SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૦ ધર્મકથાનુગ–મહાવીર-તીર્થમાં આનંદ કથાનક : સૂત્ર ૧૦૫ આલોચના કર, નિંદા, ગહ કર. આવી અયોગ્ય ધારણાની શુદ્ધિ કર, શુદ્ધિને માટે તપ કર્મ (પ્રાયશ્ચિત્ત) સ્વીકાર કર.' ત્યારે ને આનંદ શ્રમણોપાસકે ભગવાન ગૌતમને કહ્યું – હે ભગવન્! જિન પ્રવચનમાં સત્ય, તથ્ય તથા યથાર્થ ભાવેની આલોચના, પ્રતિક્રમણ,નિંદા, ગહી, નિવૃત્તિ, અયોગ્યકરણની શુદ્ધિ કરાય છે? યાવનું પ્રાયશ્ચિત્તરૂપે તપનો સ્વીકાર કરાય છે ?” ભગવાન દ્વારા ગૌતમની શંકાનું નિવારણ ૧૦૫. ત્યાર બાદ આનંદ શ્રાવક દ્વારા આ પ્રમાણે કહેવાતાં શકિત-શંકાવાળા, કાંક્ષિત-જિજ્ઞાસાવાળા અને વિચિકિત્સા-સંશયને પ્રાપ્ત થયેલા ભગવાન ગૌતમ આનંદ શ્રાવક પાસેથી બહાર નીકળ્યા, નીકળીને જ્યાં દૂનિપલાશ રીય અને શ્રમણ ભગવાન મહાવીર હતા ત્યાં આવ્યા, ત્યાં આવીને શ્રમણ ભગવાન મહાવીરથી થોડે દૂર રહી ગમનાગમન સંબંધી પ્રતિક્રમણ કર્યું, પ્રતિક્રમણ કરી, એષણા-અનેષણાની આલોચના કરી, આલોચના કરીને ભગવાનને આહાર-પાણી દેખાડયા, આહારપાણી દેખાડી શ્રમણ ભગવંત મહાવીરને વંદન અને નમસ્કાર કરીને આ પ્રમાણે કહેવા લાગ્યા“હે ભગવંત! આપની અનુજ્ઞા મેળવી હું વાણિજ્યગ્રામ તગરમાં ગોચરી માટે ગયો હતો. યથાયોગ્ય આહારપાણી મેળવી હું વાણિજયગ્રામ નગરમાંથી નીકળ્યો, નીકળોને કલાગ સંનિવેશ પાસેથી પસાર થતો હતો ત્યારે અનેક માણસોનો કોલાહલ સાંભળ્યા, તે બધા માણસ અન્ય આ પ્રમાણે કહી રહ્યા હતા બોલી રહ્યા હતા યાવનું પ્રતિપાદન કરતા હતા કે હે દેવાનુપ્રિયે ! શ્રમણ ભગવાન મહાવીરના અંતેવાસી અનુયાયી આનંદ શ્રમણોપાસક પૌષધશાળામાં અંતિમ મરણાંતિક સંલેખના અંગીકાર કરીને, ભક્તપાનને પરિત્યાગ કરીને, મૃત્યુની આકાંક્ષા રાખતા વિચારી રહ્યા છે.' ત્યારે તે અનેક માણસની આવી વાત સાંભળીને અને સમજીને મને આ આંતરિક વિચાર યાવતું મનોગત સંકલ એ પેદા થયું કે જાઉં અને આનંદ શ્રમણોપાસકને જોઉં ! મેં આવો વિચાર કર્યો, વિચાર કરીને જયાં કલ્યાગ સંનિવેશ હતો, જ્યાં પૌષધશાળા હતી અને તેમાં જ્યાં આનંદ શ્રમણોપાસક હતું ત્યાં પહોંચ્યો. ત્યારે તે આનંદ શ્રમણોપાસકે મને પોતાની તરફ આવતા જોયો, જોઈને તે હૃષ્ટ–તુષ્ટ અને આનંદિત મનવાળા બને, તેના મનમાં મારા માટે પ્રીતિ થઈ, પરમ સૌમનસ્યભાવ થયો અને હર્ષના અતિરેકથી વિકસતા હૃદયવાળા તેણે મને વંદન-નમસ્કાર કર્યો, વંદન-નમસ્કાર કરી આ પ્રમાણે કહ્યું- “હે ભદન્ત ! હું આ મહાન, પ્રધાન, વિપુલ, પ્રયત્નસાધ્ય તપકમ ગ્રહણ કરીને શુષ્ક, રુક્ષ, માંસ રહિત હાડકાના માળા જેવ, કડકડાટી કરના શરીરવાળે, કૃશ અને શરીર પર માત્ર નસો ઊભરાઈ રહી હોય તેવો બની ગયો છું. જેથી આપ દેવાનુપ્રિયની નજીક આવી ત્રણ વાર મસ્તક નમાવી ચરણવંદના કરવા સમર્થ નથી. આથી હે ભગવન! આપ સ્વયં કૃપા કરી આપની ઈચ્છાથી જ મારી સમીપ પધારે તે હું ત્રણ વાર મસ્તક નમાવી ચરણ વંદ- કરું.’ ત્યારે હું સ્વયં આનંદ શ્રમણોપાસક પાસે ગયો અને તેણે ત્રણ વાર મસ્તક નમાવી મારા ચરણોમાં વંદન-નમસ્કાર કર્યો, વદન-નમસ્કાર કરી પછી તેણે આ પ્રમાણે કહ્યું -“હે ભગવન્! શું ઘરમાં રહેતા ગૃહસ્થને અવધિજ્ઞાન ઉત્પન્ન થઈ શકે ખરું?' જવાબમાં મેં કહ્યું – “હા ઘઈ શકે.' આ પછી ફરી તેણે કહ્યું- હે ભદંત ! જો ઘરમાં રહેનાર ગૃહસ્થને અવધિજ્ઞાન થઈ શકે તો ઘરમાં રહેનાર એવા મને પણ અવધિજ્ઞાન થયું છે જેથી હું પૂર્વ દિશામાં લવણ સમુદ્ર સુધીના પાંચસો યોજત વિશાળ ક્ષેત્રને જોઈ શકું છું-જાણી શકું છું. દક્ષિણ દિશામાં પણ લવણ સમુદ્ર સુધીના પાંચસો યોજન પ્રમાણ ક્ષેત્રને હું જોઈ શકું છું. પશ્ચિમમાં લવણસમુદ્ર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001953
Book TitleDharmakathanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj, Dalsukh Malvania
PublisherAgam Anuyog Prakashan
Publication Year1991
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & agam_related_other_literature
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy