SearchBrowseAboutContactDonate
Page Preview
Page 432
Loading...
Download File
Download File
Page Text
________________ 9} wwwww એ વાત સાંભળીને હેતુ અને કારણથી પ્રેરિત થયેલા રાજ િનમિએ દેવેન્દ્રને આ પ્રમાણે કહ્યું–(૩૯) પ્રતિમાસે કોઈ દશ લાખ ગાયાનું દાન આપે તેના કરતાં પણ કશુ' નહિ આપનારના માત્ર સયમ કલ્યાણકર્તા છે.’ (૪૦) એ વાત સાંભળીને હેતુ અને કારણથી પ્રેરિત થયેલા દેવેન્દ્ર નમિ રાજાને આ પ્રમાણે કહ્યુ –(૪૧) (૮) ‘કઠિન ગૃહસ્થાશ્રમ છોડીને તું બીજા આશ્રમની ઇચ્છા કરે છે; હે મનુજાધિપ ! તું અહીં. (ગૃહસ્થાશ્રમમાં) જ પૌષધરત થા (અર્થાત્ ગૃહસ્થની જેમ પતિથિઓએ પૌષધ ક૨).' (૪૨) એ વાત સાંભળીને હેતુ અને કારણથી પ્રેરિત થયેલા રાજર્ષિ નમિએ દેવેન્દ્રને આ પ્રમાણે કહ્યું–(૪૩) ‘કોઈ મૂખ જન માસે માસે માત્ર દર્ભના અગ્રભાગ જેટલું ભાજન કરે, તે પણ સાચા ધર્મની સાળમી કળાને પાત્ર નથી.’ (૪૪) આ વાત સાંભળીને હેતુ અને કારણથી પ્રેરિત થયેલા દેવેન્દ્ર નમિ રાષિને આ પ્રમાણે કહ્યું : (૪૫) (૯) ‘ચાંદી, સાનું, હીરા, માતી, કાંસાનાં વાસણા, ઉત્તમ વસ્ત્રો અને વાહન તથા કોશમાં વૃદ્ધિ કરીને પછી હું ક્ષત્રિય ! તું જજે.’ (૪૬) એ વાત સાંભળીને હેતુ અને કારણથી પ્રેરિત થયેલા નમિ રાષિએ દેવેન્દ્રને આ પ્રમાણે કહ્યું–(૪૭) ‘સાના અને રૂપાના કૈલાસ જેવડા માટા અસંખ્ય પવ તા હોય તેા પણ તે લાભી પુરુષ માટે કંઈ જ નથી. ઇચ્છા તેા આકાશની જેમ અનંત છે. (૪૮) ચાખા, યવ, સુવણ અને પશુએ સહિત પૃથ્વી એ બધું એક મનુષ્યને સતાષવા માટે પૂરતું નથી . એમ સમજીને તપશ્ચર્યાં કરવી [એ જ શ્રેષ્ઠ છે.]’ (૪૯) Jain Education International ધ કથાનુયાગ—નમિ રાજિષ' : સૂત્ર ૨૪૯ mmmmmmmm એ વાત સાંભળીને હેતુ અને કારણથી પ્રેરિત થયેલા દેવેન્દ્ર નમિ રાજર્ષિને આ પ્રમાણે કહ્યુ –(૫૦) (૧૦) ‘હે રાજા ! આ (વિદ્યમાન) અદ્ભુત ભાગાના તુ ત્યાગ કરે છે, અને જે નથી એવા કામાની–સુખાની ઇચ્છા કરે છે, તારા પાતાના જ સ’કલ્પથી તું છેતરાય છે.’ (૫૧) એ વાત સાંભળીને હેતુ અને કારણથી પ્રેરિત થયેલા રાજનિમિએ દેવેન્દ્રને આ પ્રમાણે કહ્યુ –(૫૨) ‘કામભાગા શલ્ય છે, કામભાગા વિષ છે, અને કામભાગા ઝેરી નાગ જેવા છે. કામભાગાની પ્રાર્થના કરતા જીવે, તેમને પામ્યા વિના જ દુર્ગાંતિમાં જાય છે. (૫૩) ક્રોધથી જીવ અધાતિમાં જાય છે. માનથી પણ અધમ ગતિ થાય છે, માયાથી સદ્ગતિમાં વિઘ્ન થાય છે, અને લાભથી બન્ને રીતે (આ લાકમાં અને પરલેાકમાં) ભય થાય છે.’ (૫૪) ૨૪૯. પછી બ્રાહ્મણનું રૂપ છોડી દઈને પાતાનું ઇન્દ્રરૂપ ધારણ કરી ઇન્દ્ર આ પ્રમાણે મધુર વચનાથી સ્તુતિ કરતા (નમિને) વન્દન કરવા લાગ્યા–(૫૫) ‘અહો ! તમે ક્રોધને જીત્યેા છે! અહો ! તમા માનના પરાજય કર્યાં છે! અહા! તમે માયાને દૂર કરી છે! અહો! તમે લાભને વશ કર્યા છે ! (૫૬) અહો ! તમારું ઉત્તમ આર્જવ ! અહા ! તમારુ' ઉત્તમ માવ ! અહો ! તમારી ઉતમ ક્ષમા ! અહો ! તમારી ઉત્તમ મુક્તિ ! (૫૭) હે ભદંત ! તમે આ લેાકમાં ઉત્તમ છે, અને પછી પણ ઉત્તમ થશેા. (કર્મ)–રજ વિનાના બનીને લાકમાં ઉત્તમ એવા ઉત્તમ સ્થાનરૂપ સિદ્ધિને તમે અવશ્ય પામશા.’ (૫૮) એ પ્રમાણે ઉત્તમ શ્રદ્ધાથી રાજનિી સ્તુતિ કરતા તથા તેમની પ્રદક્ષિણા કરતા ઇન્દ્ર તેમને ફરી ફરી વન્દન કરવા લાગ્યા. (૫૯) For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001952
Book TitleDharmakathanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj, Dalsukh Malvania
PublisherAgam Anuyog Prakashan
Publication Year1987
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy