SearchBrowseAboutContactDonate
Page Preview
Page 319
Loading...
Download File
Download File
Page Text
________________ [ રૂ૪ ] હાર ઘણા જ માનથી સ્વીકાર્યો. પિતાના ઈષ્ટ માણસે આપેલી વસ્તુ સ્વીકારવા પ્રેરણા કરનારી પ્રીતિ જ હોય છે. હવે, તિલકમંજરીએ શીધ્ર પોપટની પણ પૂજા કરી. ઉત્તમ પુરુષનું સાધારણ વચન પણ કઈ જગ્યાએ મિથ્યા ન થાય. ઉચિત આચરણ કરવામાં નિપુણ એવા ચંદ્રચૂડે તે વખતે કહ્યું કે, “હે કુમાર ! પહેલેથી જ તને હારા ભાગ્યે આપેલી બે કન્યાઓ હું હમણું તને આપું છું, સારા કાર્યોમાં વિધ્ર ઘણું આવે છે, માટે તું પ્રથમથી જ મનમાં સ્વીકારેલી એ બને કન્યાઓનું તુરત જ પાણિગ્રહણ કર.” ચંદ્રચડ દેવતા એમ કહી વર અને કન્યાઓને જાણે શોભાને સમુદાય જ ન હોય! એવા તિલકવૃક્ષના કુંજમાં પરણવાને માટે હર્ષથી લઈ ગયો. ચક્રેશ્વરી દેવીએ રૂપ ફેરવી શીધ્ર ત્યાં જઈ મૂળથી છેડા સુધી એ સવે ઉત્તમ વૃત્તાંત પ્રથમથી જ જાયું હતું, માટે વેગથી પવનને પણ જીતે એવા અતિશય હેટા વિમાનમાં ઘણું હર્ષથી બેઠી. તે વિમાન રત્નની પહેલી ઘંટાઓથી ટંકાર શબ્દ કરતું હતું, રત્નમય શોભતી ઘુઘરીઓ વડે શબ્દ કરનારી સેંકડો ધ્વજાઓ તે વિમાનને વિષે ફરકતી હતી. મનોહર માણિકય વડે જડેલા તોરણથી તેને ઘણી શોભા આવી હતી. નૃત્યના, ગીતના અને વાજિત્રના શબ્દથી તે વિમાનની પૂતળીઓ જાણે બોલતી જ ન હોય ! એવો ભાસ થતો હતા. પાર વિનાની પારિજાત વગેરે પુપોની માળાઓ તેમાં ઠેકાણે ઠેકાણે રંગાયેલી હતી. હાર, અર્ધહાર વગેરેથી એક ઉત્તમ શોભા તેને આવી હતી, સુંદર ચામરો તેને વિષે ઉછળતાં હતાં, તેની રચનામાં બધી જાતનાં મણિરત્નો આવેલાં હોવાથી તે પિતાના પ્રકાશથી સાક્ષાત્ સૂર્યમંડળની માફક નીબિડ અંધકારને પણ કાપી નાંખતું હતું. એવા વિમાનમાં ચક્રેશ્વરી દેવી બેઠી, ત્યારે બીજી તેની બરાબરીની ઘણું દેવીઓ પોતપોતાના વિવિધ પ્રકારના વિમાનમાં બેસી તેની સાથે ચાલવા લાગી, અને બીજા ઘણા દેવતાઓ તેની સેવામાં તત્પર રહ્યા. આ રીતે ચક્રેશ્વરી દેવી તિલકવૃક્ષના કુંજમાં આવી પહોંચી. વર તથા કન્યાએ ત્રદેવીની માફક તેને નમ્યાં. ત્યારે ચકેશ્વરીએ પતિ પુત્રવાળી વૃદ્ધ સ્ત્રી જેમ આશિષ આપે છે, તેમ વરને તથા કન્યાઓને આશીષ આપી કે - “હે વધુવર ! તમે હમેશાં પ્રીતિથી સાથે રહે અને ચિરકાર સુખ ભેળવો. પુત્ર-પૌત્રાદિ સંતતિવડે તમારે જગતમાં ઉત્કર્ષ થાઓ.” પછી ઉચિત આચરણ કરવામાં ચતુર એવી ચકેશ્વરી દેવીએ પોતે અગ્રેસર થઈ ચિરી આદિ સર્વ વિવાહની સામગ્રી તૈયાર કરી, અને દેવાંગનાઓના ધવલ ગીતે પૂર્વક યથાવિધિ તેમને વિવાહોત્સવ મહોટા આડંબરથી પૂર્ણ થયો. તે વખતે દેવાંગનાઓએ પિપટને વરના ન્હાનાભાઈ તરીકે માનીને તેના નામથી ધવલ ગીતે ગાયાં. મહેટા પુરુષની સોબતનું ફળ એવું આશ્ચર્યકારી થાય છે. જેમનું વિવાહમંગળ સાક્ષાત્ ચક્રેશ્વરીએ કર્યું, તે કન્યાઓને અને કુમારને પુણ્યને ઉદય અદ્ભુત છે. પછી ચકેશ્વરી દેવીએ બીજી For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.001788
Book TitleShraddhavidhiprakaran
Original Sutra AuthorN/A
AuthorVikramvijay, Bhaskarvijay
PublisherVikram Vijayji and Bhaskar Vijayji
Publication Year
Total Pages422
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Religion, Ritual, & Vidhi
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy