SearchBrowseAboutContactDonate
Page Preview
Page 363
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૮ જ્ઞાનીના સાન્નિધ્યમાં આત્મ-ચિંતન, મનન, સ્વાધ્યાય, ધર્મ-ધ્યાન આદિમાં વ્યતીત કરે છે. સાધક એક મહિનામાં બે ચૌદશ, બે આઠમ, પૂર્ણિમા તથા અમાસ–એ છ પ-દિનામાં પૌષધ પ્રતિમાનું પરિપાલન કરે છે. (૫) નિયમ-પ્રતિમા–આ પાંચમી પ્રતિમામાં સાધક નીચેના પાંચ નિયમાનું પાલન કરે છે : (ક) તે સ્નાન કરતા નથી. (ખ) રાત્રિમાં ચારે પ્રકારના (અશન, પાન, ખાદ્ય, સ્વાદ્ય) આહારના ત્યાગ કરે છે. (ગ) મુકુલંકૃત રહે છે અર્થાત્ ધાતીને કચ્છ ભીડતા નથી, માત્ર સાધુની સમાન વીંટે છે. (*) દિવસે પૂર્ણ બ્રહ્મચર્ય અને રાત્રિએ પણ અબ્રહ્મ સેવનની મર્યાદા. (ચ) એક રાત્રિની પ્રતિમાનું સારી રીતે પાલન કરવું. આ પ્રતિમાના આરાધક સચિત્ત જળના ઉપયાગ કરતા નથી. (૬) બ્રહ્મચય પ્રતિમા—આ પ્રતિમાની આરાધના કરતાં કામણેાપાસક બ્રહ્મચર્યનું પાલન કરે છે, બ્રહ્મચર્યોંમાં દોષ લાગવાની સંભાવના હોય તેવા પ્રકારના હાસ્ય-વિનાદ પણ કરતા નથી. (૭) સચિત્ત ત્યાગ પ્રતિમા–આ પ્રતિમામાં બધા પ્રકારના સચિત્ત આહાર વગેરેના ત્યાગ કરવામાં આવે છે. (૮) ખાર‘ભત્યાગ પ્રતિમા–આ પ્રતિમાના આરાધક ઘર અને વ્યાપાર સંબંધી કા કરતા નથી. (૯) શ્રેષ્ઠ પરિત્યાગ પ્રતિમા–આ પ્રતિમાનુ આરાધન કરનાર પુત્ર, નાકર વગેરે પાસે પણ ઘર કે વ્યાપાર સંબંધી કાર્ય કરાવતા નથી. તે ઘર કે વ્યાપાર સંબંધી કાર્ય માટે અનુમતિ નથી આપતા. તે વાહનાના ત્યાગ કરે છે— Jain Education International પરિશિષ્ટ જળયાન, વાયુયાન, સ્કુટર, રીક્ષા, બળદગાડી, ઘેાડાગાડી, ઊંટ, હાથી વ. કોઈ પણ સવારીના ન પાતે ઉપયાગ કરે છે, ન કોઈની પાસે કરાવે છે. (૧૦) ઉદ્દિષ્ટ-ભક્ત-ત્યાગ પ્રતિમા – આ પ્રતિમાના આરાધક પેાતાને માટે બનેલ ભાજન પણ ખાતા નથી. તે પાતાના મસ્તકના વાળ અસ્રાથી કાપે છે, પરંતુ ગૃહસ્થના ચિહ્નરૂપ ચાટલી રાખે છે. તે વચનયાગના સવર પણ કરે છે. કોઈ પ્રશ્ન પૂછવામાં આવે તે જો તે જાણતા હોય તે કહે છે ‘હું જાણુ છુ.’ અને જો ન જાણતા હોય તેા કહે છે ‘હું નથી જાણતા.’ તે પેાતાના અધિકાંશ સમય સ્વાધ્યાય, ધ્યાન આદિ ધર્મક્રિયાઆમાં ગાળે છે અને મન-વચન -કાયા–ત્રણે યાગેાના સવર કરે છે. (૧૧) શ્રમણભૂત પ્રતિમા—આ પ્રતિમાના આરાધક ગૃહત્યાગ કરે છે, તે શ્રમણા સાથે અથવા ધર્મસ્થાનકમાં જઈને રહે છે. તેની વેશભૂષા ામણ જેવી હોય છે, ભિક્ષા દ્વારા તે ભાજન પ્રાપ્ત કરે છે, કેશલાચ કરે છે— અશક્તાવસ્થામાં અન્નાથી પણ મુંડન કરાવી શકે છે. આ પ્રતિમાઓની સાધના ક્રમશ થાય છે, અર્થાત્ પહેલી પ્રતિમા પછી બીજી પ્રતિમા, બાદ ત્રીજી, એ રીતે અંતમાં અગિયારમી પ્રતિમાની આરાધના કરવાની હોય છે. પ્રથમ પ્રતિમાના આરાધના-કાળ ૧ માસ, બીજીનેા ૨ માસ, ત્રીજીના ૩ માસ, ચેાથીના ૪ માસ, પાંચમીના ૫ માસ, છઠ્ઠીના ૬ માસ, સાતમીના ૭ માસ, આઠમીના ૮ માસ, નવમીના ૯ માસ, દસમીના ૧૦ માસ અને અગિયારમીના ૧૧ માસ હોય છે. આ પ્રતિમાઓની આરાધના પછી સામા-યતયા કામણેાપાસક શ્રામણ બની જાય છે. જો તે અશક્ત હોય તેા કામણેાપાસક જ રહે છે. For Private Personal Use Only www.jainelibrary.org
SR No.001953
Book TitleDharmakathanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj, Dalsukh Malvania
PublisherAgam Anuyog Prakashan
Publication Year1991
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & agam_related_other_literature
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy