SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ 154 ŚRUTA-SARITA "अह वयपरियाएहि लहुगो वि हु भासओ इहं जेट्ठो । रायणियवंदणे पुण तस्स वि आसायणा भंते ॥" –આવ. નિ. ગાઢ ૭૧૩ (દીપિકા) આ શંકાઓનું સમાધાન કરવામાં આવ્યું છે કે જયેષ્ઠની વ્યાખ્યા પ્રસંગોનુસાર કરવામાં આવે છે. સામાન્ય રીતે વ્રતગ્રહણનો પર્યાય જયેષ્ઠના નિર્ણયમાં કામ આવે છે, પણ સૂત્રવ્યાખ્યાનપ્રસંગમાં તો વ્રતપર્યાયને નહિ પણ લબ્ધિને મુખ્ય માનવામાં આવે છે. અને આથી સૂત્રવ્યાખ્યાન કરવાની જેનામાં લબ્ધિ હોય તે વયથી ભલે ને લઘુ હોય પણ તે જયેષ્ઠ ગણાય. આથી એવા રત્નાધિક જયેષ્ઠને વયજયેષ્ઠ વંદન કર્યું તેમાં કશું જ અનુચિત નથી. વળી વ્યાખ્યાન પ્રસંગે તો વયયેષ્ઠ નમસ્કાર કર્યો છે. આથી રત્નાધિકની આશાતનાનો પ્રસંગ પણ નથી. "जइ वि वयमाइएहिं लहुओ सुत्तत्थधारणापडुओ । वक्खाणलद्धिमंतो सो चिय इह घेप्पई जेट्ठो ॥ आसायणा वि णेवं पडुच्च जिणवयणभासयं जम्हा । वंदणयं राइणिए तेण गुणेणं पि सो चेव ॥" –આવ. નિ. ગા. ૭૧૪-૭૧૫ (દીપિકા) આચાર્ય આવો નિર્ણય આપ્યો તે પાછળ તેમની દૃષ્ટિ શી હતી તેનું સ્પષ્ટીકરણ તેમણે વ્યવહાર અને નિશ્ચયનયના અવલંબનથી કર્યું છે. તેમણે જણાવ્યું છે કે વ્યવહારનું અનુસરણ કરવામાં આવે ત્યારે વયજયેષ્ઠ એ જયેષ્ઠ ગણાય. પણ નિશ્ચયનયને મતે તો દીક્ષા પર્યાય કે વય એ પ્રમાણ નથી, પણ ગુણાધિક્ય એ પ્રમાણ છે. માટે બને નયોને આધારે પ્રસંગ પ્રમાણે વર્તન કરવામાં કશો જ દોષ નથી, જૈન ધર્મમાં એક જ નય નહિ, પણ બન્ને નય જયારે મળે ત્યારે તે પ્રમાણ બને છે. માટે બને નયોને માનીને પ્રસંગાનુસાર વંદનવ્યવહાર કરવો. આ બન્ને નયોને મહત્ત્વ આપવું એટલા માટે જરૂરી છે કે ગુણાધિક્ય એ આંતરિક ભાવ છે અને સર્વ પ્રસંગે એ આંતરિક ભાવનું જ્ઞાન છદ્મસ્થ માટે સંભવ નથી, માટે જ્યાં આંતરિક ભાવ જાણવામાં આવે એવે પ્રસંગે તેને મહત્ત્વ આપી વંદનવ્યવહારની યોજના નિશ્ચયદષ્ટિને મહત્ત્વ આપી કરવામાં આવે તેમાં કશું ખોટું નથી, પણ સામાન્ય રીતે તો દીક્ષાપર્યાયે જે જયેષ્ઠ હોય તેને જયેષ્ઠ માનીને વિંદનવ્યવહારની યોજના વ્યવહારનયે કરવી એ સુગમ લોકસંમત માર્ગ છે, કારણ, ગુણાધિક્ય જાણવું લોકને માટે સુગમ નથી, પણ દીક્ષાપર્યાય જાણવો સુગમ છે; એટલે વ્યવહારનયે માની લીધું કે જેનો દીક્ષાપર્યાય વધારે તે મોટો એટલે વંદનીય– "न वओ एत्थ पमाणं न य परियाओ वि णिच्छयमएण । ववहारओ उ जुज्जइ उभयनयमयं पुण पमाणं ॥ निच्छयओ दुनेयं को भावे कम्मि वट्टइ समणो । ववहारओ उ कीरइ जो पुव्वठिओ चरित्तम्मि ॥" –આવ. નિ. ગા. ૭૧૬-૭૧૭ (દીપિકા) આમાંની અંતિમ ગાથા બૃહત્કલ્પભાષ્યમાં પણ છે. જુઓ ગા. ૪૫૦૬. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001940
Book TitleSruta Sarita
Original Sutra AuthorN/A
AuthorJitendra B Shah
PublisherShardaben Chimanbhai Educational Research Centre
Publication Year2001
Total Pages310
LanguageEnglish, Prakrit, Hindi
ClassificationBook_Devnagari & Articles
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy