SearchBrowseAboutContactDonate
Page Preview
Page 412
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૬ ધર્મકથાનુગ–અરિષ્ટનેમિ-તીર્થમાં થાવરચા પુત્ર અને બીજા ઃ સૂત્ર ૧૯૩ પણ છું – અર્થાત્ ઉપયોગ બદલાવાથી હું અનિત્ય પણ છું. શુક પરિવાજનું સહસ્ત્ર પરિવ્રાજકો સાથે પ્રવજ્યાગ્રહણ– ૧૯૨. આ રીતે થાવગ્ગાપુત્રના ઉત્તરો સાંભળી પ્રતિબોધ પામેલ શુક પરિવ્રાજકે થાવગ્ગાપુત્રને વંદન કર્યા, નમસ્કાર કર્યો, વંદન-નમન કરીને આ પ્રમાણે કહ્યું “હે ભગવન્! આપની પાસેથી હું કેવલિપ્રરૂપિત ધર્મ સાંભળવા ઇચ્છું છું.' ત્યાર બાદ થાવસ્થાપુને શુકને ચાતુર્યામ રૂપ ધર્મનો ઉપદેશ આવ્યો. ત્યારે તે શક પરિવ્રાજક થાવસ્થાપુત્ર પાસેથી ધર્મ શ્રવણ કરીને, હૃદયમાં અવધારણ કરીને આમ કહ્યું- હે ભંતે! એક હજાર પરિવ્રાજકો સાથે આપ દેવાનુપ્રિય પાસે મુંડિત બની પ્રવ્રજ્યા લેવા ઇચ્છું છું.' શસ્ત્ર-પરિણત બે પ્રકારના કહેવાય...પ્રાસુક અને અપ્રાસુક. હે શુક ! તેમાં અપ્રાસુક છે. તે શ્રમણ નિગ્રંથો માટે અભક્ષ્ય છે. એમાં જે પ્રાસુક છે તેના બે પ્રકાર કહેવાય છે, તે આ પ્રમાણે-એષણીય અને અનેકણીય. એમાં જે અનેકણીય છે તે શ્રમણ નિથ માટે અભક્ષ્ય છે. જે એષણાય છે તેના બે પ્રકાર છે, યથા– યાચિત અને અયાચિત. એમાં જે અયાચિત છે તે શ્રમણ નિગ્રંથો માટે અભક્ષ્ય છે. અને જે યાચિત છે તેના બે પ્રકાર છે, જેવા કે–લબ્ધ અને અલબ્ધ. તેમાં જે અલબ્ધ છે તે શ્રમણ નિગ્રથો માટે અભક્ષ્ય છે અને જે લબ્ધ છે તે શ્રમણ નિગ્રંથો માટે ભક્ષ્ય છે. હે શુક ! આ અર્થમાં આમ કહેવાય છે કે માં ભઠ્ય પણ છે અને અભક્ષ્ય પણ છે.” એક અક્ષયાદિપર વિચારણા૧૯૧. શુક “શું આપ એક છો? આપ બે છો? આપ અક્ષય છો ? આપ અવ્યય છો? આપ અવસ્થિત છે ? આપ અનેકભૂત, અનેકભાવ કે અનેક ભાવિવાળા છો ?” થાવસ્થાપુત્ર– “હે શુક! હું એક પણ છું, બે પણ છું, અક્ષય પણ છું, અવ્યય પણ છું, હું અવસ્થિત પણ છું અને હું અનેક ભૂત-ભાવ-ભાવી પણ છું.' શક- “ભગવન્! કઈ રીતે આપ એમ કહો છો કે હું એક છું, એ પણ છું, હું અક્ષય પણ છું, હું અવ્યય પણ છું, હું અવસ્થિત પણ છું અને અનેક ભૂત, ભાવ અને ભાવી પણ છું ?” થાવાપુત્ર- “હે શુક ! દ્રવ્યની અપેક્ષાએ હું એક છું, જ્ઞાન અને દર્શનની અપેક્ષાએ હું અક્ષય પણ છું, અવ્યય પણ છું અને અવસ્થિત પણ છું તથા ઉપયોગની અપેક્ષાથી હું અનેકભૂત (ભૂતકાલીન) ભાવ (વર્તમાનકાલીન) અને ભાવિ (ભવિષ્યકાલીન) [થાવાપુત્રે કહ્યું- હે દેવાનુપ્રિય! તને સુખ ઊપજે તેમ કર.' ત્યાર પછી તે શુક પરિવ્રાજક ઉત્તરપૂર્વ દિશા (ઈશાનકોણ)માં ગયો, ત્યાં જઈને કુંડી, છત્ર, છન્નાલય, અંકુશ, પવિત્રી, કેસરી અને ગેરુઆ રંગનાં વસ્ત્રો એકાંતમાં છોડી દીધાં, પછી પોતાના હાથે જ શિખા (ચોટલી) ઉખાડી કાઢી, શિખાલોચ કરીને જયાં થાવરચા પુત્ર અનગાર હતા ત્યાં આવ્યા, આવીને થાવસ્થાપુત્ર અનગારને વંદનન્નમન કર્યા, વંદનનમસ્કાર કરી થાવગ્નાપુત્ર પાસે મંડિત બની પ્રવજ્યા સ્વીકારી, પછી સામાયિક આદિ ચૌદપૂર્વનું અધ્યયન કર્યું. થાવરચા પુત્રને તથા શુકને જનપદવહાર– ૧૯૩. ત્યાર બાદ થાવસ્થાપુત્ર શુકને એક હજાર અણગારે શિષ્યરૂપે આપ્યા. ત્યાર બાદ થાવસ્થાપુત્ર અનગાર સૌગંધિકા નગરી અને નીલાશોક ઉદ્યાનમાંથી નીકળ્યા, નીકળીને બાહ્ય જનપદમાં વિહાર કરવા લાગ્યા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001952
Book TitleDharmakathanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj, Dalsukh Malvania
PublisherAgam Anuyog Prakashan
Publication Year1987
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy