SearchBrowseAboutContactDonate
Page Preview
Page 244
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમ વિના-ચબાિ ! [ ૨૨૧ ] આવી ધનેશ્વર શેઠના પુત્રાદિકને એ વાત કહી ત્યારે તેમણે પોતાના પિતાના મિત્રને વિનયથી, પ્રેમથી અને બહુમાનથી ઘેર બોલા અને અભયદાનાદિ અનેક પ્રકારની યુક્તિથી રત્નની માગણી કરી; તે પણ લેભી મિત્રે તે વાત માની નહીં અને રત્ન પણ આપ્યાં નહીં. પછી તે વિવાદ ન્યાયસભામાં ગયે. સાક્ષી, લેખ વગેરે પુરાવો નહીં રહેવાથી રાજા, મંત્રી વગેરે ન્યાયધીશે રનો અપાવી શક્યા નહીં. આ રીતે સાક્ષી રાખીને દ્રવ્ય આપવા ઉપર ધનેશ્વર શેઠનું દષ્ટાંત કહ્યું છે. ધન આપતાં સાક્ષી રાખવાથી તે લાભ. માટે કેઈને પણ સાક્ષી રાખીને દ્રવ્ય આપવું. સાક્ષી રાખ્યો હોય તો ચારને આપેલું દ્રવ્ય પણ પાછું મળે છે. એ ઉપર એક દષ્ટાંત કહે છે – એક વણિક ધનવાન તેમજ બહુ ઠગ હતે. પરદેશ જતાં માર્ગમાં તેને ચારની ધાડ નડી. ચોરોએ જુહાર કરીને તેની પાસે દ્રવ્ય માગ્યું. વણિકે કહ્યું “સાક્ષી રાખીને આ સર્વ દ્રવ્ય તમે ગ્રહણ કરે અને અવસર આવે પાછું આપજે, પણ મને મારશે નહીં.” પછી ચેરેએ “આ કઈ પરદેશી મૂર્ખ માણસ છે.” એમ ધારી એક જંગલી કાબરચિત્ર વર્ણના બિલાડાને સાક્ષી રાખી સર્વ દ્રવ્ય લઈ વણિકને છોડી દીધો. તે વણિક અનુક્રમે તે સ્થાન બરાબર ધ્યાનમાં રાખીને પાછા પિતાને ગામ ગયે. કેટલેક વખત જતાં એક દિવસે તે ચરે વણિકના ગામના કેટલાક ચોરોની સાથે ઘણી વસ્તુ લઈને (વણિકના ગામમાં) આવ્યા. તે વણિકે ચોરેને ઓળખી પિતાના દ્રવ્યની માગણી કરી તેથી કલહ થયો, અને છેવટે તે વાત રાજદ્વારે ચઢી. ન્યાયાધીશોએ વણિકને પૂછયું. “ દ્રવ્ય આપ્યું તે વખતે કઈ સાક્ષી હતું ?” વણિકે પાંજરામાં રાખેલા એક કાળા બિલાડાને આગળ મૂકીને કહ્યું. “આ હારે સાક્ષી છે.” ચરોએ કહ્યું. “હા કે સાક્ષી છે તે દેખાડ. ” વણિકે દેખાડશે. ત્યારે એરોએ કહ્યું. “તે આ નથી. તે કાબરચિત્ર વર્ણન હતું અને આ તે કાળે છે.” આ રીતે પિતાને મુખે જ ચોરોએ કબૂલ કર્યું ત્યારે ન્યાયાધીશોએ તેમની પાસેથી વણિકને તેનું સર્વ ધન પાછું અપાવ્યું. એ પ્રકારે સાક્ષી રાખવા ઉપર દાંત છે. થાપણ કેમ રાખવી અને કેમ વાપરવી? માટે થાપણ મૂકવી તથા લેવી હોય તો છાની મૂકવી નહીં, તેમ લેવી પણ નહીં. પણ વજનેને સાક્ષી રાખીને જ મૂવી તથા લેવી. ધણીની સમ્મતિ વિના થાપણ હલાવવી. ચલાવવી પણ નહીં. તે પછી વાપરવાની તો વાત જ શી ? કદાચિત થાપણ મૂકનાર માણસ પરદેશે મરણ પામે તો તે થાપણું તેને પુત્રોને આપવી. તેને પુત્ર આદિ ન હોય તો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001788
Book TitleShraddhavidhiprakaran
Original Sutra AuthorN/A
AuthorVikramvijay, Bhaskarvijay
PublisherVikram Vijayji and Bhaskar Vijayji
Publication Year
Total Pages422
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Religion, Ritual, & Vidhi
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy