આપી. પ્રમાની પૂર્વનાં કાર્યાં— ૧૪. ત્યાર પછી તે જમાલિ ક્ષત્રિયકુમારના પિતાએ કૌટુંબિક પુરુષાને બાલાવ્યા અને બાલાવીને આ પ્રમાણે કહ્યું હે દેવાનુપ્રિયા ! શીઘ્ર આ ક્ષત્રિયકુંડગ્રામ નગરની બહાર અને અંદર પાણીથી છટકાવ કરાવા, વાળીને સાફ કરાવા, અને લીંપાવા' ઈત્યાદિ પપાતિક સૂત્રમાં કહ્યા પ્રમાણે-યાવત્ ‘ શ્રેષ્ઠ સુગંધના છંટકાવ કરી ગંધતિ કાની સમાન બનાવા અને બનાવરાવા. તેમ કરીને અને કરાવરાવીને મારી આજ્ઞા પાછી આપેા.' આશાઅનુસાર કાર્ય કરીને તે કૌટુબિક પુરુષાએ આશા પાછી આપી. ત્યારબાદ ફરી વાર તે જમાલિ ક્ષત્રિયકુમારના પિતાએ કૌટુંબિક પુરુષાને બાલાવ્યા, અને બાલાવીને આ પ્રમાણે કહ્યુ - હે દેવાનુપ્રિયા ! શીઘ્ર જ જમાલિ ક્ષત્રિયકુમારને માટે મહા, મહામૂલ્યવાન, મહાન પુરુષાને યાગ્ય, વિપુલ નિષ્ક્રમણાભિષેકની સામગ્રી ઉપસ્થિત કરો.’ ત્યારે તે કૌટુંબિક પુરુષાએ આશા અનુસાર કાર્ય કરીને યાવત્–આશાનુસાર અભિષેક– સામગ્રી ઉપસ્થિત કરી. ત્યારબાદ તે જમાલિ ક્ષત્રિય કુમારને તેના માતા-પિતાએ ઉત્તમ સિહાસન પર પૂર્વ દિશા અભિમુખ બેસાડયો, અને બેસાડીને એકસા આઠ સાનાના કળશાથી, એકસા આઠ ચાંદીના કળશાથી, એકસા આઠ મણિમય Jain Education International કલાથી, એકસેા આઠ સેાના-ચાંદીના કલશાથી, એકસા આઠ સુવર્ણ –મણિમય કલશેાથી, એકસા આઠ રજત-મણિમય કલશાથી, એકસા આઠ સુવર્ણ -રજત-મણિમય કલાથી અને એકસા આઠ માટીના કલશેાથી, સર્વ ઋદ્ધિ, સમસ્ત વ્રુતિ, સમસ્ત બળ, સમસ્ત સમૃદ્ધિ, સમસ્ત આદર, સમસ્ત વિભૂતિ, સમસ્ત વિભૂષણ, સમસ્ત સન્માન, સમસ્ત પુષ્પ-ગધ-માલા અને અલંકારોથી, સમસ્ત વાદ્ય-સમૂહના શબ્દનિનાદથી, મહાન ઋદ્ધિ, મહાન દ્યુતિ, મહાન બલ, મહાન સમૃદ્ધિ અને એક સાથે વાગી રહેલા શંખ, પણવ, પટહ, ભેરી, ઝાલર, ખરમુખી, હુડુક્કી, મુરજ, મૃદંગ, દુંદુભી વગેરે વાદ્યવૃન્દાના નિર્દોષના પ્રતિધ્વનિ-શબ્દોની સાથે, મહાન નિષ્ક્રિમણાભિષેકથી અભિષિક્ત કર્યા, અભિષેક કરીને દસ નખ સહિત બંને હાથેા જોડી આવતા પૂર્વક મસ્તક પર અંજલિ રચી જય-વિજય શબ્દો વડે વધાવ્યા, વધાવીને આ પ્રમાણે કહ્યું- હે પુત્ર! તારા પ્રિય જનાને અમે શું આપીએ ? તારે માટે અમે શું કા કરીએ ? તારી શુ` ઈચ્છા છે'? ૧૫. ત્યારે તે જમાલિ ક્ષત્રિયકુમારે માતા-પિતાને આ પ્રમાણે કહ્યું-‘હે માતા-પિતા ! હું ઈચ્છુ છું કે કુત્રિકાપણથી એક રજોહરણ અને એક પાત્ર મંગાવી આપેા અને હજામને બાલાવી લેા.’ ત્યારબાદ તે જમાલિ ક્ષત્રિયકુમારના માતાપિતાએ કૌટુંબિક પુરુષાને બાલાવ્યા અને બાલાવીને તેમને આ પ્રમાણે કહ્યું કે‘ હે દેવાનુપ્રિયા ! શીઘ્ર જ આપણા ખજાનામાંથી ત્રણ લાખ સાનામહાર લઈને તેમાંથી કુત્રિકાપણમાંથી બે લાખ સેાનામહારનુ એક રજોહરણ અને એક પાત્ર લાવા, તથા એક લાખ સેાનામહાર આપીને એક હજામને બાલાવા.’ ત્યારબાદ તે કૌટુંબિક પુરુષાએ જમાલિ ક્ષત્રિયકુમારના પિતાના આ આદેશને સાંભળી હૃષ્ટ-તુષ્ટ થઈ દસ નખ સહિત બંને હાથ જોડી આવ પૂર્વક મસ્તક પર અંજલિ રચી, For Private Personal Use Only www.jainelibrary.org
SR No.001953
Book TitleDharmakathanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj, Dalsukh Malvania
PublisherAgam Anuyog Prakashan
Publication Year1991
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & agam_related_other_literature
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy