SearchBrowseAboutContactDonate
Page Preview
Page 313
Loading...
Download File
Download File
Page Text
________________ પર ધર્માં કથાનુયાગ—મહાવીર–તીમાં મહાશતક ગાથાપતિ સ્થાનક : સૂત્ર ૨૪૨ થઈ શ્રમણ ભગવાન મહાવીર પાસેથી અંગીકૃત કરેલી ધ પ્રજ્ઞપ્તિ, ધ શિક્ષાને અનુરૂપ વિચરણ કરવા લાગ્યા. આદિમાં તળીને અને અગ્નિમાં પકાવી તેમ જ સુરા, મધુ, મેરક, મદ્ય, સીધુ અને પ્રસન્ન નામની મદિરાઓનો આસ્વાદ લેતી, ચાખતી, આપતી તેમ જ લાલુપતાપૂર્વક સેવન કરતી રહેવા લાગી. મહાશતકની ધર્મ જાગરિકા— ૨૪૧. તદનન્તર તે મહાશતક શ્રમણાપાસકના વિવિધ પ્રકારના શીલવ્રત, ગુણવ્રત, વિરમણ, પ્રત્યાખ્યાન, પૌષધાપવાસા દ્વારા આત્માને ભાવિત કરતાં ચૌદ વર્ષાં વ્યતીત થઈ ગયાં અને પંદરમું વ ચાલી રહ્યુ હતુ. ત્યારે કોઈ એક દિવસ મધ્યરાત્રિના સમયે ધર્મ જાગરણ કરતા આ પ્રમાણેના ચિંતિત, પ્રાતિ, મનેાગત સંકલ્પ ઉત્પન્ન થયા કે–‘ મને રાજગૃહ નગરના ઘણા બધા રાજા યાવત્ સા વાહ પ્રભૃતિ પૂછે છે, મારી સલાહ લે છે, તથા સ્વયં મારા કુટુંબમાં પણ હું માભની જેમ આધારભૂત છું અને સમસ્ત કાર્યાના નિદેશક છું, પરંતુ આ વિક્ષેપ-અડચણને કારણે હું શ્રમણ ભગવાન મહાવીર પાસે અંગીકૃત ધ પ્રજ્ઞપ્તિનું અનુરૂપ પરિપાલન કરવામાં સમથ નથી થઈ શકતા, પરિપાલન નથી કરી શકતા.' તત્પૠાનૂ તે ામણેાપાસકે જયેષ્ઠ પુત્ર, મિત્રા જ્ઞાતિ-બંધુઆ, સ્વજન સંબંધીએ અને પરિચિતજનાની અનુમતિ માગી, અનુમતિ માગીને તે પાતાના ઘરેથી નીકળ્યા, નીકળીને રાજગૃહ નગરના મધ્યભાગમાંથી પસાર થઈ જ્યાં પૌષધશાળા હતી ત્યાં ગયા, ત્યાં જઈને પૌષધશાળાનું પ્રમાર્જન કર્યું સાફ કરી, પ્રમાર્જન કરીને શૌચ તેમ જ લઘુશંકાના સ્થાન ની પ્રતિલેખના કરી, પ્રતિલેખના કરીને દર્ભનુ બનેલું આસન પાથયું, પાથરીને તે કુશસ'સ્તારક પર બેઠા અને પૌષધશાળામાં પૌષધવ્રત ધારણ કરીને મણિ, સુવર્ણ, માળા, વિલેપન, વક આદિના ત્યાગ કરી, મૂસલ આદિ શસ્રો એક બાજુ પર મૂકીને, એકાકી બનીને બ્રહ્મચર્ય પૂર્વક દસસ્તારક પર સ્થિર Jain Education International For Private મહાશતક પર રેવતીએ કરેલા અનુકૂળ ઉપસર્ગ — ૨૪૨. તત્પશ્ચાત્ કોઈ એક દિવસ તે રેવતી ગાથાપત્ની શરાબના નશામાં ઉન્મત્ત, લડખડાતી, વિખરાયેલા વાળવાળી, વારવાર પેાતાના ઉત્તરીય-ઉપર ઓઢવાના વચને પાડતી જ્યાં પૌષધશાળા હતી, જ્યાં મહાશતક શ્રમણાપાસક હતા ત્યાં આવી, ત્યાં આવીને માહ તેમ જ ઉન્માદજનક કામાદ્દીપક કટાક્ષ આદિ સ્ત્રીભાવાનું વારંવાર પ્રદર્શન કરતી-બતાવતી મહાશતક કામણેપાસકને કહેવા લાગી-આ ધર્મ, પુણ્ય, સ્વર્ગ, મેાક્ષની કામના ઇચ્છા આકાંક્ષા તેમ જ અભિલાષા રાખનારા મહાશતક શ્રમણાપાસક! તમે તે ધર્મ, પુણ્ય, સ્વર્ગ અથવા મેાક્ષથી શુ' પ્રાપ્ત કરશે। ? જેના કારણે હે દેવાનુપ્રિય ! તમે મારી સાથે મન માન્યા મનુષ્ય જીવન સબંધી વિષય ભાગા ભાગવતા નથી ? અર્થાત્ મારી સાથે ભાગ ભાગવવામાં જે સુખ મળશે તે ધર્મ આદિથી પ્રાપ્ત થઈ શકશે નહિ.' તે મહાશતક શ્રમણાપાસકે રેવતી ગાથાપત્નીની આ વાતના આદર ન કર્યા, તેના પર ધ્યાન ન આપ્યું પરંતુ ઉપેક્ષા અને ઉદાસીન ભાવે મૌનપૂર્વક ધર્મારાધનામાં રત રહ્યો. તે જોઈને તે ગાથાપત્ની રેવતીએ મહાશતક શ્રમણાપાસકને બીજી અને ત્રીજી વાર પણ આ પ્રમાણે કહ્યુ –‘એ મહાશતક શ્રામણેાપાસક ! તમને તે ધર્મ, પુણ્ય, સ્વર્ગ અથવા માક્ષથી શું પ્રાપ્ત થશે ? કે જેના કારણે તમે મારી સાથે મન-માન્યા મનુષ્ય સંબધી ભાગા ભાગવતા વિચરણ નથી કરતા ?' મહાશતક શ્રમણાપાસકે રેવતી ગાથા-પત્ની દ્વારા બીજી વાર, ત્રીજી વાર કહેવાયેલી આ વાત સાંભળીને પણ તેના આદર ન કર્યા, તેના પર ધ્યાન ન આપ્યું પરંતુ ઉપેક્ષા અને ઉદાસીનતા દાખવી તે ધર્મ સાધનામાં રત રહ્યો. Personal Use Only www.jainelibrary.org
SR No.001953
Book TitleDharmakathanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj, Dalsukh Malvania
PublisherAgam Anuyog Prakashan
Publication Year1991
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & agam_related_other_literature
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy